બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Dinesh
Last Updated: 04:52 PM, 28 February 2023
હાટકેશ્વર બ્રિજને લઈને VTV NEWSના અહેવાલ બાદ AMC જાગ્યું છે. હાટકેશ્વર બ્રિજ કૌભાંડ મામલે તપાસના આદેશ બાદ મનપા કમિશનર એમ થેન્નારાસન અને મુકેશ કુમાર બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. હાટકેશ્વર બ્રિજના બે એજન્સીના રિપોર્ટ IIT રૂડકી ખાતે મોકલવામાં આવ્યા છે.
બ્રિજનું નિરીક્ષણ કર્યું
સરકારી આદેશ બાદ મનપા કમિશનર બ્રિજની સ્થળ તપાસ કરવા પહોંચ્યા હતા અને બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. આ અંગે કમિશનરએ જણાવ્યું હતું કે, રૂડકી ખાતે રિપોર્ટ મોકલવામાં આવ્યા છે રિપોર્ટ આવ્યા બાદ નિર્ણય લેવામાં આવશે. અને જે તે અધિકારી જવાબદાર હશે તેમની સામે પગલાં લેવામાં આવશે. હાટકેશ્વર બ્રિજ કૌભાંડ મામલે વિપક્ષ નેતા શહેજાદખાન પઠાણે પણ આક્ષેપો કરતા કહ્યું હતું કે, બ્રિજ ને લઈ હજુ સુધી કોન્ટ્રાકટર કે જવાબદાર અધિકારીને નથી નોટિસ અપાઈ. અગાઉ અજય ઇન્ફ્રાસ્ટક્ચરને રૂ 2.36 કરોડ ની પેનલ્ટી લાગી હતી. જોકે અજય ઇન્ફ્રાસ્ટક્ચરને માત્ર 23 લાખ ભરીને પતાવટ કરવામાં આવી હતી. સત્તધીશોના અજય ઇન્ફા સામે કાર્યવાહી નથી થઇ રહી અને તેને છાવરવામાં આવી હોવાના વિપક્ષ નેતા આક્ષેપો કર્યા છે
કટકી બાજ કોન્ટ્રાક્ટર
હાટકેશ્વર બ્રિજ હાલ રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે માત્ર 5 વર્ષમાં કટકી બાજ કોન્ટ્રાક્ટરએ બ્રિજની હાલત ખખડધજ કરી નાખી અને પ્રજાના ટેક્ષના પૈસા પાણીમાં ડૂબાડ્યા છે. તંત્ર હવે આ બ્રિજને લઇ તપાસ શરૂ કરી છે. બ્રિજના બે એજન્સીના રિપોર્ટ IIT રૂડકી ખાતે મોકલવામાં આવ્યા છે. સરકારી આદેશ બાદ મનપા કમિશનર બ્રિજની સ્થળ તપાસ કરવા પહોંચ્યા હતા અને બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. આ અંગે કમિશનર એ જણાવ્યું હતું કે રૂડકી ખાતે રિપોર્ટ મોકલવામાં આવ્યા છે રિપોર્ટ આવ્યા બાદ નિર્ણય લેવામાં આવશે. અને જે તે અધિકારી જવાબદાર હશે તેમની સામે પગલાં લેવામાં આવશે.
બ્રિજને હાલ તોડવો પડે તેવી પરિસ્થિતિ
બ્રિજ અંગે મનપા અસમંજસમાં છે કારણ કે, બ્રિજને હાલ તોડવો પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે પરંતુ તંત્ર રૂડકીના રિપોર્ટની રાહ જોઈએ રહ્યું છે. ત્યારે સવાલ અહીં કોન્ટ્રકટર અજય ઇન્ફ્રા સ્ટકચરને બચાવવા તંત્ર ક્યાંક ભીનું સંકેલતું હોય તેવું લાગી રહ્યું છે. વર્ષ 2014માં બ્રિજના કામની મંજુરી આપવામાં આવી હતી. અગાઉ અજય ઇન્ફ્રાસ્ટક્ચરને રૂ 2.36 કરોડની પેનલટી લાગી હતી પરંતુ માનીતા એવા અજય ઇન્ફા.ને માત્ર 23 લાખ ભરીને પતાવટ કરવામાં આવી હતી. તો વિપક્ષ નેતા આક્ષેપ કર્યા છે કે સત્તધીશોના માનીતા હોવાથી અજય ઇન્ફા સામે કાર્યવાહી નથી થઇ રહી અને તેને છાવરવામાં આવી રહ્યો છે
લોકોને હાલાકી
બ્રિજને લઇ સ્થાનિકો છેલા 6 મહિનાથી પરેશાન છે. ધંધા રોજગાર બંધ છે તો ક્યાંક ટ્રાફિકની સમસ્યા અહીંના સ્થાનિકો ને સતાવી રહી છે. સ્થાનિકો ના મત મુજબ બ્રિજ અંગે તંત્ર જલ્દી નિર્ણય લે તેવી માગ કરી રહ્યા છે. 40 કરોડમાં અજય ઇન્ફ્રાએ બનાવ્યો છતાં 5 વર્ષ પણ આ બ્રિજ ન ટકી શક્યો અને બ્રિજ હવે તોડવો પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. અજય ઇન્ફા. દ્વારા હાલ પલ્લવ ચાર રસ્તા બ્રિજનું કામ કરવામાં આવી રહ્યું છે. ગોતા રેલવે ઓવરબ્રિજ પણ અજય ઈન્ફાએ બનાવ્યો હતો. ત્યારે હવે આ બ્રિજમાં કૌભાંડ આચારનાર કોન્ટાક્ટર અને અધિકારીઓ સામે શું કાર્યવહી થાય છે તે જોવાનું રહ્યું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા