બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / cancer cases can increase upto 77 percent by 2050 says a study
Manisha Jogi
Last Updated: 04:30 PM, 3 February 2024
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર વિશ્વમાં વર્ષ 2050 સુધીમાં કેન્સરના 35 મિલિયન (3.5 કરોડ) નવા કેસ સામે આવશે. વર્ષ 2022માં કેન્સરના 20 મિલિયન કેસ સામે આવ્યા હતા. દર વર્ષે 4 ફેબ્રુઆરીના રોજ વિશ્વ કેન્સર દિવસ ઊજવવામાં આવે છે. WHO રિપોર્ટ અનુસાર 115 દેશોમાં સર્વે કરવામાં આવ્યો હતો, જેના પરથી જાણવા મળ્યું છે કે, કેન્સરને રોકવા અને તેના ઈલાજ માટે વધુ આર્થિક સુવિધા ઉપલબ્ધ નથી.
કેન્સરના કેસ શા માટે વધી રહ્યા છે?
રિપોર્ટ અનુસાર વર્ષ 2022 સુધીમાં કેન્સરના કારણે 10 મિલિયન લોકોના મૃત્યુ થયા હતા. દર પાંચ લોકોમાંથી એક વ્યક્તિને કેન્સર થવાનું જોખમ છે. કેન્સરના કારણે દર 9 પુરુષમાંથી એક પુરુષનું અને દર 12 મહિલાઓમાંથી એક મહિલાનું મૃત્યુ થવાનું જોખમ છે.
કેન્સરથી કેવી રીતે બચી શકાય?
વેઈટ મેનેજમેન્ટ- વજન મેઈન્ટેઈન કરવાથી કેન્સર થવાનું જોખમ રહેતું નથી. વજન ના વધે તે માટે હેલ્ધી ડાયટ, હેલ્ધી લાઈફસ્ટાઈલ, એક્સરસાઈઝ અને થેરાપીની મદદ લેવી.
હેલ્થ ચેકઅપ- નિયમિતરૂપે હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ. મહિલાઓએ દર વર્ષે પૈપ સ્મીયર ટેસ્ટ કરાવવો. શરીરમાં કોઈપણ પ્રકારનો ફેરફાર દેખાય તો ડોકટરની સલાહ લેવી અને ઈલાજ કરાવવો.
એક્ટીવ રહેવું- નિયમિતરૂપે કસરત કરવી. ફિઝિકલી એક્ટીવ રહેવાથી કેન્સર થવાનું જોખમ ઓછું રહે છે.
તમાકુંનું સેવન ના કરવું- તમાકુનું સેવન કરવાથી વિભિન્ન પ્રકારના કેન્સર તથા અન્ય હેલ્થ પ્રોબ્લેમ થવાનું જોખમ વધી જાય છે. આ કારણોસર તમાકુનું સેવન ના કરવું.
હેલ્ધી ડાયટ- પ્રોસેસ્ડ અને અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડનું સેવન ના કરવું. લાલ મટન અને પ્રોસેસ્ડ મટનનું સેવન ના કરવું. નિયમિતરૂપે ભોજનમાં દાળ, અનાજ, તાજા ફળ અને શાકભાજી શામેલ કરવા. સેચ્યુરેટેડ ફેટયુક્ત વસ્તુનું સેવન ના કરવું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા