બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / Speculations of a reshuffle in the Union Council of Ministers abound
Malay
Last Updated: 09:18 PM, 30 December 2022
2024ની લોકસભાની ચૂંટણીની તૈયારીઓ વચ્ચે કેન્દ્રીય મંત્રી પરિષદમાં ફેરબદલની અટકળો ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બજેટ સત્ર પહેલા પોતાની ટીમમાં ફેરફાર કરી શકે છે. આ દરમિયાન ગુજરાતના કેટલાક સાંસદોને પણ પીએમ મોદીની ટીમમાં એન્ટ્રી મળી શકે છે. આપને જણાવી દઈએ કે, અગાઉ ગત વર્ષે 08 જૂને ફેરબદલ કરવામાં આવ્યો હતો.
આગામી વિધાનસભાની ચૂંટણી પર જોવા મળી શકે છે અસર
એક મીડિયા રિપોર્ટ અનુસાર, PM મોદી મકર સંક્રાંતિ અને બજેટ સત્ર વચ્ચે મંત્રીઓના નામોમાં ફેરફાર કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેના તાર ભારતીય જનતા પાર્ટીમાં સંગઠન સ્તર પર થનારા ફેરફારો સાથે જોડાયેલા હોઈ શકે છે. સાથે જ 2023માં થનારી વિધાનસભાની ચૂંટણી પર પણ આ સંભવિત ફેરબદલની અસર જોવા મળી શકે છે. રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે, સંભવિત ફેરબદલ માત્ર મંત્રીઓની કામગીરીના આધારે જ નહીં, પરંતુ અન્ય યોગ્ય સાંસદોને પણ તક આપીને કરવામાં આવશે. તેના દ્વારા મંત્રીમંડળમાંથી મુક્ત થનારા નામ સંગઠનમાં પાર્ટી માટે કામ કરી શકશે.
આ વખતે પણ થઈ શકે છે મોટા પાયે ફેરફાર
ગયા વર્ષે થયેલા ફેરબદલમાં ટીમ મોદીમાં 12 મંત્રીઓને બદલી નાખવામાં આવ્યા હતા. શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ વખતે પણ ફેરફાર મોટા પાયે થઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટીમમાં લોકસભાનું પ્રતિનિધિત્વ વધી શકે છે અને નીચલા ગૃહના સભ્યોને મહત્વપૂર્ણ જવાબારી સોંપવામાં આવી શકે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની મોટી જીત બાદ રાજ્યના કેટલાક સાંસદોને તક મળી શકે છે. પાર્ટીના નેતાઓએ રાજ્યના નેતાઓ અને પાર્ટીના પદાધિકારીઓ સાથે લાંબી બેઠક કરી છે. સંભાવનાઓ છે કે મંત્રી પરિષદમાં મહિલાઓ અને આરક્ષિત વર્ગની સંખ્યા વધી શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા