બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The son and grandson attacked the former agriculture minister of Gujarat for land
Priyakant
Last Updated: 10:08 AM, 6 January 2024
Kadi Crime News : આપણે ગુજરાતમાં એક કહેવત છે કે, જર, જમીન ને જોરુ એ ત્રણે કજિયાનાં છોરું. આ કહેવત મુજબની જ ઘટના મહેસાણા જિલ્લાના કડીથી સામે આવી છે. જોકે અહીં ચોંકાવનારી વાત તો એ છે કે, આ ઘટનાનો શિકાર ખુદ રાજ્યના પૂર્વ કૃષિમંત્રી બન્યા છે. આ સાથે એથી પણ ચોંકાવનારી વાત તો એ છે કે, ખુદ તેમના જ પુત્રોએ અન્ય ઇસમો સાથે મળી તેમની પર જમીન બાબતે હુમલો કર્યો છે. આ તરફ હવે ઘટનાને લઈ પૂર્વ કૃષિમંત્રીએ તેમના પુત્રો સહિત કુલ 6 ઇસમો સામે બાવલું પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મહેસાણા જિલ્લામાં કડી તાલુકાના ચંદ્રાસણ ગામથી જમીન મામલે હુમલાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ ચંદ્રાસણ ગામના વતની અને વર્ષો પહેલા ગુજરાત રાજ્ય સરકારમાં મંત્રી તરીકે રહેલા કરસનજી મગનજી ઠાકોર અત્યારે નિવૃત્ત જીવન જીવી રહ્યા છે. પૂર્વ કૃષિ મંત્રીની ચંદ્રાસણ ગામની સીમમાં સર્વે નંબર 1048, 1063 અને 1064 વાડી જમીન આવેલી છે અને અલગ અલગ પ્રકારના વાવેતર કરવામાં આવેલા છે. આ સાથે વિગતો મુજબ કરસનજી મગનજી ઠાકોરે જમીનની વહેંચણી કરેલી નથી તેમજ કબજા ભોગવટો પણ તેમનો જ છે.
જાણો શું છે સમગ્ર ઘટના ?
ગુરુવારના દિવસે પૂર્વ કૃષિમંત્રી કરસનજી મગનજી ઠાકોર પોતાના ઘરે જ હાજર હતા. આ દરમિયાન તેમણે જાણવા મળેલ કે, તેમની જમીનમાં કુલદીપ રાજેન્દ્ર ઠાકોર ટ્રેક્ટર લઈને આવ્યો છે અને જમીન ખેડી રહ્યો છે. જેથી કરસનજી ઠાકોર અને તેમનો પૌત્ર વિજય બાઈક લઈને પોતાની જમીને પહોંચ્યા હતા. જ્યાં તેમના જ એક બીજા દીકરા સહિતના છ ઇસમોએ ધોકા લાકડીઓ લઈને આવી પહોંચ્યા હતા અને ધાક ધમકીઓ પોતાના પિતાને જ ધક્કો મારી જાનથી મારી નાખીશું જેવી ધમકીઓ આપી હતી.
ગાળો બોલવાની ના પાડતા ઇસમો ઉશ્કેરાયા
આ દરમિયાન કરસનજીએ ગાળો બોલવાની ના પાડતા કુલદીપનું ઉપરાણું લઈને તેમના પુત્ર ગણપતજી, દશરથજી, તેમજ તેમના પૌત્રો હાથમાં ધોકા અને લાકડીઓ લઈને આવી પહોંચ્યા હતા અને જાનથી મારી નાખીશું જેવી ધમકીઓ આપવા લાગ્યા હતા. આ સાથે જમીનમાં ભાગ પાડી વહેંચણી કરી આપો નહીં તો આ ટ્રેક્ટર ચડાવી તમને જાનથી મારી નાખીશું જેવી ધમકીઓ આપીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
અંતે નોંધાઈ પોલીસ ફરિયાદ
આ તરફ ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી પણ તેમના પુત્ર, પૌત્રો સહિતના છ ઇસમોએ હુમલો કરી દેતા પંથકમાં પણ હડકંપ મચી ગયો છે. નોંધનિય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી પૂર્વ મંત્રી કરસનજી મગનજી ઠાકોરના પરિવારમાં જમીનની વહેંચણી બાબતે પારિવારિક તેમજ પોતાના જ પુત્રો સાથે વિવાદ ચાલી રહ્યો હતો. સમગ્ર બાબતે કરસનજી ઠાકોરે તેમના અન્ય એક પુત્રને જાણ કરીને બાવલું પોલીસ મથકમાં આવી પહોંચ્યા હતા અને 6 વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો. નોંધનિય છે કે, ઠાકોર કરશનજી વર્ષ 1980થી 1990 સુધી કડીના ધારાસભ્ય હતા અને 1985થી 90 સુધી કૃષિ મંત્રી તરીકે રહ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા