બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / ashwin kotwal may joine bjp started jansampark

કોંગ્રેસને ફટકો ? / કોંગ્રેસથી નારાજ ધારાસભ્ય અશ્વિન કોટવાલ કોંગ્રેસથી ફાડશે છેડો? ભાજપમાં જોડાશે તેવી ચર્ચા

Khyati

Last Updated: 11:11 AM, 25 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ જોડાઇ શકે છે ભાજપમાં-સૂત્ર, અશ્વિન કોટવાલ કોંગ્રેસ સાથે છેડો ફાડશે

  • 022 વિધાનસભાની ચૂંટણીને લઇ મોટા સમાચાર
  • અશ્વિન કોટવાલ કોંગ્રેસ સાથે છેડો ફાડશે
  • 4 ટર્મથી ચૂંટાતા અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાશે: સૂત્ર

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાનો દોર શરૂ થવાના એંધાણ પૂરેપૂરા વર્તાઇ ચૂક્યા છે. કોંગ્રસ પાર્ટીથી નારાજ થયેલા ધારાસભ્યોના રિસામણા મનામણા ચાલી રહ્યા છે. ત્યારે કોંગ્રેસમાં વધુ એકવાર ભંગાણ થવાના વરતારા દેખાઈ રહ્યા છે. ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા ધારાસભ્ય અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાશે તેવી વાતોએ જોર પકડયું છે. 

અશ્વિન કોટવાલ જોડાશે ભાજપમાં-સૂત્ર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે તેવી થઇ છે. કોંગ્રેસમાં નારાજગી અને પક્ષપલટાનો દોર શરુ થયો છે.  ત્યારે ઘણા સમયથી નારાજ ચાલી રહેલા  કોંગ્રેસના ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ ટૂંક સમયમાં ભાજપમાં જોડાઇ શકે છે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી છે. અગાઉ ખેડબ્રહ્મા તાલુકા પંચાયત પણ તૂટી હતી ત્યારે હવે ફરી એકવાર કોંગેસને ફટકો પડી શકે છે. મહત્વનું છે કે  અશ્વિન કોટવાલ પ્રદેશ હાઇકમાન્ડ સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે ત્યારે હવે જો અશ્વિન કોટવાલ પણ હાથનો સાથ છોડશે તો ગુજરાત કોંગ્રેસને ફટકો પડશે.

અશ્વિન કોટવાલે મતવિસ્તારમાં જનસંપર્ક શરૂ કર્યા

અશ્વિન કોટવાલે કોંગ્રેસથી નારાજ છે તે વાત નક્કી પરંતુ તેઓ કયા પક્ષમાં જોડાશે તેને લઇને  ચર્ચાનો દોર શરુ થઇ ગયોછે. તો બીજી તરફ અશ્વિન કોટવાલે જનસંપર્ક શરુ કર્યો છે.  જનસંપર્ક બાદ ભાજપમાં જોડાવું કે કેમ તે અંગે નિર્ણય જાહેર કરશે. આગામી અઠવાડિયા સુધીમાં પોતાનો નિર્ણય જાહેર કરી શકે છે. કોંગ્રેસમાં રહેવું કે ભાજપમાં જવું તે અંગે સત્તાવાર જાહેરાત કરશે.

અશ્વિન કોટવાલ પર ચર્ચા કેમ 

છેલ્લા કેટલાક સમયથી અશ્વિન કોટવાલે કોંગ્રેસથી દૂરી બનાવી છે
અશ્વિન કોટવાલ કોંગ્રેસ છોડે તેવી ચર્ચા થઇ રહી છે 
અશ્વિન કોટવાલ દિલ્લીમાં ભાજપ નેતાને મળ્યાની પણ ચર્ચા 
કોંગ્રેસ નેતાઓ અશ્વિન કોટવાલને સમજાવી ચુક્યા છે

કોંગ્રેસ માટે ચિંતાનો વિષય

મહત્વનુ છે કે ખેડબ્રહ્મા સીટ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસનો ગઢ રહી છે. અહીં કોંગ્રેસ 3-4 ટર્મથી જીતતી આવી છે. અશ્વિન કોટવાલ થકી  કોંગ્રેસ ઉત્તર ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં સારુ પ્રભૂત્વ મેળવી રહી છે. આવા સમયમાં કોંગ્રેસ  આદિવાસી મતદારોને પોતાની તરફ આકર્ષવા માટેના જે  કાર્યક્રમો કરી રહી છે તેમાં અશ્વિન કોટવાલની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી. જે આવનાર ચૂંટણીને લઇને આદિવાસી મતવિસ્તારોનો આકર્ષવા કોંગ્રેસ માટે ઘણી ચિંતાજનક સાબિત થઇ શકે છે.

કૈલાશ ગઢવીએ પણ કોંગ્રેસનો છોડ્યો સાથ

મહત્વનું છે કે  ગુજરાત કોંગ્રેસના વધુ એક નેતાએ કોંગ્રેસના હાથનો સાથ છોડ્યો છે. કોંગ્રેસના પૂર્વ નેતા કૈલાશ ગઢવીએ ટ્વીટ કરી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. કૈલાશ ગઢવીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસ સત્તા બનાવવામાં નિષ્ફળ જઇ રહી છે જેને કારણે તેમના કાર્યકરોને નુકસાન થઇ રહ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ