બ્રેકિંગ ન્યુઝ
હિંદુ ધર્મમાં વાસ્તુ મુજબ મૂર્તિઓ પણ રાખવાના કેટલાક નિયમો બનાવામાં આવ્યા છે. જો તમે ઘરમાં મૂર્તિ રાખતા પહેલા કેટલાક નિયમોનું પાલન કરશો તો તેનાથી નકારાત્મકતા દૂર થશે અને સુખ,સમૃદ્ધિ વધી શકે છે. મૂર્તિઓ ઘરની સજાવટની સાથે પરિવારનું ભાગ્ય પણ ચમકાવે છે. જો વાસ્તુના કેટલાક નિયમો મુજબ પોતાના ઘરમાં મૂર્તિ રાખશો તો તમને ધન પ્રાપ્તિની સાથે શુભ ફળ મળશે.
ADVERTISEMENT

કામધેનુ ગાય
હિંદૂ ધર્મમાં ગાયને પવિત્ર અને પૂજનીય માનવામાં આવી છે. જો તમે તમારા ઘરમાં પીત્તળની કામધેનુ ગાયની મૂર્તિ રાખો છો તો ઘરમાં રહેલી નકારાત્મક ઉર્ઝા દૂર થાય છે. આ મૂર્તિ ઘરમાં રાખવાથી સુખ-સમૃદ્ધિ આવે છે.
ADVERTISEMENT
કાચબો
વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના ડ્રોઈંગ રુમમાં ઉત્તર કે પૂર્વ દિશામાં ધાતુની બનાવટનો કાચબો રાખવાને ખૂબ શુભ માનવામાં આવ્યુ છે. તેને ઘરમાં રાખવાથી પૈસાની તંગી નથી રહેતી. તેનાથી તમામ બાધાઓ દૂર થાય છે.
માછલી
જો તમે તમારા ઘરમાં માછલીને રાખો છો તો તેને વાસ્તુમાં શુભ માનવામાં આવ્યું છે. જે લોકોના ઘરમાં ધાતુની માછલી હોય છે તેમના પર હંમેશા લક્ષ્મીની કૃપા રહે છે. તમે તમારા ઘરમાં પીત્તળ કે ચાંદીની માછલી રાખી શકો છો, તેનાથી તમારા ઘરમાં ધનની વૃદ્ધિ થશે.
ADVERTISEMENT

હાથી
હાથીની મૂર્તિને પણ વાસ્તુશાસ્ત્રમાં શુભ માનવામાં આવ્યું છે. જો તમે તમારા ઘરમાં પીત્તળ કે ચાંદીની મૂર્તિ રાખો છો તો ધન અને સમૃદ્ધિ વધે છે.
ADVERTISEMENT
વધુ વાંચો: આવનારા સાત દિવસ તમારા કેવા રહેશે ? જાણો તમામ રાશિઓનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય
હંસની જોડી
ઘરના ડ્રોઈંગરૂમમાં જો તમે હંસની જોડીની મૂર્તિ રાખો છો તો તેનાથી તમને લાભ થઈ શકે છે. આ મૂર્તિથી તમને આર્થિક લાભ થઈ શકે છે સાથે જ લગ્ન જીવન સારું પસાર થાય છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.