બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Vandalism of Hanuman temple in Mochibazar Dhrol
Kishor
Last Updated: 12:07 AM, 6 August 2023
જામનગર જિલ્લાના ધ્રોલ શહેરમાં એક લુખ્ખો બેફામ બન્યો હોવાનો કિસ્સો પ્રકાસમાં આવ્યો છે. પોલીસ દ્વારા કડક કામગીરીના દાવા વચ્ચે પણ રાત્રીના સમયગાળા દરમિયાન એક શખ્સે ધ્રોલની મોચી બજાર માથે લીધી હતી. રાત્રીના સમયે આરોપીએ ઉભી બજારે બેફામ વાણીવિલાસ કરતા વિસ્તારવાસીઓમા રીતસરનો ફફડાટ ફેલાયો હતો. આ આરોપીએ હનુમાનજીના મંદિરમાં પણ તોડફોડ કરી હોવાનું બહાર આવતા લોકોમાં આક્રોશનો જ્વાળા ભભૂકી છે.
કોઈ અજાણ્યા શખ્સ દ્વારા કરવામાં આવી તોડફોડ
ધ્રોલના મોચીબજારમાં આવેલ હનુમાનજીના મંદિરમાં તોડફોડની ચકચારી ઘટના બહાર આવી છે. મંદિરમાં તોડફોડને પગલે હનુમાનજીની મૂર્તિ ખંડિત થઈ ગઈ હતી. જેને લઈને હાલ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
મંદિરમાં તોડફોડ થતાં લોકોમાં રોષ
બીજી તરફ ધ્રોલની મોચી બજારમાં રહેતા તેજશભાઈ મુકુંદરાય ફિચડિયા નામના સોની વેપારીએ ધ્રોલમા જ રહેતા આસિફ કાસમભાઈ બિનસીદીક સામે ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે આ શખ્સ પોતાના વિસ્તારમાં રાત્રે બેફામ બન્યો હતો. જેણે વિસ્તારમાં છુટ્ટા પથ્થરોના ઘા ઝીંકી અને બે કટકે ગાળો ભાંડી હતી અને વેપારીની કારના કાચ તોડી નાખ્યાંની રાવ કરી હતી. ખાસ વાત એ છે કે આસિફ કાસમભાઈ બિનસીદીક નામના આરોપીએ જ મોચી બજારમાં આવેલ આ મંદિરની મૂર્તિ ખંડીત કરી તોડફોડ કર્યાના ધગધગતા આરોપ સાથે ફરિયાદ નોંધાવતા પોલીસ દોડતી થઈ છે. સાથે લોકોમાં વિરોધનો મધપૂડો છંછેડાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા