બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / ધર્મ / A special coincidence is being made on the day of Nag Panchami, worship Mother Parvati on this day too
Megha
Last Updated: 10:40 AM, 2 August 2022
ભારતીય પરંપરામાં તહેવારોનું ખુબ મહત્વ રહેલ છે ભારતના લોકો ધર્મ આચરણ અને પૂજા-અર્ચનામાં ખુબ મને છે. દેવી દેવતાઓના પૂજન કરી અહીં તહેવારો પણ ઉજવાય છે. શ્રાવણ માસ એટલે ભગવાન શિવની ઉપાસનાના દિવસો. આ શ્રાવણ ખાસ કરીને શ્રાવણ માસની શુક્લ પંચમી નાગપંચમી તરીકે ઓળખાય છે. હિંદુ પંચાંગ અનુસાર આજે નાગપંચમી છે અને આજના દિવસે મહાદેવની સાથે સાથે નાગ દેવતાની પૂજા પણ કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આજે નાગદેવતાની મૂર્તિને પૂજા કરવાથી ઘણો લાભ થાય છે.
માન્યતા અનુસાર આજના દિવસે ભગવાન શિવનો રુર્દ્રા અભિષેક કરવાથી અને સાથે સાથે નાગદેવતાને દૂધ ચઢાવવાથી કાલસર્પ દોષ દૂર થાય છે. આ વખતે નાગ પંચમી પર ખૂબ જ શુભ યોગ બની રહ્યો છે. ચાલો જાણીએ શુભ મુહર્ત અને પૂજાની રીત..
શુભ સમય
પંચમી તિથિ 02 ઓગસ્ટ, 2022 ના રોજ સવારે 05:13 વાગ્યે શરૂ થાય છે, પંચમી તિથિ 03 ઓગસ્ટ, 2022 ના રોજ સવારે 05:41 વાગ્યે સમાપ્ત થાય છે. નાગ પંચમી પૂજન મુહૂર્ત સવારે 05:43 થી 08:25 સુધી. સમયગાળો 02 કલાક 42 મિનિટ સુધીનો રહેશે.
બની રહ્યો છે શુભ સંયોગ
આજના દિવસે શિવ યોગ અને સિધ્ધ યોગ બની રહ્યો છે. જે સાંજે 6 વાગ્યા અને 38 મિનિટ સુધી રહેશે અને એ પછી સિધ્ધ યોગ શરૂ થશે. આ બંને યોગમાં મહાદેવની અને નાગ દેવતાની પૂજા કરવાથી દરેક મનોકામના પૂરી થશે. સાથે જ આજના દિવસે મંગલા ગૌરીનું પણ વ્રત છે એવામાં માં માતા પાર્વતી, મહાદેવ અને નાગદેવતા ત્રણેયનો આશીર્વાદ મળી રહેશે.
નાગપંચમીના દિવસે નાગ દેવતા ઉપાસના કરનારને ખુબ ધન પ્રાપ્તિ થાય છે. નાગ દેવતાની એક મૂર્તિ લઇ તેનું પૂજન કરી 'ऊं कुरु कुल्ले फट् स्वाहा' મંત્રનો સતત જાપ કરાવથી નાગદેવતા પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે. આ દિવસે નાગની પૂજા કરવામાં આવે છે. આ દિવસે નાગ દર્શનનું પણ વિશેષ મહત્વ હોય છે. આ દિવસે પૂજામાં સફેદ ફૂલ મૂકવામાં આવે છે. આપણા દેશમાં વ્યાપેલી ધાર્મિક આસ્થાના આધાર પર લિંગ સાપ અગ્નિ સૂર્ય આદિનું ખૂબ મહત્વ છે. આ દિવસે નાગના દર્શનને શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આપણી ધરતી શેષનાગના ફેણ પર ટકેલી છે અને જ્યારે ધરતી પર પાપ વધી જાય છે ત્યારે શેષનાગ પોતાની ફેણને સમેટી લે છે જેથી ધરતી હલે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ