બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Dinesh
Last Updated: 08:38 PM, 31 May 2023
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ ગુજરાતના પ્રવાસે છે. હાલનો માહોલ જોઈએ તો બાબા બાગેશ્વર દ્વારા સમગ્ર ગુજરાતમાં પ્રચારની કવાયત શરૂ કરાઇ હોય તેમ પહેલા દક્ષિણ ગુજરાતમાં સુરતમાં દિવ્ય દરબાર યોજાયો હતો. જે બાદમાં મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને બાદમાં સૌરાષ્ટ્રમાં રાજકોટના પ્રવાસે છે, રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના ઉતારે હાથાપાઈ થઈ છે.
આયોજકના બોડીગાર્ડ અને ધીરેન્દ્ર શાસ્ત્રીના બોડીગાર્ડ વચ્ચે મારામારી
રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રી પહોંચ્યા છે જ્યાં હાથાપાઈ થઈ હોવાનો વીડિયો સામે આવ્યો છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના પ્રર્સનલ સિક્યુરિટી અને આયજકોના બોર્ડિગાર્ડ વચ્ચે મારામારી થઈ છે. કિંગ્સ હાઈટ્સમાં ઉતારાના ગેટ પાસે ઝપાઝપી થઈ હતી. જ્યાં ધીરેન્દ્ર શાસ્ત્રીના સિક્યુરિટી દ્વારા કાર્યકરોના બોર્ડિગાર્ડને મૂકો મારતો વીડિયો વાયરલ થયો છે. જે વીડિયોમાં તમે જોઈ શકો છો, ગેટ પર ધીરેન્દ્ર શાસ્ત્રીની ગાડી પહોંચે છે અને ત્યાં ગાડી થોડી ધીરે પડતા પ્રર્સનલ સિક્યુરિટી ગાર્ડ અને આયોજકના ગાર્ડ વચ્ચે હાથાપાઈ થઈ હોવાના દર્શ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. સિક્યુરિટી મેન ધીરેન્દ્ર શાસ્ત્રીની ગાડી પરથી ઉતરી આયોજકના સિક્યુરિટી ગાર્ડ સાથે બાખડ્યો હોય તેવું જણાઈ રહ્યું છે.
રાજકોટમાં દિવ્ય દરબાર
રાજકોટ ખાતે પણ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ભરાશે. રાજકોટમાં આજે 1 અને આવતીકાલે 2 જૂનના રોજ રેસકોર્સ મેદાન ખાતે દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. બાગેશ્વર ધામ સેવા સમિતિ, રાજકોટ તરફથી આ દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં ગઈકાલે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાયો
અમદાવાદમાં ગઈકાલે બાબા બાગેશ્વર તરીકે ઓળખાતા ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન કરાયું હતું. અમદાવાદના વટવા ખાતે આવેલા શ્રી રામ મેદાનમાં બાબાના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી રામ મેદાનમાં ગઈકાલે સાંજે 5:00થી 7:00 વાગ્યા સુધી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય ભરાયો હતો. મહત્વનું છે કે, અમદાવાદના ઓગણજ ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીનો 29 મેના રોજ દરબાર યોજવાનો હતો, જે વરસાદના કારણે સમગ્ર કાર્યક્રમ રદ કરવાની ફરજ પડી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ