અમદાવાદમાં બનેલી દુર્ઘટનાના પડઘા નેશનલ લેવલ પર પણ પડ્યા હતાં. જેમાં રાષ્ટ્રપતિ ભવનથી લઈને વડાપ્રધાન મોદી ને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ટ્વીટ કરાયા હતાં. અને જેમાં અમદાવાદની પ્રાઇવેટ હોસ્પીટલમાં ભરતી 8 દર્દીઓના ICUમાં આગ લાગવાના કારણે મૃત્યુ નીપજ્યા હતા, આ ઘટના જ્યાં ઘટી એ કામ કરતા વોર્ડબોય ચિરાગ પટેલ સાથે vtvએ રૂબરૂ વાતચીત કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ એ રાત્રે હોસ્પીટલમાં પોતે હાજર હતાં અને આગ લાગ્યા બાદ પોતે જીવના જોખમ છતાં બચાવ કામગીરીમાં તેમણે ભાગ લીધો હતો.
Saddened by the tragic hospital fire in Ahmedabad. Condolences to the bereaved families. May the injured recover soon. Spoke to CM @vijayrupanibjp Ji and Mayor @ibijalpatel Ji regarding the situation. Administration is providing all possible assistance to the affected.
વોર્ડ બોય ચિરાગ પટેલના જણાવ્યાં પ્રમાણે તે રાત્રે પોણા ત્રણના સુમારે પાણી પીવા બહાર આવ્યો ત્યારે ICUમાં એક સ્ટાફ બ્રધર અંદર હતો. અચાનક જ પાણી લાવો તેવી બુમો પડી હતી. તેઓ દોડતા અંદર ગયા તો 9 નંબરના દર્દીના વાળ સળગતા હતા. એ દરમિયાન સ્ટાફ બ્રધર ગૌરવ PPE કીટ પહેરી બચાવવા ગયો હતો. પરંતુ તેમની PPE કીટ સળગવા લાગતા ડોક્ટર તેમને બચાવવા ગયા તો તે પણ દાઝ્યા. આ દરમિયાન ત્યાં અંદર એક બ્લાસ્ટ થયો. જે બાદ ફાયરની ટીમ આવતા તેમણે ચિરાગને અંદર જવાની ના પાડી હતી. પરંતુ તે પોતે બચાવ માટે કામ કરવા તૈયાર છે તેવું કહેતા ઓક્સિજન કીટ પહેરીને જવા દેવામાં આવ્યા, પરંતુ ખુબ ધુમાડો અને આગ હોવાથી કઈ જોઈ શકાતું નહોતું. જેથી બચાવ કામગીરીમાં ખુબ જ મુશ્કેલી પડી હતી.
આપ્તજનોનો આક્રંદ , નથી મળી રહી કોઈ માહિતી
રાત્રે આગ લાગ્યા બાદ લગભગ 3.20ના સુમારે ફાયરની ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી હતી. જેની મદદથી 3.30 વાગ્યાથી દર્દીઓની બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. હોસ્પીટલમાં ભરતી અન્ય દર્દીઓને SVP હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતાં, એક કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ હોવાથી તેના તમામ દર્દીઓને તાત્કાલિક સારવારની જરૂર હોવાથી ખસેડાયા હતાં. કુલ 50ની ક્ષમતા ધરાવતી આ હોસ્પીટલમાં 40થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યાં હતાં. આ હોસ્પિટલના ક્યા પેશન્ટ્સને ક્યાં ખસેડાયા તે બાબતની કોઈ માહિતી તંત્ર કે હોસ્પિટલ દ્વારા દર્દીઓના પરિવારજનોને અપાઈ નહોતો જેના બાબતે દવાખાના બહાર પોલીસ સાથે પરિવારવાળાનું ઘર્ષણ થયું હતું. આપ્તજનો આક્રંદ કરતાં જોવા મળ્યાં હતાં કે તેમને માત્ર મીડિયા દ્વારા જ જાણકારી મળી છે.
હોસ્પીટલની 'બેદરકારી' તો શું AMCને ક્લીનચિટ?
તપાસમાં હોસ્પીટલના ફાયર સેફ્ટીના સાધનો અને સરંજામ અપૂરતા હતાં તેવું સામે આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જે સાધનો હતાં તેમાં પણ ઘણાંખરા એક્સપાયર હતાં અને સૌથી મોટી લાપરવાહી એ કે શ્રેય હોસ્પિટલ પાસે ફાયર વિભાગ નું NOC જ નહોતું, તો કઈ રીતે આ હોસ્પિટલ કાર્યરત હતી? આ બાબતે હોસ્પિટલ તંત્ર જવાબદાર ગણાય. તો શું AMCને ક્લીનચીટ આપી દેવાશે?
AMC જ આપે છે ફાયર માટેનું NOC
ઉલ્લેખનીય છે કે AMCનું જ ફાયર વિભાગ હોસ્પિટલો અને અન્ય મિલકતોને ફાયર માટેનું NOC ઇસ્યુ કરતુ હોય છે અને AMCના વિભાગો દ્વારા જ પ્રાઇવેટ હોસ્પિટલો સાથે કરાર કરીને તેને કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ જાહેર કરાતી હોય છે તો શું આ કરાર પહેલા હોસ્પિટલની કોઈ જ જરૂરી ચકાસણી વગર જ તેને કોવિડ કેર સેન્ટર બનાવી દેવાય છે? આ મામલે AMC તંત્ર પણ શંકાના ઘેરાવામાં આવે છે, કોવિડ કેર સેન્ટર બનાવવાના મામલે આટલી બેદરકારી દાખવતી AMC પણ આ દર્દીઓના અપમૃત્યુ અને તેમના આપ્તજનોના આક્રંદ માટે જવાબદાર ખરી કે નહિ?
લાખોનો ધુમાડો છતાં મળ્યું મૃત્યુ
હોસ્પીટલના અગ્નિકાંડમાં ભોગ બનેલા ધોળકાના પિતા - પુત્રના પરિવારજનો આક્ષેપ કરી રહ્યાં છે કે તેમણે સારવાર પેટે હોસ્પીટલમાં કુલ 11 લાખ રૂપિયા ભર્યા હતાં. છતાં માત્રને માત્ર હોસ્પીટલની બેદરકારીને કારણે આજે તેમના પરિવારના બે મોભીઓને કાળ ભરખી ગયો. તેઓ આક્રંદ કરી રહ્યાં રહ્યાં હતાં કે હવે તેમને ન્યાય ક્યારે મળશે? ઉલ્લેખનીય છે કે ધોળકાના નવનીત ભાઈ શાહ અને તેમના પુત્ર નવીનભાઈ શાહ શ્રેય હોસ્પીટલમાં ભરતી હતાં જ્યાં ICUમાં આગ લાગવાની દુર્ઘટનામાં તેમનું નિધન થયું હતું.