બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
Hiren
Last Updated: 12:03 AM, 31 May 2020
લૉકડાઉન અને કોરોના સંકટમાં જ્યાં દેશ આર્થિક ભીંસથી પસાર થઈ રહ્યો છે ત્યારે હાલમાં એક અફવાએ જોર પકડ્યું છે તેવું કહી શકાય. પરંતુ જો આ અફવાને સાચી માનવામાં આવે તો કે.વી કામથની નિર્મલા સીતારામણની જગ્યાએ દેશના નવા નાણામંત્રી તરીકે નિમણૂક કરી શકાય છે. આ ચર્ચાને વધુ જોર ત્યારે મળ્યું જ્યારે કોંગ્રેસ નેતા પી.ચિંદમ્બરમના પુત્ર અને સાંસદ કાર્તિ ચિદમ્બરમે પણ સ્પષ્ટ સંકેત આપતી ટ્વિટ કરી હતી.
ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાંક સમયથી આ વાતો સમયાંતરે ઉડતી રહી છે. આ અગાઉ મોદી સરકારના સામાન્ય બજેટ બાદ નિર્મલા સીતારામણની જગ્યાએ કે.વી કામથને નાણામંત્રી બનાવવાની વાત વહેતી થઈ ચૂકેલી છે. ત્યારે ફરી એક વખત દિલ્હીમાં આ ચર્ચાએ જોર પકડ્યું છે.
મહત્વનું છે કે આ સપ્તાહની શરૂઆત સુધી 72 વર્ષીય કે.વી કામથ 2015માં BRICS દેશોની ન્યૂ ડેવલપમેન્ટ બૅંક (NDB)ના ચૅરમેનપદે કાર્યરત હતાં. તેમના સ્થાને હવે બ્રાઝિલના માર્કોસ પ્રાડો ત્રોજ્યો ચેરમેનપદે નિયુક્ત થયાં છે.
ચર્ચાએ જોર કેમ પકડ્યું
આ ચર્ચાઓનું જોર પકડવાનું મુખ્ય કારણ કે.વી કામથની PM મોદી સાથેની મુલાકાત છે. તેમણે તાજેતરમાં પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત કોંગ્રેસના દિગ્ગજ નેતા પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમે પણ આ જ વાતનો સંકેત આપતી એક ટ્વિટ કરી હતી. જેના બાદ ચર્ચાએ દિલ્હીમાં વધુ જોર પકડ્યું હતું.
A little birdie tells me that “cometh” the hour in North Block
— Karti P Chidambaram (@KartiPC) May 30, 2020
કોણ છે કે.વી કામથ?
કે.વી કામથ એક જાણીતા બૅન્કર છે અને તેઓ BRICS બૅંકના ચેરમેન બન્યાં તે અગાઉ ઈન્ફોસીસના ચૅરમેનપદે પણ રહી ચૂક્યાં છે. તેમણે પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ બ્રિક્સના પાંચ સભ્યોના નેતૃત્વ હેઠળની નેશનલ ડેવલપમેન્ટ બૅંક (NDB)ના અધ્યક્ષપદેથી ગત બુધવારે પદ છોડ્યું હતું. બ્રિક્સ દેશોની નવી બૅંકોનું એકીકરણ કરવામાં તેમનો મહત્વનો ફાળો રહ્યો છે. કામથને સ્ક્રૅચથી બહુપક્ષીય લોન આપનારી સંસ્થાના નિર્માણ કરવાનો મુખ્ય શ્રેય આપવામાં આવે છે.
જો મોદી સરકાર દેશમાં ચાલી રહેલી આર્થિક કટોકટીની વચ્ચે હાલમાં કે.વી કામથને નાણામંત્રી તરીકે લાવે છે તો સ્ટોક માર્કેટમાં ચોક્કસપણે હકારાત્મક અસર જોવા મળશે તેમ પણ કહેવામાં આવી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા