ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 04:30 PM, 1 March 2024
ADVERTISEMENT
માર્ચ મહિનામાં સૂર્ય અને રાહુની યુતિ થઈ રહી છે. આ યુતિથી કઈ રાશિના જાતકોએ સાવધાન રહેવું જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. આવો જાણીએ સૂર્ય અને રાહુની યુતિથી કયા યોગનું નિર્માણ થઈ રહ્યું છે. 25 વર્ષ પછી સૂર્ય અને રાહુની યુતિનું નિર્માણ થઈ રહ્યું છે. રાહુ પહેલેથી જ મીન રાશિમાં બિરાજમાન છે, સૂર્ય 14 માર્ચના રોજ મીન રાશિમાં ગોચર કરશે. 14 માર્ચના રોજ મીન રાશિમાં સૂર્ય અને રાહુની યુતિ થશે. આ યુતિના કારણે કેટલાક શુભ અને અશુભ ગ્રહણ યોગનું નિર્માણ થશે. આ યોગથી કઈ રાશિના જાતકોએ સાવચેત રહેવું તે અહીંયા જણાવવામાં આવ્યું છે.
ADVERTISEMENT
આ રાશિના જાતકો પર અસર થશે
સિંહ- આ રાશિના જાતકો પર સૂર્ય અને રાહુની કુદ્રષ્ટી પડશે. સૌથી વધુ આરોગ્ય પર અસર થઈ શકે છે, હોસ્પિટલના ધક્કા ખાવા પડી શકે છે. આરોગ્ય બાબતે સાવધાન રહેવું. આવકમાં ઘટાડો થશે અને ખર્ચ વધુ રહેશે. બિઝનેસમાં રોકાણ કરવાથી આર્થિક નુકસાન થાય છે.
તુલા- આ રાશિના જાતકો પર ગ્રહણ યોગની નકારાત્મક અસર થઈ શકે છે. જીવનસાથી સાથે કોઈ બાબતે બોલવાનું થઈ શકે છે. અનેક પ્રકારની સમસ્યા થઈ શકે છે. દુશ્મન પર ભારે પડી શકો છો. કોઈ જૂની બિમારીને કારણે પરેશાન થઈ શકો છો. કોઈપણ વ્યક્તિને ઉઘાર આપવાથી પૈસા અટકી શકે છે.
ADVERTISEMENT
કુંભ- આ રાશિના જાતકો પર સૂર્ય અને રાહુની નકારાત્મક અસર તઈ શકે છે. વધુ વાદ વિવાદમાં પડવું નહીં. ઋતુગત બિમારી થઈ શકે છે. વાહન ચલાવતા સમયે ખાસ ધ્યાન રાખવું, નહીંતર દુર્ઘટના થઈ શકે છે.
વધુ વાંચો: Grah Gochar: માર્ચમાં આ 6 રાશિના જાતકોની કિસ્મત હીરાની જેમ ચમકી ઉઠશે, થશે લાભ જ લાભ
ADVERTISEMENT
ઉપાય- ગ્રહણ યોગથી બચવા માટે સતત એક મહિના સુધી ભગવાન સૂર્યની પૂજા કરવી. સ્નાન કર્યા પછી ભગવાન સૂર્યને જળનું અર્ધ્ય ધરવું, જેથી પરેશાની ઓછી થશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો