The trouble is immense! In Vijapur's Aglod village, land is falling every year, locals also said the reason for the danger, the system is unconscious.
મહેસાણા /
મુસીબત અપાર.! વિજાપુરના આગલોડ ગામમાં જમીન દર વર્ષે ધસી રહી છે, સ્થાનિકોએ જોખમનું કારણ પણ જણાવ્યું, તંત્ર બેભાન
Team VTV09:08 PM, 19 Mar 23
| Updated: 11:11 PM, 19 Mar 23
વિજાપુરના આગલોડ ગામ પાસેથી પસાર થતી સાબરમતી નદીનાં કોતરની જમીન દર વર્ષે ધસી રહી છે. આ બાબતે તલાટીને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિવેડો આવ્યો નથી.
વિજાપુરના આગલોડ ગામે નદીની કોતરથી સ્થાનિકો પર જોખમ
સાબરમતી નદીની કોતર સ્થાનિકો માટે બની મુસીબતનું કારણ
નદીના કોતરની જમીન દર વર્ષે ધસી રહી છે : સ્થાનિકો
વિજાપુરનાં આગલોડ ગામે નદીની કોતરથી સ્થાનિકો પર જોખમ છે. ત્યારે સાબરમતી નદીની કોતર સ્થાનિકો માટે મુસીબતનું કારણ બની છે. જેમાં આગલોડ ગામમાં નદીનાં કોતરો નજીક આવેલા મકાન છે. આ બાબતે સ્થાનિકોએ જણાવ્યું હતું કે નદીનાં કોતરની જમીન દર વર્ષે ઘસી રહી છે. જમીન ઘસતા ઘસતા મકાન નજીક પહોંચી જતા જોખમ વધ્યું છે. જમીન વધુ ધસે તો મકાનો નદીમાં સમાઈ જાય તેવી સ્થિતિ છે. ત્યારે સ્થાનિકો દ્વારા વારંવાર સંરક્ષણ દિવાલ બનાવવાની માંગ કરી છે. પરંતું ગ્રામ પંચાયત દ્વારા સ્થાનિકોની માંગની અવગણના કરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ એવો દાવો પણ કર્યો છે કે વહિવટી તંત્ર પણ સમગ્ર મામલે બેદરકાર હોવાનું જણાવ્યું હતું.
સંરક્ષણ દિવાલ બનાવવાની માંગ
અધિકારીઓ કહે છે કે અન્યત્ર શિફ્ટ થઈ જાઓઃ મંગેશભાઈ
આ બાબતે રહીશ મંગેશભાઈએ જણાવ્યું હતું કે, ગત ચોમાસામાં નદીનાં કોતરની જમીન ઘસી ગઈ હતી. જે બાબતે તલાટી તેમજ અન્ય અધિકારીઓને મળ્યો હતો. ત્યારે તેઓએ કહ્યું હતું કે બીજી કોઈ જગ્યાએ શિફ્ટ થઈ જાઓ. ત્યારે રજૂઆત કર્યાને છ થી સાત મહિના થવા છતા કોઈ નિકાલ થયો નથી. જે જમીન ધસી રહી છે. તે ન ધસે તે માટે સંરક્ષણ દિવાલ બનવી જોઈએ. તેવી અમારી માંગ છે.