બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / The temple of Randal Mataji is located near Akwada in Bhavnagar
Dinesh
Last Updated: 07:12 AM, 9 March 2024
ભાવનગર નજીકના અકવાડા ગામે વિશાળ પટાંગણ ધરાવતું જિલ્લાનું સૌથી મોટું શિખરબંધ રાંદલ માતાજીનું મંદિર આવેલું છે. રાંદલ માતાજીનુ મંદિર માતૃ મંદિર તરીકે ઓળખાય છે. મંદિરે આવતા વ્યથીત ભકતજનો માતાજીના આશીર્વાદ મેળવી હસતા મોંઢે ઘરે ફરે છે. મંદિર પરિસરના સકારાત્મક વાતાવરણમાં ભાવિકો મનની શાંતિ મેળવે છે. આજે દેવદર્શનમાં સ્વયંભૂ પ્રગટેલા રાંદલ માતાના દર્શન કરી ધન્ય થઈશુ.
ભાવનગરના અકવાડા ગામે બિરાજમાન રાંદલ મા
ભાવનગરના અકવાડા નજીક કુદરતી વાતાવરણ વચ્ચે આવેલા માતૃ મંદિરમાં રાંદલ માતા હાજર હજૂર છે. ભાવનગર શહેરથી થોડા જ અંતરે આવેલુ આ મંદિરને ગુલાબી પથ્થરના અનેક પિલરવાળું છે. મંદિરમાં કોઈપણ જગ્યા પર ઊભા રહી નજર કરીએ તો એકપણ પિલર વચ્ચે આવતુ નથી અને કોઈપણ ખૂણે ઊભા રહીને માતાજીના દર્શન કરી શકાય છે.મંદિર પરિસરમાં દાખલ થતા જ સકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે. માતૃધામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાંદલ માતાજીના મંદિરનુ કરોડોના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. હાલ રાંદલ માતાજીના ઉપાસક ઝરણા માતાજી સેવા આપી રહ્યા છે. મંદિરમાં દરરોજ સવાર સાંજ આરતી કરવામાં આવે છે. મંદિરનું જ્યારે નિર્માણ કરવાનું હતું ત્યારે ઝરણા માં પાસે 11હજાર રૂપિયા જ હતા. આજે માતાજીની અસીમ કૃપાથી રાંદલ માતાજીનુ મંદિર વટવૃક્ષ જેવું આલીશાન બન્યું છે. ઝરણા માતાજી તેમના ગુરુ તરફથી મળેલી પ્રેરણાથી મંદિર બનાવવામાં સફળ થયા છે.
વાંચવા જેવું: ભારતના આ મંદિરમાં આવેલા છે 1 કરોડ શિવલિંગ, જ્યાં માનતા પૂર્ણ થતા લોકો જાતે શિવલિંગ કરે છે પ્રસ્થાપિત
માતાજીના પ્રાગટ્ય દિવસે ભારે ઉલ્લાસભેર ઉજવણી
ભાવનગર નજીક આવેલા માતૃ મંદિરમાં રાંદલ માતાજીના મંદિર ઉપરાંત શિવપાર્વતીજીનું મંદિર, શનિદેવ મહારાજનું મંદિર અને હનુમાનજીનું મંદિર પણ આવેલું છે. મંદિરે અનેક તહેવારોની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. ઝરણા માતાજી દ્વારા લક્ષચન્ડી હવનનું આયોજન કરવામાં આવે છે. ગુરુદેવ મીરાંમાંના જન્મ દિવસ અને રાંદલ માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી ભારે ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. ભાવનગર જિલ્લમાં રાંદલ માતાજી અને સૂર્ય નારાયણ ભગવાન સાથે હોય તેવું આ પ્રથમ મંદિર છે. ભક્તજનો પોતાની આસ્થા અને માનતા સાથે માતાજી ના દર્શન માટે આવે છે. રાંદલ માતાજી પાસે ખાસ કરીને બહેનો મોટી સઁખ્યામા દર્શન માટે આવે છે અને સેર માટીની ખોટ પુરાય તે માટે પ્રાર્થના કરે છે અને હસતા મોઢે પરત ફરે છે મંદિરે આવતા ભકતજનો દર્શન કરી શાંતિ મેળવી ધન્ય થાય છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા