બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
Vishal Khamar
Last Updated: 08:42 AM, 30 March 2024
ભારતીય નૌકાદળે ફરી એક વખત ચાંચિયાઓ પર જીત મેળવી છે અને ઈરાનના એક જહાજને તેમના ચુંગાલમાંથી બચાવી લીધું છે. તે ઈરાની માછીમારીનું જહાજ હતું, જેની સાથે ભારતીય નૌકાદળે પણ 23 પાકિસ્તાની ક્રૂને સુરક્ષિત રીતે બચાવ્યા હતા. 12 કલાકથી વધુ સમય સુધી ચાલેલા ઓપરેશન અંગે નેવીએ તેના નિવેદનમાં કહ્યું કે, અમારી નિષ્ણાત ટીમ આ વિસ્તારની તપાસ કરશે, જેથી આ વિસ્તાર માછીમારી અને અન્ય સામાન્ય પ્રવૃત્તિઓ માટે ફરીથી સુરક્ષિત બને. ગુરુવારે જ આ જહાજને ચાંચિયાઓએ કબજે કરી લીધું હતું. ત્યારબાદ નેવીએ તેમને બચાવવા માટે ઓપરેશન શરૂ કર્યું હતું.
Indian Navy rescues 23 Pakistanis from Somali pirates in Arabian Sea operation
— ANI Digital (@ani_digital) March 29, 2024
Read @ANI Story | https://t.co/jpy3YDeROQ#IndianNavy #ArabianSea #Pakistan #Somalia #Pirates pic.twitter.com/MDinRxCrXV
શુક્રવારે બહાર આવેલી માહિતી અનુસાર, ભારતીય નૌકાદળે ચાંચિયાઓના હુમલાનો જવાબ આપ્યો અને કલાકોની આકરી કાર્યવાહી બાદ ભારતીય નૌકાદળ દ્વારા 23 પાકિસ્તાની નાગરિકોના ક્રૂને બચાવી લેવામાં આવ્યા છે. તે જ સમયે, ઈરાની ફિશિંગ જહાજ 'AI Kanbar 786' પર સવાર ચાંચિયાઓએ આત્મસમર્પણ કર્યું છે. નૌકાદળને 28 માર્ચની સાંજે ઈરાનના માછીમારી જહાજ 'અલ કંબર 786' પર ચાંચિયાઓએ કરેલા હુમલાની માહિતી મળી હતી.
Major anti-piracy operation by the Indian Navy in progress in the Arabian Sea. More details awaited: Indian Navy officials pic.twitter.com/DrDZWfBG3s
— ANI (@ANI) March 29, 2024
આવી માહિતી મળતાની સાથે જ નેવીએ જવાબી કાર્યવાહી કરીને ઈરાની જહાજને બચાવવા માટે અરબી સમુદ્રમાં દરિયાઈ સુરક્ષા કામગીરી માટે તૈનાત બે જહાજોને તૈનાત કર્યા હતા. નૌકાદળે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઘટના સમયે, જહાજ સોકોત્રાથી લગભગ 90 એનએમ દક્ષિણ-પશ્ચિમમાં હતું અને તેમાં નવ સશસ્ત્ર ચાંચિયાઓ હોવાનું જાણવા મળ્યું હતું. હાઇજેક કરાયેલ FV 29 માર્ચે અટકાવવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે સોકોત્રા દ્વીપસમૂહ ઉત્તર પશ્ચિમ હિંદ મહાસાગરમાં એડનની ખાડી પાસે છે. તાજેતરના મહિનાઓમાં એડનની ખાડી નજીક વેપારી જહાજો પર વધતા હુમલાઓને કારણે ભારતીય નૌકાદળે તેની તકેદારી વધારી છે.
વધુ વાંચોઃ બાંગ્લાદેશના વિપક્ષની ચાંપલૂસી, ભારત સામે ખોલ્યો મોરચો, PM શેખ હસીનાએ આપ્યો 'મસાલેદાર' જવાબ
5 જાન્યુઆરીના રોજ, ભારતીય નૌકાદળે લાઇબેરિયન-ધ્વજવાળા જહાજ એમવી લીલા નોરફોકને સોમાલિયાના દરિયાકાંઠે ચાંચિયાઓએ હાઇજેક કર્યા પછી બચાવ્યું હતું. 23 માર્ચે નૌકાદળના વડા એડમિરલ આર હરિ કુમારે જણાવ્યું હતું કે નૌકાદળ હિંદ મહાસાગર ક્ષેત્રને વધુ સુરક્ષિત કરવા માટે જરૂરી કાર્યવાહી કરશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા