બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
Dinesh
Last Updated: 07:28 PM, 20 April 2024
લોકસભા ચૂંટણીને લઈ રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. સુરત લોકસભા બેઠક ભારે ચર્ચામાં આવી છે કારણ કે, જ્યાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનો ઉમેદવાર પત્ર રદ્દ થાય તેવી ચર્ચાઓ જોર પકડ્યું છે. કોંગ્રસી ઉમેદવારના ટેકેદાર રમેશ પોલરા, જગદિશ સાવલિયા અને ધ્રુવિન ધામેલિયામાંથી બે જણા સંપર્ક વિહોણા થયા છે. સાથો સાથ તેમણે કલેક્ટર સમક્ષ દાવો કર્યો છે તેમની સહી ખોટી કરાઈ છે. નિલેશ કુંભાણીના તેના ટેકેદારોનો સંપર્ક કરી શક્યા નથી.
પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરાઈ
આ મુદ્દે સુરત કોંગ્રેસના ઉમેદવાર પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા પહોંચ્યા હતાં. જ્યાં ગુમ થયેલા ટેકેદારો અંગે ઉમરા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે. ટેકેદારો અંગે ફરિયાદ નોંધાવવાની વાત કરી છે. આ તમામ પોલિક્ટિસ ડ્રામા વચ્ચે એક મહત્વની વાત પણ છે કે, આ તમામ ટેકેદારો ઉમેદવારના ખાસ માણસો હતા.
ત્રણેય ઉમેદવારના ખાસ હતા
આ ત્રણેય ટેકેદાર નિલેશ કુંભાણીના ખાસ હતા. જેમાં ધ્રુવિન ધામેલિયા નિલેશ કુંભાણીના મિત્ર છે તો રમેશ પોલારા નિલેશ કુંભાણીના ભાગીદાર છે. વાત જગદીશ સાવલિયા કરવામાં આવે તો તેઓ કુંભાણીના બનેવી છે
આ સમજવું અઘરૂ છે!
આ મુદ્દે અનેક તર્ક વિતર્કના સવાલો ઉભા થાય છે. જેમ કે, કુંભાણીના ટેકેદારો કલેક્ટર સામે હાજર થયા પછી ક્યાં ગયા? તેમજ કુંભાણી કહે છે કે મારા સંપર્કમાં નથી તો બીજી તરફ કલેક્ટર કહે છે કે 1 વાગે અમારી સમક્ષ હાજર થયા છે. સાથો સાથ કલેક્ટરનો લેટર કહે છે કે કુંભાણીના ટેકેદારોએ એફિડેવિટ આપ્યું છે. શું કુંભાણી જ સુરતમાં ભાજપને વોકઓવર આપી રહ્યાં છે? સામાન્ય નાગરિકને સમજવામાં આ વિચિત્ર વાત નથી? ટેકેદારો કલેક્ટરને એફિડેવિટ આપી ગ્યા પણ કુંભાણીને જાણ ન કરી? નિલેશ કુંભાણીના ટેકેદારો એમના જ કીધામાં નથી? કે પછી નિલેશ કુંભાણીએ વાસ્તવમાં જાતે જ સહી કરી? કુંભાણીની લીગલ ટીમે જાતે ટેકેદારોનું ફોર્મ ભર્યું? સુરતના મેગા ડ્રામાં વિલન કોણ છે તે સૌથી મોટો સવાલ છે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા