બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Vidhata
Last Updated: 08:34 AM, 20 April 2024
આપણે બધા જ જાણીએ છીએ કે વધુ પડતું દારૂનું સેવન આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું પણ કહેવું છે કે દારૂનું વધુ પડતું સેવન સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આનાથી લીવરને જલ્દી અસર થાય છે, મગજ અને નર્વસ સિસ્ટમની કામગીરીને અસર થાય છે. વધારે પડતા દારૂના સેવનથી લીવર ફેલ્યોર અને પાચનતંત્ર બગડી શકે છે, બ્લડ સુગર લેવલ વધી શકે છે. પેંકિયાટ્રીક કેન્સર થઈ શકે છે. હૃદયને નુકસાન પહોંચાડી શકે છે. આલ્કોહોલના સેવનથી જ્યારે આટલો બધી આડઅસર થઈ શકે છે, તો શું થશે જો તેને 30 દિવસ સુધી પીવાનું બંધ કરી દેશો. આ કામ થોડું મુશ્કેલ હોઈ શકે છે, ખાસ કરીને એ લોકો માટે જેઓ દરરોજ દારૂનું સેવન કરે છે. પરંતુ, જો તમે 30 દિવસ સુધી આલ્કોહોલ ન પીવો તો શું થાય છે? જાણો દારૂ ન પીવાથી કેટલા ફાયદા થઈ શકે છે.
સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે જ્યારે તમે 30 દિવસ સુધી આલ્કોહોલ છોડી દો છો ત્યારે સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. નિષ્ણાંતોના મતે, આમ કરવાથી ખરાબ થયેલ લીવર રિપેર થઈ શકે છે. શરીરમાં ઉર્જા વધે છે, ઊંઘ સારી આવે છે, યાદશક્તિ વધે છે, એંકઝાયટીની સમસ્યા દૂર થઈ શકે છે. આલ્કોહોલનું સેવન બંધ કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. એટલું જ નહીં તમારું હૃદય પણ સ્વસ્થ રહી શકે છે.
જે લોકો આલ્કોહોલનું વધારે પડતું સેવન કરે છે એમની માટે સારી વાત હોઈ શકે છે કે જો તેઓ આલ્કોહોલનું સેવન બંધ કરી દે. જયારે વ્યક્તિ આલ્કોહોલ પીવાનું બંધ કરી નાખે છે, ત્યારે ડેમેજ લીવરને ઠીક કરી શકાય છે. આલ્કોહોલનાં નિયમિત સેવનથી લીવર પર નકારાત્મક અસર થાય છે. ધીરે ધીરે લીવર બગડવા લાગે છે. આલ્કોહોલિક લીવર ડિસીઝની સમસ્યા થઈ શકે છે. જ્યારે કોઈ પોતાની જાત પર કંટ્રોલ કરીને આલ્કોહોલ પીવાનું ઓછું કરી નાખે છે અથવા બંધ કરી નાખે છે ત્યારે લીવર સામાન્ય સ્થિતિમાં આવી શકે છે.
વધારે પડતા આલ્કોહોલનાં સેવનથી હૃદય પર પણ નકારાત્મક અસર થાય છે. આવી સ્થિતિમાં, જ્યારે કોઈ વ્યક્તિ એક મહિના સુધી આલ્કોહોલનું સેવન ન કરે ત્યારે હૃદય પર હકારાત્મક અસર જોવા મળે છે અને હૃદય રોગનું જોખમ ઘટી શકે છે.
જ્યારે તમે લાંબા સમય સુધી આલ્કોહોલનું સેવન ન કરો તો તેનાથી વજન ઘટી શકે છે. શરીરની રચના સુધરી શકે છે. પેટની ચરબી ઘટાડી શકાય છે. ટ્રાઇગ્લિસરાઇડ્સ સુધરી શકે છે. આનાથી તમારું વજન તો ઘટશે જ, પરંતુ સ્વસ્થ જીવન અને સ્વસ્થ શરીર મેળવવાનો એક સરળ રસ્તો છે.
વધુ વાંચો: તમે જીમમાં ગયા વગર જ રહેશો ફિટ, દરરોજ ઘરે કરો આ 5 દેશી એક્સરસાઇઝ
શું તમને એવું લાગે છે કે આલ્કોહોલ તમને ઊંઘવામાં મદદ કરે છે? નાં, એવું નથી. આવું વિચારવાનું બંધ કરી નાખો કારણ કે દારૂનું સેવન કરવાથી નહીં પરંતુ તેને છોડી દેવાથી તમને સારી અને આરામદાયક ઊંઘ મળી શકે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા