બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Dinesh
Last Updated: 10:17 PM, 22 March 2023
આઝાદી પછી એવો જાણે કે શિરસ્તો ચાલ્યો આવે છે કે સરકાર કોઈપણ પક્ષની હોય ગરીબી દૂર કરવાનું વચન અચૂક આપે પરંતુ ધરાતલ પર મોટેભાગે એવી સ્થિતિ જ હોય કે, જેમાં ગરીબી કે ગરીબ બેમાંથી એકપણ સ્થિતિમાં ધરમૂળથી સુધારો ન થયો હોય. 2023નું વર્ષ ચાલે છે પણ સ્થિતિમાં દેખીતો ફરક પડ્યો નથી જેની સાબિતી પૂરે છે વિધાનસભામાં ગુજરાત સરકારની કબૂલાત. ગુજરાત સરકારે જ ગૃહમાં સ્વીકાર્યુ કે રાજ્યમાં 31 લાખ 67 હજારથી વધુ પરિવાર ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે અને 2 વર્ષમાં 24 જિલ્લા એવા છે કે જયાં 1 હજાર 359 BPL પરિવાર વધ્યા છે.
આપણે પ્રખ્યાત નેતાઓ પાસેથી એવા પણ નિવેદન સાંભળ્યા છે કે, ગરીબી માત્ર મનની એક અવસ્થા છે, તો કોઈ નેતા એવુ પણ કહે છે કે રૂપિયા ઝાડ ઉપર નથી ઉગતા. અહીં એટલું જ કહેવાનું કે કોઈ શ્રમિક વર્ગના વ્યક્તિને રૂપિયાનું ઝાડ જોઈતું પણ નથી તે એટલું જ માંગે છે કે તેની દૈનિક જરૂરિયાત પૂરી થાય. વિકાસના દાવાની વચ્ચે આપણા જ રાજ્યમાં ગરીબીના આંકડા આશ્ચર્ય કેમ પમાડે છે. જો ગરીબી ઘટવાનો દાવો કરવામાં આવ્યો છે તો 24 જિલ્લામાં ગરીબી રેખા નીચે આવતા પરિવાર વધ્યા કેમ તેમજ મનરેગા યોજનાની ગ્રાન્ટ વણવપરાયેલી કેમ રહી?
ક્યા જિલ્લામાં સૌથી વધુ ગરીબ?
ક્યા જિલ્લામાં BPL પરિવાર વધ્યા?
જિલ્લો | અમરેલી |
કેટલી સંખ્યા વધી? | 335 |
જિલ્લો | સાબરકાંઠા |
કેટલી સંખ્યા વધી? | 301 |
જિલ્લો | બનાસકાંઠા |
કેટલી સંખ્યા વધી? | 199 |
જિલ્લો | આણંદ |
કેટલી સંખ્યા વધી? | 168 |
જિલ્લો | જૂનાગઢ |
કેટલી સંખ્યા વધી? | 149 |
ક્યા જિલ્લામાં BPL પરિવાર ઘટ્યા?
જિલ્લો | આણંદ |
કેટલી સંખ્યા ઘટી? | 2 |
જિલ્લો | પાટણ |
કેટલી સંખ્યા ઘટી? | 5 |
જિલ્લો | અમદાવાદ |
કેટલી સંખ્યા ઘટી? | 1 |
જિલ્લો | અમરેલી |
કેટલી સંખ્યા ઘટી? | 3 |
જિલ્લાદીઠ કેટલા BPL પરિવાર?
જિલ્લો | BPL પરિવાર |
બનાસકાંઠા | 2 લાખ 37 હજાર 77 |
દાહોદ | 2 લાખ 25 હજાર 518 |
આણંદ | 1 લાખ 55 હજાર 731 |
ખેડા | 1 લાખ 52 હજાર 585 |
સુરેન્દ્રનગર | 1 લાખ 24 હજાર 928 |
સુરત | 1 લાખ 10 હજાર 943 |
અમદાવાદ | 1 લાખ 39 હજાર 313 |
વડોદરા | 1 લાખ 20 હજાર 921 |
રાજકોટ | 1 લાખ 3 હજાર 629 |
ગુજરાતમાં BPL પરિવારના આંકડા સામે આવ્યા
વિધાનસભામાં સરકારે કબૂલાત કરી છે, ગુજરાતમાં BPL પરિવારના આંકડા સામે આવ્યા છે તેમજ રાજ્યમાં BPL પરિવારની સંખ્યા 31 લાખ 67 હજાર 211 પર પહોંચી છે. 24 જિલ્લામાં ગરીબી રેખા નીચે જીવતા પરિવારની સંખ્યામાં વધારો થયો છે. બે વર્ષમાં 1 હજાર 359 પરિવાર ગરીબી રેખા નીચે આવ્યા છે તેમજ કોંગ્રેસનો આક્ષેપ, રાજ્યની ચોથા ભાગની વસ્તી ગરીબ છે. મનરેગા યોજના હેઠળ કેન્દ્ર સરકારે આપેલી ગ્રાન્ટ ન વપરાઈ અને મનરેગા યોજનામાં સરકારે 151 કરોડ કરતા વધુની ગ્રાન્ટ ન વાપરી.
મનરેગા યોજનાની સ્થિતિ શું?
વર્ષ 2021-2022માં કેન્દ્ર સરકારે 1667.85 કરોડની ગ્રાન્ટ ફાળવી
સરકારે ગ્રાન્ટમાંથી 1516.37 કરોડનો ખર્ચ કર્યો
151 કરોડની ગ્રાન્ટ વણવપરાયેલી રહી
આ પહેલા કોરોનાકાળમાં મનરેગા યોજનાની સંપૂર્ણ ગ્રાન્ટ વપરાઈ હતી
કોરોના પછીના વર્ષમાં 151 કરોડની ગ્રાન્ટ ન વપરાઈ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા