બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / Amit Shah asked Mamta goverment to submit the report of west bengal riots in 3 days
Vaidehi
Last Updated: 06:30 PM, 4 April 2023
પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસાને લઈને કેન્દ્ર સરકારે લાલ આંખ કરી છે. ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે રામનવમી પર થયેલા હોબાળા અને ખરાબ કાયદા વ્યવસ્થા પર મમતા સરકાર પાસે રિપોર્ટ માંગી છે. ગૃહમંત્રાલયે પશ્ચિમ બંગાળનાં ચીફ સેક્રેટરીથી 3 દિવસોની અંદર સંપૂર્ણ ઘટના પર રિપોર્ટ મોકલવાનું કહ્યું છે. બંગાળ ભાજપ અધ્યક્ષ સુકાંત મજૂમદારે ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે કહ્યું કે હિન્દૂઓને સતત બંગાળમાં ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે.
અમિત શાહે માંગ્યો છે રિપોર્ટ
આ ચિઠ્ઠી બાદ ગૃહમંત્રાલયે આ રિપોર્ટ માંગ્યો છે.મમતા સરકાર પાસે ગૃહમંત્રીએ 3 દિવસની અંદર આ રિપોર્ટ જમા કરવાનો આદેશ આપ્યો છે. આ પહેલા ગુરુવારે હાવડામાં રામનવમીની રથયાત્રા દરમિયાન 2 સમૂહોની વચ્ચે અથડામણ થઈ હતી જે બાદ ગૃહમંત્રી અમિત શાહે બંગાળનાં રાજ્યપાલ સીવી આનંદ બોઝ અને રાજ્ય ભાજપ પ્રમુખ સુકાંત મજૂમદારથી વાતચીત કરી અને રાજ્યમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિનું આંકલન કર્યું હતું.
હાવડામાં હિંસાનો માહોલ
પશ્ચિમ બંગાળના હાવડામાં રામ નવમીથી તણાવ જોવા મળ્યો હતો. રામનવમીના દિવસે આગચંપી થયાના એક દિવસ બાદ શુક્રવારે ફરી હિંસા ફાટી નીકળી હતી. જિલ્લાના કાજીપરા વિસ્તારમાં ગુરુવારે થયેલી હિંસાથી રાજકારણ પણ ગરમાયું છે. હાવડામાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. હાવડાના શિબપુર વિસ્તારમાં પણ કડક તકેદારી રાખવામાં આવી છે.
West Bengal BJP chief Sukanta Majumdar writes to Union HM Amit Shah over the law and order situation in the state, alleging that the Police is "harassing and arresting Hindus while looking a blind eye to the actual culprits and criminals from the minority community..."
— ANI (@ANI) April 4, 2023
He urges… pic.twitter.com/LfRodCstJh
સુકાંત મજૂમદારએ પત્રમાં લખી આ વાત
સુકાંત મજૂમદારે પોતાના પત્રમાં લખ્યું કે હુગલી જિલ્લામાં ભાજપની શોભાયાત્રામાં હોબાળો કરવામાં આવ્યો. પછી રેલ્વે સ્ટેશનો પર ભારે પથ્થરમારો કરવામાં આવ્યો જેના બાદ ટ્રેન સેવાઓને બંધ કરવામાં આવી હતી. અને પશ્ચિમ બંગાળની સત્તાધારી પાર્ટીઓ એટલે કે TMC અને તેમના સમર્થન વગર આ શક્ય નહોતું. ભાજપ અધ્યક્ષ અને લોકસભા સાંસદ સુકાંત મજૂમદારનાં નેતૃત્વમાં ભાજપનાં એક પ્રતિનિધિમંડળને મંગળવારે રાજ્યમાં હિંસાની હાલની ઘટનાઓને લઈને રાજ્યપાલ સીવી આનંદ બોઝ સાથે પણ મુલાકાત કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ