ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ અને સબ ઈન્સ્પેક્ટર સહિત કુલ 12472 પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. પીએસઆઈની ભરતી મામલે અત્યાર સુધી 8.63 લાખ અરજી થઇ છે.. જેમાંથી 7.11 લાખ અરજી કન્ફર્મ થઇ છે. હજુ દોઢ લાખ અરજી કન્ફર્મ કરવાની બાકી છે.. જેથી ઉમેદવારોને કહેવામાં આવ્યું છે કે તેઓ જલદી પોતાના ડોક્યુમેન્ટ્સ અપલોડ કરે.
હાલ દરરોજ 25 હજાર જેટલી અરજી થઇ રહી છે
ઉમેદવારોને ફોટા, સહી તથા ધોરણ 12ની માર્કશીટ અપલોડ કરવા માટે કહેવામાં આવ્યું છે. ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં ધોરણ 12 પાસ અને કોલેજનું ત્રીજુ વર્ષ પાસ કરનાર ઉમેદવારો આ અરજી કરી શકશે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે કહ્યું કે હાલ દરરોજ 25 હજાર જેટલી અરજી થઇ રહી છે.. અને હજુ પણ દોઢ લાખ જેટલી અરજી થવાની સંભાવના છે.
અરજી કરતા પહેલા વેબસાઇટ પર મુકવામાં આવેલી પ્રશ્નોત્તરી વાંચી લે ઉમેદવાર
તેમણે કહ્યું કે ઉમેદવારો અરજી કરતા પહેલા એકવાર વેબસાઇટ પર મુકવામાં આવેલી પ્રશ્નોત્તરી વાંચી લે અને વેબસાઇટ પરનો યૂ-ટયૂબનો વીડિયો જોઇ લે જેથી તેઓ ચોકસાઇ પૂર્વક અરજી કરી શકે અને કોઇ ભૂલ થવાને લઇને અરજીનું કન્ફર્મેશન અટકી ન જાય
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હવે થોડા જ મહિનાઓ બાકી છે. તેઓ 12 જુલાઈ 2024એ લગ્નના બંધનમાં બંધાઈ જશે. એક રિપોર્ટ અનુસાર અંબાણી પરિવારના લગ્નના ફંક્શન લંડનમાં 300 એકડની મોટી એક પ્રોપર્ટીમાં થશે. આ લગ્નમાં અંબાણી પરિવારના નજીકના લોકો અને બોલિવુડના અમુક સ્ટાર્સને આમંત્રણ પણ મોકલવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.
જામનગરમાં હતુ પ્રી-વેડિંગ સેલિબ્રેશન
1થી 3 માર્ચની વચ્ચે ગુજરાતના જામનગરમાં દેશ-દુનિયાના સેલિબ્રિટીઝનો જમાવડો હતો. ત્રણ દિવસ ચાલેલી આ ખૂબ જ મોંઘી સેરેમનીમાં ફેસબુક, માઈક્રોસોફ્ટના CEO, બોલિવુડના મોટા સ્ટાર્સ અને પોપ્યુલર ક્રિકેટર શામેલ થયા.
એક રિપોર્ટ અનુસાર નીતા અને મુકેશ અંબાણીના દિકરાના પ્રી-વેડિંગ સેરેમનીમાં 120 મિલિયન ડોલરનો ખર્ચ આવ્યો હતો. આ ઈવેન્ટમાં દુનિયાભરના કલાકારોએ પરફોર્મ કર્યું. રિપોર્ટ્સ અનુસાર ગ્લોબલ સ્ટાર રિહાનાએ પોતાના પરફોર્મન્સ માટે 60-70 કરોડ રૂપિયા ચાર્જ કર્યા.
લંડનમાં કરશે લગ્ન?
હવે ખબર આવી રહી છે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું વેડિંગ ફંક્શન લંડન સ્થિત અંબાણી પરિવારની આલીશાન પ્રોપર્ટીમાં થવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે તે જગ્યા છે જ્યાં જેમ્બ બોન્ડ સીરિધની બે મૂવીની શૂટિંગ થઈ ચુકી છે.
ખબર અનુસાર બની શકે છે કે અંબાણી પરિવાર લગ્નની મુખ્ય વિધિ પોતાના દેશ ભારતમાં જ કરે. જોકે અંબાણી પરિવાર તરફથી હજુ લગ્ન કે વેડિંગ ફંક્શનને લઈને કોઈ પણ પ્રકારની કોઈ જાણકારી શેર કરવામાં નથી આવી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
ઝિમ્બાબ્વેના પૂર્વ ક્રિકેટર ગાય વ્હિટલે ફરી એકવાર મોતને હાથતાળી આપી છે. હકીકતમાં તેની પર એક દીપડાંએ હુમલો કર્યો હતો પરંતુ તેના કૂતરાએ દીપડાંને પાછો પાડી દેતાં જીવ બચ્યો હતો. કૂતરો ન હોત તો તેનું મોત નક્કી હતું. વ્હિટલ જ્યારે ટ્રેકિંગ પર ગયો ત્યારે તેના પર દીપડાએ હુમલો કર્યો હતો. 51 વર્ષીય વ્હિટલની હાલત જોઈને સમજી શકાય છે કે તેને કેટલી ઈજા થઈ છે. તેની પત્નીએ હોસ્પિટલના બેડ પરથી તેના ફોટા શેર કર્યાં છે.
સપ્ટેમ્બર 2013માં વ્હિટલના પલંગ નીચે આવી ગયો હતો દીપડો
સપ્ટેમ્બર 2013માં આઠ ફૂટ લાંબો મગર વ્હિટલના બેડ નીચે આવી ગયો હતો. આ મગર પલંગની નીચે પડ્યો હતો, જેના પર વ્હિટલ આખી રાત સૂતો હતો. વ્હિટલની પત્ની હન્નાહ સોલ્ટેસે તેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેણે બે તસવીરો શેર કરી છે, જેમાંથી એકમાં વ્હિટલ હોસ્પિટલના બેડ પર પડેલો જોવા મળી રહ્યો છે, તો બીજા ફોટોમાં તે લોહીથી લથપથ જોવા મળી રહ્યો છે.
કોણ છે ગાય વ્હિટલ
ગાય વ્હિટલ બેટીંગ ઓલરાઉન્ડર હતો અને તેણે 1993થી 2003 દરમિયાન ઝિમ્બાબ્વે તરફથી કુલ 46 ટેસ્ટ અને 147 વન ડે રમી હતી. ગાય વ્હિટલે ટેસ્ટ ક્રિકેટમાં પણ બેવડી સદી ફટકારી છે. તેણે 2207 ટેસ્ટ રન અને 2705 વન-ડે રન બનાવ્યા છે. ગાય વ્હિટલે ચાર ટેસ્ટ સદી ફટકારી છે, જ્યારે વન ડેમાં તેણે 11 અડધી સદી ફટકારી છે. આ સિવાય તેણે 51 ટેસ્ટ અને 88 વન-ડે ઈન્ટરનેશનલ વિકેટ ઝડપી છે. વ્હિટલે 1995માં હરારેમાં પાકિસ્તાન સામે સદી ફટકારી હતી અને ત્યારબાદ ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને હરાવીને પ્રથમ ટેસ્ટ જીત નોંધાવી હતી.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં સૌથી પોપ્યુલર પાત્ર ટપ્પૂનું છે. જેને પહેલા ભવ્ય ગાંધી નીભાવતા હતા. પરંતુ પછી મોટા ટપ્પૂનું પાત્ર રાજ અનાદકટે નિભાવ્યું. તેમને 5 વર્ષ સુધી આ રોલ નિભાવ્યો. બાદમાં શો છોડવાનો નિર્ણય કર્યો. એવામાં રાજ અનાદકટે હવે શો છોડવાના ઘણા સમય બાદ પોતાની નવી શરૂઆત વિશે વાત કરતા શો છોડવાનું કારણ જણાવ્યું છે.
એક્ટર કરી રહ્યા છે નવી શરૂઆત
ગુરૂવારે રાજ અનાદકટે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં તે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. બિયર્ડ લુકમાં દેખાઈ રહેલા રાજ કોઈ ડોક્યૂમેન્ટ પર સાઈન કરી રહ્યા છે. આ ફોટોને પોસ્ટ કરતા તેમણે કેપ્શનમાં લખ્યું, "નવી શરૂઆત".
તેની સાથે જ તેમને ફેંસ શુભકામનાઓ આપવા લાગ્યા. સાથે જ પુછવા લાગ્યા કે નવી શરૂઆત કઈ વસ્તુની છે. એક્ટરે તેના થોડા જ સમય બાદ એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પણ પોસ્ટ કરી. તેમાં લખ્યું હતું કે તે આજે ફેંસના સવાલોના જવાબ આપશે અને તેના થોડા જ સમય બાદ યુટ્યુબ ચેનલ પર એક વીડિયો શેર કર્યો જેમાં પોતાના વિશે ઘણા ખુલાસ કરતા એવું પણ જણાવ્યું કે તેમણે તારક મહેતાના ઉલ્ટા ચશ્માને કેમ છોડ્યું હતું.
આ કારણે છોડ્યો શો
રાજે જણાવ્યું, "હું જ્યાં પણ જઉ છું લોકો મને એજ સવાલ કરે છે કે તમે તારક મહેતા કેમ છોડ્યું હું ઘણી વખત આ વિશે વાત કરી ચુક્યો છું પરંતુ છતાં આજ સુધી મને આ સવાલ ખૂબ જ પુછવામાં આવે છે. માટે મેં વિચાર્યું કે આ સવાલનો જવાબ આપી દઉ. મેં આ શોમાં 5 વર્ષ સુધી કામ કર્યું, જો હું ખોટો નથી તો મેં આ શોમાં એક હજારથી વધારે એપિસોડ્સ કર્યા છે. મારી આ સફર સુંદર રહીં પરંતુ મને એક એક્ટરના રૂપમાં આગળ વધવું હતુ અને વધારે ગ્રો કરવું હતું. હું આ ક્ષેત્રમાં અલગ અલગ પાત્ર જીવવા માંગું છું અને સાથે જ જીવનમાં પણ નવી વસ્તુઓ જોવા માંગુ છું. માટે મેં આ શોને છોડવાનો નિર્ણય કર્યો. હું હંમેશા આ રોલનો આભારી છું. તમે મને ટપ્પૂના રોલમાં સ્વીકાર્યો તેના માટે પણ બધાનો આભારી છું."
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
હિન્દુ ધર્મ અનુસાર, વાસ્તુશાસ્ત્ર લોકોના જીવનમાં ખૂબ ઉપયોગી સાબીત થાય છે. કેમ કે તેમાં ઉલ્લેખ કરેલો છે કે ઘરમાં કઈ વસ્તુ ક્યાં હોવી જોઈએ. જો વાસ્તુ મુજબ ઘરની અંદરની ગોઠવણ અને બનાવટ હોય તો પરિવારને તેની સકારાત્મક ઉર્જા મળે છે, ના હોય તો ઘર -પરિવારમાં નકારાત્મકતા ફેલાય છે અને નુકસાન પણ આવે છે. વાસ્તુમાં કેટલાક એવા છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેને ઘરમાં રાખવાથી ભાગ્ય ખુલી જાય છે. પરંતુ કેટલાક એવા છોડ છે, તે જો ઘરમાં હોય તો નકારાત્મકતા ફેલાય છે. આજે એવા છોડ વિશે વાત કરીશું જેને અશુભ માનવામાં આવતા હોવાથી ઘરમાં ન રાખવા જોઈએ.
- મેહંદીનો છોડ
જયારે કોઈ ઘરમાં શુભ પ્રસંગ હોય ત્યારે મહિલાઓ હાથમાં મેહંદી લગાવતી હોય છે. પરંતુ મેહંદીના છોડને ઘરમાં ન રાખવો જોઈયે તેને ઘરમાં રાખવો અશુભ મનાય છે.
- આંબલી
હરિયાળી અને સકારાત્મક ઉર્જા માટે લોકો ઘરના માર્જિન એરિયામાં આંબલી પણ ઉગાડતા હોય છે. પરંતુ આંબલીના વૃક્ષથી નકારાત્મક ફેલાય છે.
- બોનસાઈનો છોડ
વિદેશી છોડ બોનસાઈનું પ્રમાણ ભારતમાં વધી રહ્ય છે. પરંતુ વાસ્તુ મુજબ આ બોનસાઈના છોડથી પરિવારના સભ્યોની પ્રગતિ રુંધાય છે.
- કાંટાવાળા છોડ
ઘરની સજાવટ માટે લોકો પ્લાન્ટ લગાવતા હોય છે. પરંતુ વાસ્તુ મુજબ કાંટાવાળા છોડ અશુભ હોય છે. તેનાથી નેગેટિવિટી ફેલાય છે. જેથી તેને ઘરમાં ન રાખવા.
- સુુકાઈ ગયેલા છોડ
જો ઘરમાં કોઈ સૂકાઈ ગયેલો છોડ હોય તો તેને તુરંત દૂર કરવો જોઈયે. કેમ કે સૂકાઈ ગયેલા છોડ અશુભ મનાય છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
મેરઠમાં બીજા તબક્કામાં 26 એપ્રિલે મતદાન થવાનું છે. આ વખતે ભાજપે મેરઠથી અરુણ ગોવિલને મેદાનમાં ઉતાર્યા છે. અરુણ ગોવિલ 66 વર્ષની ઉંમરે અરુણ ગોવિલ પોતાની રાજકીય ઇનિંગ શરૂ કરી રહ્યા છે.
પ્રખ્યાત સિરિયલ રામાયણમાં શ્રી રામની ભૂમિકા ભજવનાર અરુણ ગોવિલ એક જાણીતો ચહેરો છે અને ભાજપે મેરઠ સીટ પરથી અરુણ ગોવિલને ટિકિટ આપીને હિન્દુત્વનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે. મેરઠ ભાજપનો અભેદ્ય કિલ્લો માનવામાં આવે છે. છેલ્લી 8 ચૂંટણીમાંથી 6માં ભાજપ અહીંથી જીત્યું છે.
અરુણ ગોવિલની નેટવર્થ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર અરુણ ગોવિલની કુલ સંપત્તિ 38 કરોડ રૂપિયા છે. તેની પાસે 60 લાખ રૂપિયાની લક્ઝરી કાર પણ છે. તેમનું મુંબઈમાં આલીશાન ઘર છે. તેમની આવકના મુખ્ય સ્ત્રોત અભિનય અને જાહેરાત છે.
2011ના ડેટા અનુસાર, મેરઠની વસ્તી લગભગ 35 લાખ છે, જેમાંથી 64 ટકા હિંદુ અને 36 ટકા મુસ્લિમ છે. મેરઠમાં કુલ મતદારોની સંખ્યા 1964388 છે, જેમાંથી 55.09 ટકા પુરૂષ અને 44.91 ટકા મહિલા મતદારો છે. 2014માં અહીં મતદાનની ટકાવારી 63.12 ટકા હતી. અહીં કુલ 5 વિધાનસભા મતવિસ્તાર છે.
2019ની લોકસભા ચૂંટણી વિશે વાત કરીએ તો મેરઠ સીટ પરથી બીજેપીના રાજેન્દ્ર અગ્રવાલ જીત્યા હતા, તેમને 5,86,184 વોટ મળ્યા હતા. જ્યારે BSPના હાજી યાકુબ કુરેશી 5,81,455 મતો સાથે બીજા ક્રમે અને કોંગ્રેસના હરેન્દ્ર અગ્રવાલ 34,479 મતો સાથે ત્રીજા ક્રમે છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ અને બસપા વચ્ચે જોરદાર ટક્કર હતી. ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર અગ્રવાલ માત્ર 4,729 મતોના માર્જીનથી જીતીને સંસદમાં પહોંચ્યા હતા.
2014ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં ધૂમ મચાવી હતી. તેની શરૂઆત મેરઠથી જ થઈ હતી. મેરઠમાં ભારતીય જનતા પાર્ટીને લગભગ 48% વોટ મળ્યા છે. મેરઠમાં રાજેન્દ્ર અગ્રવાલે સ્થાનિક નેતા મોહમ્મદ શાહિદ અખલાકને 2 લાખથી વધુ મતોથી હરાવ્યા હતા. બોલિવૂડ એક્ટ્રેસ નગમા આ સીટ પર કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી રહી હતી. જોકે તેને હારનો સામનો કરવો પડ્યો હતો.
1952 માં દેશમાં પ્રથમ વખત સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી, પરંતુ તે પછી મેરઠ માત્ર એક લોકસભા બેઠક ન હતી, પરંતુ તે લોકસભા મતવિસ્તારોમાં વિભાજિત કરવામાં આવી હતી - મેરઠ જિલ્લો (પશ્ચિમ), મેરઠ જિલ્લો (દક્ષિણ), મેરઠ જિલ્લો (ઉત્તર પૂર્વ). ત્યારપછી પશ્ચિમ બેઠક પરથી કોંગ્રેસના ખુશીરામ શર્મા, દક્ષિણ બેઠક પરથી કોંગ્રેસના કૃષ્ણચંદ્ર શર્મા અને ઉત્તર-પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના શાહનવાઝ ખાન જીત્યા હતા. જો કે, 1957 માં, ત્રણેય બેઠકોને એક લોકસભા બેઠકમાં ભેળવી દેવામાં આવી હતી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
ભાવનગર: એક તરફ જયારે ગુજરાતને વિકાસનું મોડલ ગણાવવામાં આવે છે, રાજ્યમાં આધુનિક સુખ સુવિધાઓ વધી રહી છે. જાહેર સેવાઓની સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રકચર પણ જબરદસ્ત રીતે સુધરી રહ્યું છે ત્યારે ભાવનગર જિલ્લામાં એક એવું પણ ગામ આવેલું છે કે જ્યાંનાં લોકોએ ગામમાં ક્યારેય એસટી બસની સુવિધા જોઈ ન હતી. એમ તો આ વાત નવાઈ પમાડે એવી છે, કેમ કે એકબાજુ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે આ ગામને આઝાદીના 76 વર્ષ થયા છતાં એસટીની સુવિધા મળી ન હતી. ત્યારે હવે ગામમાં પ્રથમ વખત સરકારી બસ આવી ત્યારે ગ્રામજનોમાં ઉજવણીનો માહોલ દેખાઈ રહ્યો હતો.
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનું ગામ વિકાસથી વંચિત રહી ગયું છે. આ ગામના લોકોએ આઝાદી પછી પહેલી જ વાર પોતાના ગામમાં ST બસ જોઈ. પહેલી વખત આવેલી બસને જોવા માટે આખું ગામ ઉમટી પડ્યું. ત્યારે ગ્રામજનોએ વાજતેગાજતે બસનું સામૈયું કર્યું. આ ગામમાં ભાવનગરના તળાજા ડેપો દ્વારા ડેલી સર્વિસ ST બસની સુવિધા શરૂ કરવામાં આવી છે. ગામમાં સરકારી બસની સુવિધા શરૂ થતા ગ્રામજનોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.
વધુ વાંચો: ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે, જાણો તાપમાનમાં થશે કેટલી ડિગ્રીનો વધારો
સરકારી બસની સુવિધા ગામમાં શરૂ થતા ગામના લોકોએ પહેલીવાર ગામે પહોંચેલી બસમાં બેસવાની મજા પણ માણી હતી. ગામના લોકોએ બસ અને બસના ડ્રાઈવર બંનેનું સામૈયા કરીને સ્વાગત કર્યું હતું. ગામની દીકરીઓ અને સાધુસંતોએ પણ ઘણા ઉત્સાહ સાથે બસના વધામણા કર્યા હતા.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
ભારત વર્ષની ભૂમિ અનેક રહસ્યોથી ભરપૂર છે અહીં નગરોના નગરો દટાયેલાં છે અને કાળાંતરે તે બહાર આવતાં રહે છે. હરિયાણા ગુરુગ્રામના માનેસર નજીક બાઘનકી ગામમાં એક પ્લોટમાં ખોદકામ વખતે 400 વર્ષ જુની ધાતુની 3 મોટી મૂર્તિઓ મળી આવતાં લોકોમાં કુતૂહલ ફેલાયું હતું. આ મૂર્તિના સમાચાર ફેલાતાં લોકો અને પુરાતત્વવિદોના ધાડેધાડા ગામમાં ઉતર્યાં હતા. નવા મકાન માટે જેસીબી વડે પાયો ખોદવામાં આવી રહ્યો હતો ત્યારે તેમાં 3 મૂર્તિઓ નીકળી હતી આ પછી માલિકે જેસીબીવાળાને પૈસા આપીને કોઈને ન કહેવાનું જણાવ્યું હતું. જેસીબીવાળાને પૈસા પણ આપવામાં આવ્યાં હતા પરંતુ જેસીબીએ બે દિવસ બાદ તે વાત પોલીસને જણાવી દીધી હતી.
ગુરુગ્રામ પોલીસે શું કહ્યું
ગુરુગ્રામ પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે જેસીબી મશીનની મદદથી નવા મકાનનો પાયો ખોદવામાં આવી રહ્યો હતો ત્યારે મૂર્તિઓ મળી આવી હતી. શરૂઆતમાં પ્લોટના માલિકે આ મૂર્તિઓને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું. મૂર્તિઓની માહિતી છુપાવવા માટે તેણે જેસીબી ડ્રાઇવરને પૈસાની લાલચ પણ આપી હતી. જો કે જેસીબી ચાલકે આ અંગે બે દિવસ બાદ બિલાસપુર પોલીસ મથકે જાણ કરતા પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી. બિલાસપુર પોલીસે ત્રણેય મૂર્તિઓ પુરાતત્ત્વના નાયબ નિયામક બી.ભટ્ટાચાર્ય અને ડો.કુશ ઢેબરને સોંપી દીધી છે.
400 વર્ષ જુની મૂર્તિઓની કોની?
ખોદકામ દરમિયાન પ્લોટ માલિકના ઘરમાંથી મળી આવેલી મૂર્તિઓમાં ભગવાન વિષ્ણુની ઊભેલી મૂર્તિ, દેવી લક્ષ્મી અને તેમની બન્નેની એકસાથેની, એમ 3 મૂર્તિઓ મળી આવી છે.
પુરાતત્વ વિભાગે મૂર્તિઓને કબજામાં લીધી
પોલીસના જણાવ્યા અનુસાર, ગામના લોકો ઇચ્છતા હતા કે મૂર્તિઓ પંચાયતને સોંપી દેવામાં આવે, કારણ કે તેઓ પ્લોટ પર મંદિર બનાવવા માંગતા હતા. જો કે પુરાતત્વ વિભાગના અધિકારીઓએ તેમની આ માંગને ફગાવી દીધી હતી. પુરાતત્વ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટરે કહ્યું, "આ મૂર્તિઓ સરકારની સંપત્તિ છે અને તેના પર કોઈનો વ્યક્તિગત અધિકાર ન હોઈ શકે. અમારી પ્રયોગશાળામાં અભ્યાસ કર્યા પછી, તેને પુરાતત્ત્વ વિભાગના સંગ્રહાલયમાં રાખવામાં આવશે. પ્રાથમિક તપાસ મુજબ આ મૂર્તિઓ લગભગ 400 વર્ષ જૂની દેખાય છે. જૂના પ્લોટમાં ખોદકામ પણ કરવામાં આવશે અને આવું કંઈ બીજું છુપાયું છે કે નહીં તેની પણ શોધ કરવામાં આવશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
અમદાવાદ: અમદાવાદના વસ્ત્રાપુરમાં બુધવારે રાતે ભરવાડવાસમાં જૂથ અથડામણની ઘટના બની હતી. એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા 7 જેટલા લોકો ઘાયલ થયા અને એક 70 વર્ષીય મહિલાનું મોત થયું. ત્યારે હવે આ મામલે પોલીસે ગાંધીનગરમાં ટ્રાફિકના PI ગોવિંદભાઈ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.
ભરવાડવાસમાં બે જૂથ વચ્ચે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની પત્રિકામાં નામ છપાવવા મુદ્દે એક જ કોમના બે જૂથ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. 9 મેના રોજ થવાના મંદિરના પ્રાણપ્રતિષ્ઠાના ઉત્સવની પત્રિકામાં નામ લખવા બાબતે અથડામણ થઈ. વસ્ત્રાપુર ગામમાં થયેલી આ જૂથ અથડામણમાં ગાંધીનગર ટ્રાફિક પોલીસના PI ગોવિંદ ભરવાડ સામેલ હોવાની વાત સામે આવી છે. મળતી માહિતી અનુસાર, PI ગોવિંદ ભરવાડને પોતાનું નામ પત્રિકામાં નોંધાવવું હતું. હવે પોલીસે હત્યા, હત્યાનો પ્રયાસ અને રાયોટિંગ કેસમાં PI ગોવિંદ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. પોલીસે PI ગોવિંદ ભરવાડ સહિત 7 લોકો સામે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
જૂથ અથડામણની આ ઘટનામાં પથ્થરમારામાં 7 લોકો ઘાયલ થયા છે, જયારે એક 70 વર્ષીય મહિલાનું મોત થયું છે. જો કે પોલીસને આ ઘટનાની માહિતી મળતા જ તરત જ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી. પોલીસે પથ્થરમારામાં સંડોવાયેલા લોકોની તપાસ શરૂ કરી છે. આ સમગ્ર મામલે ACP, એ ડિવિઝન જયેશ બ્રહ્મભટ્ટે કહ્યું કે ગઈકાલે ભરવાડવાસનાં બે ટોળા વચ્ચે સામસામે જૂથ અથડામણ થઈ હતી. આ જૂથ અથડામણમાં સામસામે પથ્થરમારો થતા 70 વર્ષીય મહિલાને છાતીના ભાગે પથ્થર વાગતા તેમનું મૃત્યુ થયું. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.
વધુ વાંચો: ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે, જાણો તાપમાનમાં થશે કેટલી ડિગ્રીનો વધારો
પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈને હવે તપાસ હાથ ધરી છે. પોલીસે ભોગ બનનારના પરિજનોને ખાતરી આપી છે કે તેઓ બંને એટલી જલ્દી આરોપીઓને પકડી પાડશે. પોલીસે જણાવ્યું કે બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી છે અને કુલ 14 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસ ઘટનામાં સામેલ પીઆઈ સામે પણ તપાસ ચલાવી રહી છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
ચૂંટણી પંચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન પર વાંધો ઉઠાવ્યા બાદ ગુરૂવારે તેની નોંધ લેવામાં આવી છે. પંચે આચાર સંહિતાના ઉલ્લંઘનના આરોપમાં બીજેપી અને કોંગ્રેસને નોટિસ મોકલીને તેમની પાસે જવાબ માંગ્યો છે.
બીજેપી અને કોંગ્રેસ બન્ને પાર્ટીઓએ એક બીજા પર ધર્મ, જાતી, સમુદાય અને ભાષાના આધાર પર નફરત અને વિભાજન પેદા કરવાનો આરોપ લગાવ્યો છે. બન્ને પાર્ટીઓને 29 એપ્રિલ સવારે 11 વાગ્યા સુધી જવાબ દાખલ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
ચૂંટણી પંચે જનપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 77ના હેઠળ બન્ને પાર્ટીઓના અધ્યક્ષોને જવાબ આપવા માટે કહ્યું છે. જણાવી દઈએ કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ રાહુલ ગાંધી પર આચાર સંહિતાના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો.
આયોગે કહ્યું છે કે રાજનૈતિક પક્ષોને પોતાના ઉમેદવારો ખાસ કરીને સ્ટાર પ્રચારકોના વર્તનની સંપૂર્ણ જવાબદારી લેવી પડશે. ઉચ્ચ પદો પર બેઠેલા નેતાઓના ભાષણોના વધારે ગંભીર પરિણામ આવી શકે છે.
વધુ વાંચો: ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે, જાણો તાપમાનમાં થશે કેટલી ડિગ્રીનો વધારો
ચૂંટણી પંચની નોટિસ પર કોંગ્રેસની પ્રતિક્રિયા
ચૂંટણી પંચની તરફથી કોંગ્રેસને મોકલવામાં આવેલી નોટિસ પર જયરામ રમેશે કહ્યું કે અમે પંચમાં ફરિયાદ કરી હતી. જે પ્રકારે બીજેપી ધર્મનો ઉપયોગ કરે છે. એમ કહીએ કે દુરૂપયોગ કરી રહી છે. તે ખૂબ જ ચિંતાજનક છે. અમે આ નોટિસનો જવાબ આપીશું.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો