ભાવનગરની સર્વોત્તમ ડેરીમાં અધમ કક્ષાનો ભ્રષ્ટાચાર આચરાયો હોવાનું એક આરટીઆઈમાં ખુલ્યું છે. સહકારી ક્ષેત્રમાં ભ્રષ્ટાચારની પરાકાષ્ઠાને સાબિત કરતો ખુલાસો થતા ખળભળાટ મચી ગયો છે. ભાવનગરની સર્વોત્તમ ડેરીમાં 137 કરોડનું કૌભાંડ સામે આવ્યું છે.
ડેરીના ચેરમેન મહેન્દ્ર પનોત અને તેના મળતિયાઓએ આચર્યુ કૌભાંડ
ડેરીના ચેરમેન મહેન્દ્ર પનોત અને તેના મળતિયાઓએ કૌભાંડ આચર્યુ હોવનો આક્ષેપ થઈ રહ્યો છે. RTI દ્વારા માહિતી માંગવામાં આવી ત્યારે ભાંડો ફૂટ્યો હતો. રાજ્ય રજીસ્ટ્રારે કલમ 71 અન્વયે ગેરકાયદે મંજૂર કરાયેલા કામને રદ કર્યા છે.
137 કરોડના કામ નામંજૂર થતા ડેરી સંચાલકોમાં ખળભળાટ
નિયમો પડતા મૂકીને બેફામ ભ્રષ્ટાચાર આચરાયો છે. ડેરીમાંથી વિના કારણે ખર્ચ થયેલા 137 કરોડ કોણ ભોગવશે તે મોટો સવાલ છે. 137 કરોડના વિવિધ કામ નિયમોને નેવે મૂકીને મંજૂર કરાવાયા છે. વાત આટલેથી અટકતી નથી કારણ કે ગોટાળાનો સિલસિલો હજુ પણ ચાલુ રહ્યો છે. 137 કરોડની ગેરરીતિ ઉપરાંત ભરતીમાં પણ સગાવાદ સામે આવ્યો છે. ભરતીમાં સર્વોત્તમ ડેરી કઈ રીતે ભરાઈ તેનો પણ ખુલાસો થશે. સર્વોત્તમ ડેરીના દરેક શેતાની ઈરાદાઓ ઉઘાડા પડી ગયા છે.
સર્વોત્તમ ડેરી સાથે 600 જેટલી જિલ્લા મંડળીઓ જોડાયેલી છે.
નિયમોને નેવે મૂકી અનઘડ રીતે કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે. ભાવનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના વહીવટમાં ભરતીમા સગાવાદ બહાર આવ્યો છે. સર્વોત્તમ ડેરીમાં જાહેરાત વગર જ ચેરમેન અને હોદ્દેદારોના સગાઓને નોકરી મળી ગઈ છે. જિલ્લા રજિસ્ટ્રાર તપાસ કરે તો ભરતીઓ માટે ગુનેગારોની ભાળ મળે તેમ છે. કઈ ભરતી માટે કેટલા રૂપિયા લેવાયા તેની વિગતો પણ શોધવી જરૂરી છે. ડેરીના ક્યા હોદ્દેદારના સગા-વ્હાલાઓને નોકરી મળી તેની તપાસ થવી પણ જરૂરી છે.