બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
Dinesh
Last Updated: 11:12 PM, 30 June 2023
વડોદરામાં MS યુનિવર્સિટીની સિન્ડીકેટની બેઠક પહેલા જ હંગામી કર્મચારીઓએ હોબાળો મચાવ્યો હતો. 700 હંગામી કર્મચારીઓનો નોકરીનો આજે છેલ્લો દિવસ છે જેને કર્મચારીઓએ હોબાળો મચાવ્યો હતો.
સ્ટાફ એસો.ના પ્રમુખનું નિવેદન
જે સમગ્ર મામલે બરોડા યુનિવર્સિટી સ્ટાફ એસો.ના પ્રમુખ પ્રતાપરાવ ભોયટેનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, આજે ઓર્ડર રીન્યુ ન થાય તો આવતીકાલથી કર્મચારી કામ નહીં કરે તેમજ યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયા અને પરીક્ષા ટલ્લે ચઢશે. પ્રતાપરાવ કહ્યું કે, આઉટસોર્સિંગ એજન્સીને પણ યુનિવર્સિટીમાં નહીં આવવા દઈએ. અત્રે તમને જણાવીએ કે, યુનિ.એ આઉટસોર્સિંગ એજન્સીના ટેન્ડર પ્રક્રિયાની તારીખ વધારીને 3 જુલાઈએ કરી છે. યુનિવર્સિટી હેડ ઓફિસ પર મોટી સંખ્યામાં હંગામી કર્મચારીઓ પ્રદર્શન કરી રહ્યા છે.
વાઇસ ચાન્સેલરે શું કહ્યું ?
યુનિવર્સિટીમાં આઉટસોર્સિંગથી કર્મચારીઓની ભરતી કરવા મામલે વાઇસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના નિર્ણયનો અમારે અમલ કરવો પડશે તેમજ આઉટસોર્સિંગથી કર્મચારીઓની ભરતી કરાશે તેવો વાઇસ ચાન્સેલરએ સંકેત આપ્યો છે.
કર્મચારી મંડળના પ્રમુખનું નિવેદન
ગુજરાત રાજ્ય પછાત વર્ગ બક્ષીપંચ કર્મચારી મંડળના પ્રમુખ ઠાકોર સોલંકી કહ્યું કે, યુનિવર્સિટીમાં આઉટસોર્સિંગથી કર્મચારીઓની ભરતી કરાશે તો યુનિવર્સિટીને બંધ કરી દઈશું તેમજ વાઇસ ચાન્સેલરએ ખુલીને હંગામી કર્મચારીઓના સમર્થનમાં બહાર આવવું જોઈએ અને સરકારમાં રજૂઆત કરી આઉટસોર્સિંગથી કર્મચારીઓની ભરતી અટકાવવી જોઈએ.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા