બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / ગુજરાત / અમદાવાદ / Shocking case in Gujarat University's KS School: 5 students cheated in the name of admission
Malay
Last Updated: 09:46 AM, 20 August 2023
Ahmedabad News: ગત માર્ચ મહિનામાં યોજાયેલી બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર થયા બાદ મોટાભાગના વિદ્યાર્થીઓએ કોલેજોમાં એડમિશન લઈ લીધા છે. હાલ દરેક કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે અને કોલેજો પણ ચાલું થઈ ગઈ છે. જોકે, હજુ પણ કેટલાક વિદ્યાર્થીઓ કોલેજોમાં પ્રવેશ માટે પ્રયાસ કરી રહ્યા છે. જેના માટે તેઓ પૈસા ચૂકવીને પણ એડમિશન લેવા માટે તૈયાર છે. ત્યારે વિદ્યાર્થીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવવા કેટલાક ઠગો એક્ટિવ થયા છે. ત્યારે અમદાવાદના વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લઈને ખોટા અડમિશન આપવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. જોકે, આ મામલે કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી.
મેરિટ લિસ્ટમાં નામ ન આવતો ફૂટ્યો ભાંડો
ગુજરાત યુનિવર્સિટીની કે.એસ.સ્કૂલમાં રૂપિયા લઈને વિદ્યાર્થીઓને ખોટા પ્રવેશ ફાળવી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. મિત્રએ જ રૂપિયા લઈને 5 વિદ્યાર્થીઓને ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા કે.એસ.સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ અને એમએસસી આઇટીમાં ખોટા પ્રવેશ ફાળવી દીધા. જોકે, કોલેજ શરૂ થયા બાદ મેરિટલિસ્ટમાં વિદ્યાર્થીઓના નામ ન હોવાથી ભાંડો ફૂટ્યો હતો. કૌભાંડ સામે આવ્યા બાદ પણ યુનિવર્સિટીએ ફરિયાદ કરવાના બદલે પરસ્પર મામલો ઉકેલી લેવા તાકીદ કરી હતી.
વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા કો-ઓર્ડિનેટર પાસે
પ્રાપ્ત વિગતો અનુસાર, કે.એસ.સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટમાં ચાલતાં ઇન્ટિગ્રેટેડ એમબીએ અને એમએસસી આઇટી કોર્સમાં એડમિશન મળી ગયું હોવાનું માનીને છેલ્લા કેટલાક દિવસથી વિદ્યાર્થીઓ કોલેજમાં ક્લાસ એટેન્ડ કરી રહ્યા હતા. જે બાદ લાંબા સમય સુધી આ વિદ્યાર્થીઓને રોલ નંબર જાહેર ન થતાં તેઓ કો-ઓર્ડિનેટર પાસે પહોંચ્યા હતા અને તેમને કેમ રોલ નંબર જાહેર કરવામાં આવ્યા નથી તે અંગેની પૂછપરછ કરી હતી.
હચમચી ગયા વિદ્યાર્થીઓ
જે બાદ કો-ઓર્ડિનેટરે તેમની યાદી ચકાસતા આ પાંચેયના નામ યાદીમાં નહોંતા. જેથી કો-ઓર્ડીનેટરે આ વિદ્યાર્થીઓના પ્રવેશ જ થયા ન હોવાનું જણાવ્યું હતું. આ જાણી પાંચેય વિદ્યાર્થીઓ હચમચી ગયા હતા. તેમણે સમગ્ર મામલો વાલીઓને જણાવતા તેમના વાલીઓ પણ કોલેજ ખાતે દોડી આવ્યા હતા. આ દરમિયાન વાલીઓ રજિસ્ટ્રારને મળવા પહોંચ્યા હતા. જ્યાં વાલીઓને પૂછતા તેઓએ કહ્યું હતું કે વિદ્યાર્થીઓના મિત્રએ અંદાજે 17 હજાર રૂપિયાથી લઇને 20 હજાર રૂપિયા લઈને તેમના બાળકોને કે.એસ.સ્કૂલમાં પ્રવેશ ફાળવી દેવાની બાંયેધરી આપી હતી.
પરસ્પર મામલો ઉકેલ્યો
યુનિવર્સિટીના કે.એસ.સ્કૂલમાં એમબીએ અને એમએસસી આઇટીમાં પાંચ વિદ્યાર્થીઓને ખોટા પ્રવેશ ફાળવનારા શખ્સે ફીની પહોંચ પણ આપી હતી. જોકે, આ પહોંચ ખોટી હતી. જે બાદ યુનિવર્સિટી દ્વારા આ શખ્સને બોલાવીને વાલીઓને તેની સામે ફરિયાદ કરવા જણાવ્યું હતું. જોકે, પ્રવેશ અપાવનારા અને લેનારા પરસ્પર ઓળખતાં હોવાથી રૂપિયા પરત આપે તો પોલીસ ફરિયાદ ન કરવાનું વલણ દાખવ્યું હતું. જેથી બંને પક્ષે વચ્ચે આ મામલે સહમતિ થતાં તેઓએ ફરિયાદ કરી નહોંતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા