બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / મનોરંજન / બોલિવૂડ / 'Sita Mata' Deepika Chikhalia's comeback on TV after 33 years! He will do a powerful role in this serial
Megha
Last Updated: 03:36 PM, 18 August 2023
Dipika Chikhlia returns to TV: દીપિકા ચીખલિયાને દરેક વ્યક્તિ રામાનંદ સાગરના ટીવી શો 'રામાયણ'માં ભજવેલ પાત્રથી ઓળખે છે. દીપિકા ચીખલિયાએ 'રામાયણ'માં સીતાનું પાત્ર ભજવીને લોકોના દિલમાં એક અલગ જ સ્થાન બનાવી લીધું છે. દીપિકા હવે એક નવા શો સાથે પાછી ફરી છે, જેની વાર્તા અયોધ્યા પર આધારિત છે.
આ શોમાં જોવા મળશે દીપિકા ચીખલિયા
શોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં દીપિકા ચિખલિયાનો નવો લૂક જોવા મળી રહ્યો છે. દીપિકા ચીખલિયા લગભગ 33 વર્ષ પછી ફરી એકવાર નાના પડદા પર વાપસી કરી રહી છે. તેના નવા શોનું નામ 'ધરતીપુત્ર નંદિની' છે. આ શોના વિડિયોમાં તમને દીપિકાનો દમદાર રોલ જોવા મળશે.
લોકોના મગજમાંથી સીતાનું પાત્ર ગયું નથી
દીપિકા ચીખલિયાએ તેમની આ સિરિયલ વિશે વાત કરતાં કહ્યું કે- આજે પણ લોકોના મગજમાંથી સીતાનું પાત્ર ગયું નથી. આવી સ્થિતિમાં લોકો આજે પણ મને સીતા માતાની જેમ પૂજે છે. અયોધ્યાના ગુપ્તર ઘાટના મંદિરમાં પંડિતોએ મારા પગને સ્પર્શ કરવાનું શરૂ કરી દીધું હતું, જેના પર મેં એમને કહ્યું કે-આવું ન કરો, તમે વૃદ્ધ હોવા સાથે પંડિત પણ છો તો એમને મને કહ્યું કે, ના તમે તો માતા છો.
33 વર્ષ પછી ટીવી પર વાપસી કરી રહી છું
દીપિકા ચીખલિયાએ કહ્યું- 'રામાયણ' પછી મેં 'ટીપુ સુલતાન'માં કામ કર્યું અને હવે હું 'ધરતીપુત્ર નંદિની'માં કામ કરવા જઈ રહી છું. હું 33 વર્ષ પછી ટીવી પર વાપસી કરી રહી છું. હું ખુશ છું કે આ મારું પોતાનું નિર્માણ છે અને આ વાર્તા અયોધ્યાની છે. તેણે આગળ કહ્યું- મારા પાત્રનું નામ સુમિત્રા છે. આ સીરિયલમાં અમન જયસ્વાલ અને શગુન સેઠ પણ જોવા મળશે. હું લાંબા સમયથી કોઈ પ્રોડક્શનનું કામ શરૂ કરવાનું વિચારી રહી હતી. સીતા માતાના રોલને કારણે મને પછીથી કોઈ સારી ઑફર્સ મળી રહી ન હતી અને જે મળ્યું તે મને પસંદ નહોતું.
દીપિકાએ ઈન્ટરવ્યુમાં આગળ કહ્યું કે, 'મારા જીવનમાં ઘણો સંઘર્ષ ચાલી રહ્યો હતો. મને સમજાતું નહોતું કે હવે શું કરવું. લોકડાઉન દરમિયાન મને મારું પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કરવાનું આવ્યું. આ માટે મેં ઘણા લોકોનો સંપર્ક કર્યો. પછી ક્યાંક સારી સ્ક્રિપ્ટ મળે તે માટે દોઢ વર્ષ રાહ જોઈ. હવે આ સીરિયલ 21 ઓગસ્ટ 2023થી ટેલિકાસ્ટ થવા જઈ રહી છે.'
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા