આ પહેલા અયોધ્યાનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો રામ મંદિરના પક્ષમાં આવ્યો હતો. ત્યારે રશીદે કહ્યું હતું કે ભારતમાં હવે હિંદુવાદી તાકાતો હાવી થઈ ગઈ છે.
મંગળવારે એક નિવેદનમાં ઈમરાનના રેલ મંત્રી શેખ રશીદે કહ્યું કે ભારતમાં સેક્યૂલરિઝમ પર જ સવાલ ઉઠી રહ્યા છે. કહ્યું કે ભારત હવે રામ નગરમાં પરિવર્તિત થઈ ચૂક્યું છે. ત્યાં સાંપ્રદાયિક્તા વધી રહી છે અને ધર્મ નિરપેક્ષતા એટલે કે સેક્યુલરિજ્મ ખતમ થઈ રહ્યુ છે. સ્પષ્ટ શબ્દોમાં કહુ તો ભારત હવે સેક્યુલર રહ્યુ નથી. ત્યાં લઘુમતિઓને તકલીફ થઈ રહી છે. ભારત હવે હિંદુત્વમાં ઢળી ગયું છે.
રશીદે કાશ્મીરી રાગ આલાપતા કહ્યુ કે આ સંયોગ જ છે કે જે દિવસે મોદીએ રામ મંદિરનું પૂજન કરશે તે જ દિવસે જમ્મુ- કાશ્મીરમાંથી 370 હટ્યાને એક વર્ષ પુરુ થયું છે. કેન્દ્ર સરકારે ગત 5 ઓગસ્ટના રોજ 370 હટાવી હતી. આ સાથે કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો છીનવાયો હતો.રશીદે કહ્યું કે પાકિસ્તાનના મુસલમાન કાશ્મીરીઓની સાથે ઉભા છે. ભારત તેને નક્કી કરવાની તક આપે કે તે કોની સાથે જવા માંગે છે.
આજે સમગ્ર ભારત રામમય છે, સમગ્ર મન દીપમય છે અને આખો દેશ રોમાંચિત છે. સદીઓ જૂનું સ્વપન પૂર્ણ થયું છે. તૂટેલા ફૂટેલા તંબુમાં રહેલા આપણા રામલલા મંદિરમાં બિરાજમાન થશે.#RamMandir #RamMandirAyodhya #RamJanmabhoomi #RamTemple #AyodhyaRamMandir @myogiadityanath @narendramodi @PMOIndia pic.twitter.com/8iZtkf1Ry5
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 5, 2020
મારુ સૌભાગ્ય છે કે, રામજન્મભૂમિ તીર્થ ટ્રસ્ટે મને આમંત્રણ આપ્યું અને આ ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બનવાની તક આપી. આવવું સ્વાભાવિક પણ હતું કારણ કે, राम काज कीन्हे बिनु मोहि कहाँ बिश्राम. આ સાથે જ તેમણે કહ્યું કે, સરયુના કિનારો સ્વર્ણિમ ઇતિહાસ રચાઇ રહ્યો છે. આજે સમગ્ર ભારત રામમય બન્યું છે. સમગ્ર ભારત ભાવુક બન્યું છે.
અયોધ્યામાં રામજન્મ ભૂમિ પર PM મોદીએ પોતાનું સંબોધન જય સીયારામના ઉદ્ઘોષ સાથે શરુ કર્યું, કહ્યું આજે આ ગૂંજ માત્ર અહીં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ગૂંજી રહી છે.#RamMandir #RamMandirAyodhya #RamJanmabhoomi #RamTemple #AyodhyaRamMandir @myogiadityanath @narendramodi @PMOIndia pic.twitter.com/f06U5BqFI0
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 5, 2020
રામલલ્લા વર્ષો સુધી તંબુમાં રહ્યા
તેમણે વધુમાં કહ્યું કે, સદીઓની પ્રતીક્ષાનો અંત આવી રહ્યો છે. રામલલ્લા વર્ષો સુધી તંબુમાં રહ્યા, પરંતુ હવે એક ભવ્ય મંદિર બનાવવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું કે ગુલામીના સમયગાળામાં આઝાદી માટેની આંદોલન ચાલ્યું છે, 15 ઓગસ્ટનો દિવસ તે આંદોલનનું પ્રતીક છે અને શહીદોની ભાવનાઓ છે. તે જ રીતે, પેઢીઓએ રામ મંદિર માટે ઘણી સદીઓથી પ્રયત્ન કર્યો છે, આજે આ દિવસ તે સજ્જતાનું પ્રતીક છે. રામ મંદિરના ચાલતા આંદોલનમાં અર્પણ-તર્પણ-સંઘર્ષ-ઠરાવ યોજાયો હતો.
A grand temple will now be built for our Ram Lalla who had been staying in a tent. Today Ram janmbhoomi breaks free of the cycle of breaking and getting built again - that had been going on for centuries: PM Narendra Modi. #RamMandir pic.twitter.com/xohyQreFs6
— ANI (@ANI) August 5, 2020
મંદિર આધુનિકતાનું પ્રતીક બનશે : PM મોદી
પીએમ મોદીએ કહ્યું કે રામ આપણા બધાની અંદર છે, ભળી ગયા છે. પીએમે વધુમાં કહ્યું કે, ભગવાન રામની શક્તિ જુઓ, ઇમારતો નાશ પામી અને શું ન થયું. અસ્તિત્વને નાબૂદ કરવાનો પ્રયાસ થયો હતો, પરંતુ રામ હજી પણ આપણા મનમાં છે. હનુમાનજીના આશીર્વાદથી રામ મંદિર બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે, આ મંદિર આધુનિકતાનું પ્રતીક બનશે. આ મંદિર આપણી રાષ્ટ્રીય ભાવનાનું પ્રતીક બનશે, તે કરોડો લોકોની સામૂહિક સંકલ્પ શક્તિનું પ્રતીક પણ બનશે.પીએમ મોદીએ કહ્યું કે આ મંદિર આગામી પેઢીઓના સંકલ્પને પ્રેરણારૂપ બનાવશે. દુનિયાભરના લોકો અહીં આવશે, અહીંના લોકોને તકો મળશે.
ભારતની આ શક્તિ સમગ્ર વિશ્વ માટે અભ્યાસનો વિષય છે.
આજે દેશના લોકોના સહયોગથી રામ મંદિરનું નિર્માણ શરૂ થયું છે, જેમ રામ પથ્થર પર શ્રી રામ લખીને રામ સેતુ બનાવવામાં આવ્યા હતા, તે જ રીતે ઘરે ઘરેથી આવેલ પત્થરો શ્રદ્ધાનો સ્રોત બની ગયા છે. આ ન તો ભૂતકાળ છે કે ન ભવિષ્ય છે. પીએમ મોદીએ કહ્યું કે ભારતની આ શક્તિ આખા વિશ્વ માટે અભ્યાસનો વિષય છે
યોગી આદિત્યનાથનું નિવેદન
ભૂમિપૂજન કાર્યક્રમ બાદ સંબોધન કરવામાં આવી રહ્યું છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે પાંચ સદીઓ બાદ આજે 135 કરોડ ભારતીયોનો સંકલ્પ પૂરો થઈ રહ્યો છે. દેશમાં લોકશાહી પદ્ધતિઓથી મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
Under the leadership of PM Narendra Modi, the power of India's democratic values and its judiciary has shown the world that how can matters by resolved peacefully, democratically and constitutionally: UP CM Yogi Adityanath at #RamTemple event in Ayodhya. pic.twitter.com/wwQ59JUzvk
— ANI (@ANI) August 5, 2020
આ ઘટનાની પ્રતિક્ષામાં અનેક પેઢીઓ પસાર થઇ ગઈ છે. સીએમ યોગીએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સમજ અને પ્રયત્નોને કારણે આજે સંકલ્પ પૂરો થઈ રહ્યો છે. અમે ત્રણ વર્ષ પહેલા અયોધ્યામાં દીપોત્સવનો કાર્યક્રમ શરૂ કર્યો હતો, આજે તે સાબિત થઈ રહ્યો છે. યુપીના સીએમએ કહ્યું કે રામાયણ સર્કિટનું કામ સરકાર વતી શરૂ કરવામાં આવ્યું હતું, સાથે જ અયોધ્યામાં પણ વિકાસ કામ ચાલી રહ્યું છે.
30 વર્ષ બાદ સંકલ્પ પૂર્ણ થયો, દેશમાં આનંદની લહેર : RSS સુપ્રીમો મોહન ભાગવત
અયોધ્યામાં સંઘ સુપ્રીમો મોહન ભાગવતે કહ્યું હતું કે, આજે આનંદની ક્ષણ છે, એક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. ત્યારે સંઘ પ્રમુખ દેવવ્રત જીએ કહ્યું હતું કે 20-30 વર્ષ કામ કરવાનું રહેશે, તો પછી આ કામ કરવું પડશે. આજે, 30 વર્ષના પ્રારંભમાં કામ શરૂ થયું છે. રોગચાળાને લીધે ઘણા લોકો આવી શક્યા ન હતા, લાલકૃષ્ણ અડવાણી જી પણ આવી શક્યા નથી. દેશમાં હવે સ્વાવલંબન તરફનું કામ ચાલી રહ્યું છે, મહામારીપછી, આખું વિશ્વ નવા માર્ગો શોધી રહ્યું છે, મંદિર બનશે તેમ, રામની અયોધ્યા પણ બનાવવી જોઈએ. જે મંદિર આપણા મનમાં બાંધવું જોઈએ અને કપટ છોડી દેવું જોઈએ.
Poore desh mein aaj anand ki lehar hai. Sadiyon ki aas poore hone ka anand hai. Sabse bada anand hai Bharat ko atmanirbhar banane ke liye jis atma vishwas ki awashikta thi uska sagun-saakaar adhishthan aaj ho raha hai: RSS Chief Mohan Bhagwat at Ayodhya pic.twitter.com/pTiOHUGVNu
— ANI (@ANI) August 5, 2020
નૃત્ય ગોપાલદાસજીનું નિવેદન
રામ જન્મભૂમિ ટ્રસ્ટના વડા અને મંદિરના મહંત નૃત્ય ગોપાલ દાસે કહ્યું કે લોકો અમને પૂછતા હતા કે મંદિર ક્યારે બનશે? અમે કહ્યું હતું કે જ્યારે એક તરફ મોદી છે અને બીજી બાજુ યોગી છે, ત્યારે હવે નહીં બને તો ક્યારે બનશે. હવે લોકોએ શરીર, મન અને સંપત્તિથી મંદિર નિર્માણમાં ભાગ લેવો જોઈએ અને કામ આગળ વધવું જોઈએ. આ વિશ્વના દરેક હિન્દુની ઇચ્છા હતી. મંદિરનું નિર્માણ એ નવા ભારતનું નિર્માણ છે, તે વહેલી તકે પૂર્ણ થવું જોઈએ.
I have been asked many times when will #RamTemple be constructed. Now, it will be constructed soon. The wishes of devotees will be fulfilled: President of Ram Mandir Trust Nitya Gopal Das at #Ayodhya pic.twitter.com/SyiWYcNu9L
— ANI (@ANI) August 5, 2020
PM મોદી માસ્ક પહેરીને હેલિકોપ્ટરથી પહોંચ્યા અયોધ્યા, સીએમ યોગી આદિત્યનાથે કર્યું સ્વાગત
PM મોદીએ માથા પર મુગુટથી સજ્જ પાઘડી સાથે હનુમાનગઢીમાં પૂજા કરી છે અને સાથે જ પૂજા બાદ પીએમ મોદીએ અહીં પરિક્રમા કરી છે. અહીંથી તેઓ રામમંદિર ભૂમિપૂજન માટે રવાના થશે. શેષનાગની પૂજા, કાચબાની પૂજા કરશે.
છેલ્લા કેટલાક દિવસોથી સરકારે 111.98 લાખ નવા ખેડૂતોએ કેસીસી સ્કીમનો લાભ લીધો છે. તેના આધારે 89,810 કરોડ રૂપિયાનું ઉધાર લીધું છે. આ આંકડા કેસીસીના લગભગ પોણા આઠ કરોડ લાભાર્થીના છે. ઉલ્લેખનીય છે કે કેસીસીને 24 ફેબ્રુઆરીથી પીએમ કિસાન સ્કીમની સાથે જોડીને કાર્ડ બનાવવાની પ્રોસેસ કરી છે.
હવે સરળ બન્યું કેસીસી બનાવવાનું
પહેલાં બેંક ખેડૂતોને લોન આપવામાં આનાકાની કરતી હતી. મોદી સરકારે પીએમ કિસાન સન્માન નિધિ સાથે જોડાયેલા ખેડૂતો માટે કેસીસી ફોર્મ ભરવાનું સરળ બનાવ્યું છે. તેમના રેવન્યૂ રેકોર્ડ, બેંક એકાઉન્ટ અને આધાર કાર્ડને કેન્દ્ર સરકાર પહેલાં જ અપ્રૂવ્ડ કરી રહી છે. સરકારે આ વર્ષે 15 લાખ કરોડ રૂપિયાનો કૃષિ લોન આપવાનું નક્કી કર્યું છે.
મળશે સૌથી સસ્તી લોન
કિસાન ક્રેડિટ કાર્ડ પર વ્યાજનો દર 4 ટકા છે. સિક્યોરિટી વિના 1.60 લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે. સમયાંતરે તેને ચૂકવવા માટે લોનની રકમ 3 લાખ રૂપિયા સુધી વધારી પણ શકાય છે.
ક્યાંથી મળશે કેસીસી ફોર્મ
સૌ પહેલાં તમે https://pmkisan.gov.in/ પર જાઓ. આ વેબસાઈટમાં ફોર્મર ટેબમાં કેસીસી ફોર્મનો વિકલ્પ મળશે.
કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવા ફોર્મ ડાઉનલોડ કરો. ફોર્મને પ્રિન્ટ કર્યા બાદ તમારે તેને ભરવાનું રહેશે.
કેવી રીતે કરી શકાશે અરજી
ऐसी खबर है कि बिहार पुलिस को मुंबई में stay and movement के लिये कोई सहयोग नहीं मिल रहा. मैं अपना ऑफ़िस, जहां हर तरह की सुविधा है, ख़ाली करने को तय्यार हूँ. गाड़ी और ड्राइवर भी मैं दूँगा, बिहार पुलिस की जाँच रुकनी नहीं चाहिए. https://t.co/jR6mQYoLCN
— Manoj Muntashir (@manojmuntashir) August 5, 2020
મનોજ મુંતશીરે લખ્યુ કે, બિહાર પોલિસને મુંબઇમાં રહેવા અને તપાસ માટે કોઇ સહયોગ મળી રહ્યો નથી ત્યારે તે તેમની ઑફિસ ખાલી કરવા તૈયાર છે જ્યાં દરેક પ્રકારની સુવિધા છે.
મનોજની આ ટ્વિટ પર ફેન્સ ખૂબ કમેન્ટ કરી રહ્યા છે અને મનોજે તેમ પણ લખ્યુ છે કે તે તેમની ગાડી અને ડ્રાઇવર પણ આપશે બસ બિહાર પોલિસની તપાસ ન અટકવી જોઇએ.
વધુમાં તેમણે લખ્યુ કે તેમને તે લોકોની નિયતી પર શંકા છે જે સુશાંતનો કેસ સીબીઆઇને સોંપવાના વિરુદ્ધમાં છે. તે વાત સાફ છે કે કોઇ મોટા માણસને બચાવવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. એક 74 વર્ષનો પિતા તમારી સામે આશાથી જોવે છે. જસ્ટિસ ફોર સુશાંતની મુહિમ તમારા હવાલે છે.
તમને જણાવી દઇએ કે, 14 જૂનના રોજ સુશાંત સિંહ રાજપૂતે તેમના મુંબઇના ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી પરંતુ તેનો પરિવાર અને ઘણા નજીકના લોકો માની નથી રહ્યાં કે તેમણે આત્મહત્યા કરી હશે તેના માટે તપાસ ચાલી રહી છે.
રામમંદિર ભૂમિપૂજન સમયે CM રૂપાણીએ સંદેશ આપ્યો હતો કે, રામ મંદિરના નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ થશે. ભારત સર્વશક્તિમાન બને તે માટે રામ પ્રભુના ચરણોમાં પ્રાર્થના છે. સૌ રામભક્તોને શુભકામનાઓ. પાંચ શતાબ્દીની તપસ્યા અને શ્રદ્વાથી ભૂમિપૂજન સાકાર થયું છે. શ્રીરામના જન્મસ્થળે રામ મંદિરનું નિર્માણ થશે.
ગુજરાતી તરીકે આપણે સૌ ગૌરવ લઇ શકીએ કે રામમંદિરના નિર્માણમાં ગુજરાતના અનેક કારસેવકો અને અનેક ગુજરાતીઓનું યોગદાન પહેલેથી રહ્યું છે. જેમને હું શત શત પ્રણામ કરું છું.
— Vijay Rupani (@vijayrupanibjp) August 5, 2020
જય શ્રી રામ
जय श्री राम।#JaiShriRam pic.twitter.com/diUGZv99Lm
સુરતમાં ઉજવણી
ભાજપ પ્રદેશ અધ્યક્ષ C R Patil રામમંદિર શિલાન્યાસ નિમિત્તે સુરતમાં વરાછા ખાતે કાર્યક્રમમાં હાજરી આપી હતી અને ભગવાન રામની પૂજા અર્ચના કરી હતી.
દુનિયાની સૌથી જૂની સંસ્કૃતિ છે. રામ ભગવાન આદર્શ છે. મંદિર બને એ લોકોની ઈચ્છા હતી. એ આજે પૂર્ણ થઈ રહી છે. દેશના તમામ જાતિના લોકોએ સમર્થન આપ્યું છે.
ઝડપથી મંદિરનું નિર્માણ થશે. કાર સેવામાં જોડાયેલા લોકોએ શાહિદી વહોરી છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઈ એમનો પણ આભાર. પાકિસ્તાન નક્શામાંથી દૂર થશે. હું પાકિસ્તાનની હરકતને વખોડી કાઢું છું.
પવિત્ર ક્ષણ....જેની રાહ આખું ભારત જોઇ રહ્યું હતું, એ ધન્ય ક્ષણનો સાક્ષાત્કાર આપણે સૌ કરી રહ્યાં છીએ. આ ધન્ય અને ઐતિહાસિક ક્ષણો જેમને કારણે શક્ય બની છે એ આપણાં આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબને વંદન 🙏🏻 pic.twitter.com/Kmm2f4xZcq
— C R Paatil (@CRPaatil) August 5, 2020
રાજકોટમાં ઉજવણી
દેશમાં 500 વર્ષ બાદ શુભઘડી આવી છે. ત્યારે માત્ર અવધમાં નહી પરંતુ સમ્રગ દેશમાં દિવાળી મનાવાઇ રહી છે. રાજકોટના ત્રિકોણ બાગ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના લોકો પણ એકઠા થયા હતા અને મીઠાઈનું વિતરણ કર્યું હતું. આ અવસરે સાંસદ મોહન કુંડારીયા,ભાજપ શહેર પ્રમુખ ધનસુખ ભંડેરી સહિતના વીએચપીના કાર્યકરો હાજર રહ્યો હતો. ત્રિકોણ બાગ ખાતે લોકો ફટાકડા ફોડીને મીઠાઇથી મોંમો મીઠુ કરાવવીને ખુશી વ્યક્ત કરી હતી.
અમદાવાદમાં ઉજવણી
અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજનને લઇ દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. રામમંદિરને લઇને અમદાવાદમાં પણ ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી છે. અમદાવાદમાં VHP દ્વારા અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો. આતશબાજી સાથે મહાઆરતી કરવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં ઉજવણી કરવામાં આવી છે.
રામ મંદિર ભૂમિ પૂજનને માટે અયોધ્યા દુલ્હનની જેમ તૈયાર છે. પીએમ મોદી હેલિકોપ્ટરથી અયોધ્યા પહોંચી ચૂક્યા હતા. PM મોદીએ માથા પર મુગુટથી સજ્જ પાઘડી સાથે હનુમાનગઢીમાં પૂજા કરી છે અને સાથે જ પૂજા બાદ પીએમ મોદીએ અહીં પરિક્રમા કરી છે. એ બાદ PM મોદીએ રામ લલાને રામ મંદિરમાં ગુલાબના ફૂલની માળા ચડાવી છે. અહીં તેઓ શંખનાદની વચ્ચે પૂજા અર્ચના કરી રહ્યા હતી. આ સાથે રામ લલાની પરિક્રમા પણ કરી રામલલાના આર્શિવાદ પણ લીધા છે. તમામ મંત્રોચ્ચાર સાથે પારંપરિક રીતે અને આદરણીય મહેમાનો સાથે પીએમ મોદી રામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. આમ કરનારા એ પહેલા પીએમ બન્યા છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા તેઓ 2 વાગ અયોધ્યાની મુલાકાત લઈ ચૂક્યા છે. પહેલી વાર તેઓ 1992માં અયોધ્યા આવ્યા હતા. એ બાદ તેઓ 2019માં લોકસભાની ચૂંટણી સમયે પીએમ તરીકે જનસભાને સંબોધિત કરવા આવ્યા હતા. પરંતુ તેઓએ રામલલાના દર્શન કર્યા નહોતા.
#WATCH: #RamTemple 'Bhoomi Pujan' concludes at #Ayodhya.
— ANI (@ANI) August 5, 2020
Soil from more than 2000 pilgrimage sites and water from more than 100 rivers was brought for the rituals. pic.twitter.com/DRpoZEKYWw
આ પહેલા ઈન્દિરા ગાંધી પીએમ બનતા 1966, 1979 અને 1975માં અયોધ્યા આવ્યા હતા. જો કે જમીનનો વિવાદ હોવાથી તેનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો. જેથી તેઓએ રામલલાના દર્શન કરવાનું ટાળ્યુ હતુ. આવું જ રાજીવ ગાંધીએ પણ પીએમ તરીકે 2 વાર અને પૂર્વ પીએમ તરીકે 1 વાર અયોધ્યાની મુલાકાત લીધી હતી. રાજીવ ગાંધી પીએમ હતા ત્યારે 1986માં બાબરી મસ્જિદનુ તાળુ ખુલ્યુ હતુ અને 1989માં રામ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. 1984માં ચૂંટણી સભા કરી હતી. તેમજ 1989માં તેઓ રામમંદિરની જાહેરાત કરતા લોકસભાની ચુંટણી અભિયાનની શરુઆત કરી હતી પણ રામલલાથી અંતર જાળવ્યું હતું. એ બાદ વિપક્ષ નેતા તરીકે 1990માં પણ તેઓ અયોધ્યા આવ્યા પણ દર્શન કર્યા નહોતા. ઉલ્લેખનીય છે કે 2016માં પ્રિયંકા વાડ્રા અને રાહુલ ગાંધીએ અહીં હનુમાન મઢીમાં જઈને બજરંગબલીના દર્શન અને પૂજા કરી હતી.
અટલ બિહારી વાજપાઈને રામ મંદિર આંદોલને ‘ફર્શથી અર્શ’ સુધી પહોંચાડી દીધા હતા. વાજપાયી અનેકવાર અયોધ્યા આવ્યા હતા. જોકે તેમણે રામ જન્મભૂમિથી અંતર જાળવી રાખ્યુ હતુ.
રચાયો ઈતિહાસ, PM મોદીએ મૂકી રામ મંદિર માટેની શિલા, સંપન્ન થયો શિલાન્યાસ#RamMandir #RamMandirAyodhya #RamJanmabhoomi #RamTemple #AyodhyaBhoomipoojan #Ayodhya #AyodhyaRamMandir #narendramodi @narendramodi pic.twitter.com/oFjVuye0ic
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 5, 2020
જુઓ પીએમ મોદી દ્વારા કરાઈ રહેલા ભૂમિપૂજનનો વિડિયો
#WATCH live: PM Narendra Modi in Ayodhya for #RamTemple foundation stone laying ceremony. https://t.co/yo5LpodbSz
— ANI (@ANI) August 5, 2020
પીએમ મોદીએ લીધા રામલલાના આર્શિવાદ અને ત્યારબાદ તેઓએ ભૂમિપૂજન કરતાં પહેલાં પારિજાતના છોડનું વૃક્ષારોપણ પણ કર્યું હતું.
अयोध्या: प्रधानमंत्री नरेंद्र मोदी ने रामजन्मभूमि स्थल पर भगवान राम को साष्टांग प्रणाम किया और पूजा अर्चना की। #RamMandir pic.twitter.com/MNQ4JyGBp8
— ANI_HindiNews (@AHindinews) August 5, 2020
પીએમ મોદીએ રામ લલાને રામ મંદિરમાં ગુલાબના ફૂલની માળા ચડાવી છે. અહીં તેઓ શંખનાદની વચ્ચે પૂજા અર્ચના કરી રહ્યા છે. આ સાથે રામ લલાની પરિક્રમા પણ કરી છે. તેઓએ રામલલાના આર્શિવાદ પણ લીધા છે.
#WATCH अयोध्या: प्रधानमंत्री नरेंद्र मोदी ने हनुमानगढ़ी मंदिर में पूजा अर्चना की। इस दौरान उनके साथ उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ भी मौजूद रहे। pic.twitter.com/eFyNb9mBnr
— ANI_HindiNews (@AHindinews) August 5, 2020
PM મોદી માસ્ક પહેરીને હેલિકોપ્ટરથી પહોંચ્યા અયોધ્યા, સીએમ યોગી આદિત્યનાથે કર્યું સ્વાગત. જુઓ વીડિયો
PM મોદીએ માથા પર મુગુટથી સજ્જ પાઘડી સાથે હનુમાનગઢીમાં પૂજા કરી છે અને સાથે જ પૂજા બાદ પીએમ મોદીએ અહીં પરિક્રમા કરી છે. અહીંથી તેઓ રામમંદિર ભૂમિપૂજન માટે રવાના થશે. શેષનાગની પૂજા, કાચબાની પૂજા કરશે.
#WATCH उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ और अन्य ने प्रधानमंत्री नरेंद्र मोदी का अयोध्या में स्वागत किया। #RamMandir pic.twitter.com/OZcoyBVH6S
— ANI_HindiNews (@AHindinews) August 5, 2020
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ પહોંચી ચૂક્યા છે અયોધ્યા
अयोध्या: उत्तर प्रदेश की राज्यपाल आनंदीबेन पटेल राम जन्मभूमि स्थल पहुंचीं।
— ANI_HindiNews (@AHindinews) August 5, 2020
भूमिपूजन समारोह में मंच पर प्रधानमंत्री नरेंद्र मोदी,आरएसएस प्रमुख मोहन भागवत, राम मंदिर ट्रस्ट के प्रमुख नृत्य गोपाल दास, उ.प्र. की राज्यपाल आनंदीबेन पटेल और मुख्यमंत्री योगी आदित्यनाथ मौजूद रहेंगे। pic.twitter.com/5BZBZpk9qn
અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું ભગવાન રામના આર્શિવાદ દેશ પર બની રહે.
भूमि पूजन के मौक़े पर पूरे देश को बधाई
— Arvind Kejriwal (@ArvindKejriwal) August 5, 2020
भगवान राम का आशीर्वाद हम पर बना रहे। उनके आशीर्वाद से हमारे देश को भुखमरी, अशिक्षा और ग़रीबी से मुक्ति मिले और भारत दुनिया का सबसे शक्तिशाली राष्ट्र बने। आने वाले समय में भारत दुनिया को दिशा दे।
जय श्री राम! जय बजरंग बली!
કાર્યક્રમમાં હાજર રહેશે આ મહેમાન
રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના પ્રમુખ મોહન ભાગવત, બાબરી મસ્જિદના પક્ષકાર રહેલા ઈકબાલ અંસારી, અવધેશાનંદ, સ્વામી રામદેવ, ચિદાનંદ મુનિ, સાધ્વી ઋતંભરા, પૂજ્ય પરમાનંદજી મહારાજ, રાઘવાચાર્ય, મહામંડળેશ્વર અખિલેશાનંદ, ડો. શ્યામદેવ દેવાચાર્ય, જગદગુરુ રામાનંદચાર્ય સહિત 135 સાધુ સંધ કાર્યક્રમમાં સામેલ થશે.
PM મોદી અયોધ્યા આવવા થયા રવાના
Prime Minister Narendra Modi leaves for #Ayodhya to take part in #RamTemple event.
— ANI (@ANI) August 5, 2020
(Photo source: PMO) pic.twitter.com/VU9uGmzdJB
PM મોદીને અપાશે આ ખાસ ભેટ
PM's visit to Ayodhya is a proud moment. We'll honour him with a headgear, a silver crown & a stole with name of Lord Ram printed. We also hope that he rings the 3.5 quintal bell and proceed towards Ram Janmabhoomi: Sri Gaddinsheen Premdas ji Maharaj, head priest of Hanuman Garhi pic.twitter.com/JG1TxsoFlg
— ANI (@ANI) August 5, 2020
હનુમાનગઢી મંદિરના પ્રમુખ પૂજારી પ્રેમદાસજી મહારાજ કહે છે કે પીએમ મોદીનું આવવું એ ઐતિહાસિક ક્ષણ છે. અમે તેમને સન્માનિત કરીશું અને તેમને ચાંદીનો મુગટ અને ગમછો અપાશે.
હનુમાનગઢીમાં બાબા રામદેવે કરી પૂજા
अयोध्या: योग गुरु रामदेव ने हनुमान गढ़ी मंदिर में पूजा की। रामदेव ने कहा," 5 तारीख देश की ऐतिहासिक तारीख है। आज के दिन को सदियां याद करेगी। भारत राम राज्य में प्रवेश कर रहा है।" pic.twitter.com/tcARltd2IN
— ANI_HindiNews (@AHindinews) August 5, 2020
આ નેતાઓએ પાઠવી રામમંદિરને લઈને શુભકામનાઓ
जद्यपि सब बैकुंठ बखाना। बेद पुरान बिदित जगु जाना॥
— Rajnath Singh (@rajnathsingh) August 5, 2020
अवधपुरी सम प्रिय नहिं सोऊ। यह प्रसंग जानइ कोउ कोऊ॥
अति प्रिय मोहि इहाँ के बासी। मम धामदा पुरी सुख रासी॥⁰हरषे सब कपि सुनि प्रभु बानी। धन्य अवध जो राम बखानी॥#JaiShriRam https://t.co/OyjJSVaLOt
સીએમ યોગી આદિત્યનાથે પણ ટ્વિટ કરીને રામભક્તોને પાઠવ્યા અભિનંદન
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે CM નિવાસસ્થાને ફટાકડા ફોડીને આ ઉત્સવની ઉજવણી કરી. જાણે કે દિવાળી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અને ધામધૂમથી રામ મંદિર બનવાની ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મુખ્યમંત્રી આવાસે દિપોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તો અયોધ્યામાં પણ બે દિવસ દિવાળી જેવો માહોલ છે.. સમગ્ર અયોધ્યામાં દીપ પ્રગટાવવામાં આવી રહ્યા છે.
जासु बिरहँ सोचहु दिन राती। रटहु निरंतर गुन गन पाँती॥
— Yogi Adityanath (@myogiadityanath) August 5, 2020
रघुकुल तिलक सुजन सुखदाता। आयउ कुसल देव मुनि त्राता।।
प्रिय राम भक्तों, आपका अभिनंदन, आपको बधाई
जय श्री राम!
રામ મંદિર બાદ રામ રાજ્યની થશે સ્થાપનાઃ રામદેવ
હનુમાનગઢીમાં યોગગુરુ રામદેવે પૂજા અર્ચના કરી છે. રામદેવે કહ્યું કે ભારતમાં જે પણ સાંસ્કૃતિક અતિક્રમણ થયું છે તેનો હવે અંત થશે. મને વિશ્વાસ છે કે રામ મંદિરની સાથે રામ રાજ્ય આવશે. દેશમાં શિક્ષા- સામાજિક વ્યવસ્થામાં ન્યાય મળશે. સૌભાગ્ય છે કે દેશના પીએમ અયોધ્યા આવી રહ્યા છે. અને પોતાને હિન્દુ કહેવા પર ગૌરવ કરે છે. ધર્મને પ્રતિ નિષ્ઠા સેક્યુલેરિઝમની નિશાની છે.
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ આપ્યો વીડિયો સંદેશ
इस शुभ अवसर पर मैं उन सभी संतों, नेताओं और देश-विदेश के जनमानस के प्रति कृतज्ञता व्यक्त करता हूं जिन्होंने राम जन्मभूमि आंदोलन में मूल्यवान योगदान और बलिदान दिया :लाल कृष्ण आडवाणी https://t.co/1qrUGtZOlW
— ANI_HindiNews (@AHindinews) August 4, 2020
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ રામ મંદિરના ભૂમિ પૂજન પહેલા એક વીડિયો સંદેશ જાહેર કર્યો.. અડવાણીએ કહ્યું કે મારા દિલનું સ્વપ્ન આજે પૂર્ણ થવા જઈ રહ્યું છે.. આજે તમામ ભારતીયો માટે ઐતિહાસિક દિવસ છે.. અડવાણીએ કહ્યું કે ક્યારેક કોઈના જીવનમાં મહત્વપૂર્ણ સ્વપ્ન હોય છે. જેને પૂર્ણ થવામાં ઘણો સમય લાગે છે. રામ મંદિર બનવા જઈ રહ્યું છે જેનું મેં સ્વપ્ન જોયું હતું.. આજે મારા માટે અને તમામ ભારતીયો માટે ઐતિહાસિક અને ભાવનાત્મક દિવસ છે.
હનુમાનગઢીમાં સેનેટાઈઝેશનની પ્રક્રિયા શરૂ
PMના આગમન પહેલા અયોધ્યામાં સેનેટાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. મંદિર અને મુખ્ય બજારને સેનેટાઇઝ કરવામાં આવી રહ્યા છે.
अयोध्या: हनुमान गढ़ी मंदिर में सैनिटाइजेशन का काम किया जा रहा है। पीएम मोदी #राममंदिर_भूमिपूजन समारोह में शामिल होने से पहले हनुमान गढ़ी मंदिर में पूजा करेंगे। pic.twitter.com/eqFu4Ub8DR
— ANI_HindiNews (@AHindinews) August 5, 2020
આ છે પીએમ મોદીનો આજનો કાર્યક્રમ
- 5 ઑગસ્ટની સવારે દિલ્હીથી રવાના.
- સવારે 9: 35 થી વિશેષ વિમાન દિલ્હીથી ઉડાન કરશે.
- લખનઉ એરપોર્ટ પર સવારે 10: 35 વાગ્યે ઉતરાણ.
- સવારે 10:40 કલાકે અયોધ્યાથી પ્રસ્થાન.
- સવારે 11:30 વાગ્યે અયોધ્યા સાકેત કોલેજના હેલિપેડ પર ઉતરાણ.
- સવારે 11:40 વાગ્યે હનુમાનગઢી પહોંચશે અને 10 મિનિટ સુધી પૂજા કરશે.
- રાત્રે 12 વાગ્યે રામ જન્મભૂમિ કેમ્પસમાં પહોંચવાનો કાર્યક્રમ.- 10 મિનિટમાં રામલાલા વિરાજમાનના દર્શન.
- બપોરે 12.15 વાગ્યે રામલાલા કેમ્પસમાં પારિજાત વૃક્ષનું વૃક્ષારોપણ
- બપોરે 12:30 કલાકે ભૂમિપૂજન કાર્યક્રમનું ઉદ્ઘાટન
- બપોરે 12:40 વાગ્યે રામ મંદિરના શિલાન્યાસની સ્થાપના.
- બપોરે 2:05 વાગ્યે સાકેત કોલેજ હેલિપેડ માટે રવાના.
- હેલિકોપ્ટર બપોરે 2:20 વાગ્યે લખનૌ ઉડાન કરશે.
5 ઓગસ્ટના રોજ પીએમ મોદી રામ મંદિરનું ભૂમિ પૂજન કરશે. આ દરમિયાન પીએમ મોદી શ્રી રામ જન્મભૂમિ પરિસરમાં પારિજાતનુ વૃક્ષ રોપશે. જાણો પારિજાતના વૃક્ષનું શુ છે મહત્વ અને ખાસિયત કે તે આ ભૂમિ પુજનનો ભાગ બનવા જઈ રહ્યું છે.
उत्तर प्रदेश: #राममंदिर के शिलान्यास समारोह के लिए अयोध्या के सरयू घाट को सजाया गया है। pic.twitter.com/YK3Y39dqFw
— ANI_HindiNews (@AHindinews) August 5, 2020
અયોધ્યાના દરેક એન્ટ્રી પોઈન્ટ થયા સીલ
તંત્રએ અયોધ્યાના તમામ એન્ટ્રી પોઈન્ટને સીલ કરી દીધા છે. કોઈ પણ વાહનને શહેરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. તમામ પોઈન્ટ પર સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
अयोध्या में राममंदिर के शिलान्यास समारोह से पहले 'दीपोत्सव' के मौके पर दीपक जलाए गए। शहर को लाइटों से जगमग किया गया। #RamMandir pic.twitter.com/sSJkDeyjUJ
— ANI_HindiNews (@AHindinews) August 4, 2020
આજે અયોધ્યા દુલ્હનની જેમ સજી પીએમ મોદીના આગમનને ગણતરીના કલાકો બાકી આજે રામ જન્મભૂમિનો થશે શિલાન્યાસ અયોધ્યાના દરેક એન્ટ્રી પોઈન્ટ થયા સીલ તંત્રએ અયોધ્યાના તમામ એન્ટ્રી પોઈન્ટને સીલ કરી દીધા છે. કોઈ પણ વાહનને શહેરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. તમામ પોઈન્ટ પર સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમયે થશે શિલાન્યાસ 12.30 મિનિટે શિલાપટનું અનાવરણ થશે. 12.44 મિનિટે ભૂમિ પૂજન કરાશે, રામ મંદિરના શિલાપટનું અનાવરણ પીએમ મોદી કરશે. પીએમ મોદી અને આરએસએસ પ્રમુખ મોહન ભાગવત ભૂમિ પૂજનના કાર્યક્રમની શરૂઆત કરશે. આવો છે અયોધ્યાનો માહોલ અયોધ્યા સંપૂર્ણ રીતે રામમય થઈ ચૂકી છે. અહીં ભૂમિ પૂજન પહેલાં જ રામ નામ સંકીર્તન થઈ રહ્યું છે. જય શ્રી રામના નારા ગૂંજી રહ્યા છે. સામાન્ય વરસાદની પણ શરૂઆત થઈ છે. જો કે કાર્યક્રમના સ્થળે પહેલાંથી વોટરપ્રૂફ ટેન્ટ લગાવાયા છે.
આ સમયે થશે શિલાન્યાસ
12.30 મિનિટે શિલાપટનું અનાવરણ થશે. 12.44 મિનિટે ભૂમિ પૂજન કરાશે, રામ મંદિરના શિલાપટનું અનાવરણ પીએમ મોદી કરશે. પીએમ મોદી અને આરએસએસ પ્રમુખ મોહન ભાગવત ભૂમિ પૂજનના કાર્યક્રમની શરૂઆત કરશે.
अमृतसर: अयोध्या में राममंदिर के शिलान्यास समारोह से पहले, अमृतसर में 'दीपोत्सव' के मौके पर दीपक जलाए गए। लोगों ने इस मौके पर पटाखे जलाए और मिठाई भी बांटी। #RamMandir pic.twitter.com/I1KYxBHwi2
— ANI_HindiNews (@AHindinews) August 4, 2020
આવો છે અયોધ્યાનો માહોલ
અયોધ્યા સંપૂર્ણ રીતે રામમય થઈ ચૂકી છે. અહીં ભૂમિ પૂજન પહેલાં જ રામ નામ સંકીર્તન થઈ રહ્યું છે. જય શ્રી રામના નારા ગૂંજી રહ્યા છે. સામાન્ય વરસાદની પણ શરૂઆત થઈ છે. જો કે કાર્યક્રમના સ્થળે પહેલાંથી વોટરપ્રૂફ ટેન્ટ લગાવાયા છે.
કેન્દ્ર સરકારના વકીલ એસ.જી. તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, સીબીઆઈ સાથે કેસની તપાસ કરવાની બિહાર સરકારની ભલામણ સ્વીકારવામાં આવી છે. રિયા વતી એડવોકેટ શ્યામ દિવાનએ કહ્યું છે કે એસજી વતી જે કહ્યું હતું તે અહીં કેસ નથી, આવા કિસ્સામાં કોર્ટે રિયાની અરજી પર ધ્યાન આપવું જોઈએ. શ્યામ દિવાન (રિયાના વકીલ) એ તમામ કેસો પર સ્ટેની માંગ કરી હતી. શ્યામ દિવાને કહ્યું કે એફઆઈઆર ન્યાયશાસ્ત્ર પ્રમાણે નથી. આવા કેસમાં કોર્ટે આખા કેસ પર રોક લગાવવી જોઇએ.
Solicitor General Tushar Mehta states before Supreme Court that Centre has accepted Bihar govt's request recommending CBI enquiry into #SushantSinghRajput death case.
— ANI (@ANI) August 5, 2020
SC is hearing Rhea Chakraborty's petition seeking direction for transfer of investigation from Patna to Mumbai. pic.twitter.com/YTlUPvBOQn
બિહાર પોલીસ પહોંચી મુંબઇ
બિહાર પોલીસ મુંબઇ પહોંચી અને પૂછપરછ શરૂ કરી હતી. જ્યારે આ તેમના અધિકારક્ષેત્રમાં આવતું નથી, તો મુંબઈ પોલીસ પહેલેથી જ પૂર્ણ કાર્યવાહી કરી રહી છે. રિયાના વકીલ શ્યામ દિવાને કહ્યું કે બિહારમાં નોંધાયેલી એફઆઈઆર મુંબઇમાં ટ્રાન્સફર કરવામાં આવે. શ્યામ દિવાને દલીલ કરી હતી કે મુંબઈ પોલીસે સુશાંતના મોત મામલે અત્યાર સુધીમાં 59 લોકોની જુબાની નોંધી છે.
ન્યાયાધીશ ઋષિકેશ રાયએ કહ્યું કે સુશાંત ખૂબ પ્રતિભાશાળી અને ઉભરતા કલાકાર હતા અને તેમનું રહસ્યમય મૃત્યુ આઘાતજનક છે. ન્યાયાધીશ ઋષિકેશ રાયએ કહ્યું કે આ તપાસનો વિષય છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના દિકરા આદિત્ય ઠાકરેનું નામ પણ ઉછળ્યું
ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતને પગલે રાજકારણ ગરમાયું છે.જો કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના દીકરા અને મહારાષ્ટ્ર સરકારના મંત્રી આદિત્ય ઠાકરેનું નામ ઉછળતા આજે તેમણે નિવેદન આપ્યું હતું કે તેમના પરિવાર પર કીચડ ઉછાડવાનું કામ થઇ રહ્યું છે.
એક પત્રમાં તેણે સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે કોઇ જ સંબંધ નથી. આદિત્ય ઠાકરેએ વધુમાં કહ્યું કે, સુશાંત કેસમાં રાજનીતિ થઇ રહી છે. તેમણે એમ પણ જણાવ્યું કે, બોલીવૂડ મુંબઇનો એક મહત્વનો હિસ્સો છે અને ઘણા બધા લોકો તેના પણ નિર્ભર છે. જો કે, તેમણે એમપણ સ્વીકાર્યું હતું કે, બોલીવૂડના કેટલાય અભિનેતાઓ સાથે સારા સંબંધો છે અને તે કોઇ ગુનો નથી.
આદિત્ય ઠાકરેનું નિવેદન
પોતાના નિવેદનમાં આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે 'બાલાસાહેબ ઠાકરેના પૌત્ર તરીકે હું સ્પષ્ટ કરવા માંગુ છું કે મહારાષ્ટ્ર, શિવસેના અને ઠાકરે પરિવારનું ગૌરવ ઉતારનારા એવા કોઈ પણ મામલામાં હું સામેલ થઈશ નહીં.
આ પહેલા હિંદુ સમુદાયના નેતાઓએ જાણકારી આપતા કહ્યું હતું કે અમેરિકા ભરમાં મંદિર વિશેષ પૂજા અર્ચના કરીશું. ત્યારે મોટી સંખ્યામાં ભારતીય અમેરિકનોએ કહ્યુ હતુ કે તેઓ મંદિરના સેલિબ્રેશનમાં દિવા પ્રગટાવશે.
વોશિંગ્ટન ડીસીની આસપાસના ભારતીય અમેરિકનોએ કહ્યું હતું કે તેઓ રામ મંદિર પર મોટી એલઈડી પ્રદર્શનીની સાથે એક ટેબ્લો ટ્રક મંગળવારે રાતે કેપિટલ હિલ અને વ્હાઈટ હાઉસના ચક્કર લગાવશે.
USA: Members of the Indian community gathered outside the Capitol Hill in Washington DC to celebrate the foundation laying ceremony of #RamTemple in #Ayodhya pic.twitter.com/NofEWuM3E5
— ANI (@ANI) August 5, 2020
સમુદાયના નેતાઓના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વભરમાં એક અરબ હિંદુઓએ પવિત્ર સ્થળ પર ઐતિહાસિક મંદિર નિર્માણની શરુઆતના ઉપલક્ષ્યમાં અયોધ્યા શ્રીરામ મંદિરની ઝાંકી ટ્રક અમેરિકન કેપિટલ હિલ અને વ્હાઈટ હાઉસના ચક્કર લગાવશે.
હિંદુ મંદિર કાર્યકારી સમ્મેલન અને હિંદુ મંદિર પુજારી સમ્મેલનમાં આ સમારોહનો આનંદ લેવા માટે અમેરિકામાં ડિજિટલ રુપે સામૂહિક રાષ્ટ્રીય પ્રાર્થના કરવાનું આહ્વાન કર્યુ છે. આવુ જ સેલિબ્રેશન ન્યૂયોર્કમાં કરવામાં આવી રહ્યું છે.
પ્રતિષ્ઠિત ટાઈમ્સ સ્ક્વેરમાં વિશાળ હોડિંગ પર 5 ઓગસ્ટના ભગવાન રામની તસવીરો અને અયોધ્યા મંદિરની થ્રીડી તસવીરો નજરે પડશે. સમુદાયના પ્રમુખ નેતા અને અમેરિકા ભારત જન મામલા સમિતિના અધ્યક્ષ જગદીશ સેવહાનીએ કહ્યુ કે આ પ્રસંગે જે પ્રમુખ હોડિંગ લીઝ પર લેવામાં આવ્યા છે તેમાં વિશાળ નેસડેક સ્ક્રીન અને 15 000 સ્ક્વેર ફીટનું એલઈડી ડિસપ્લે સ્ક્રીનનો પણ સમાવેશ થયો છે. આને વિશ્વની સૌથી મોટી સતત ચાલનાર ડિસપ્લે માનવામાં આવે છે.