બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ધર્મ / shani grah nakshatra parivartan in october 2023 know effect on zodiac signs

Shani Nakshatra Parivartan / 15 ઓક્ટોબરથી બદલાશે શનિની ચાલ, આ રાશિના જાતકોએ રહેવું સાવધાન!

Arohi

Last Updated: 08:51 AM, 13 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shani Nakshatra Parivartan: શનિ ગ્રહ શતભિષા નક્ષત્રથી નિકળીને ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે. શનિના આ નક્ષત્ર પરિવર્તનથી બધી 12 રાશિઓ પર અલગ અલગ પ્રભાવ પડશે. આવો જાણીએ તમારી રાશિ પર શું ફરક પડશે.

  • શનિનો ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ 
  • તમામ રાશિઓ પર પડશે અસર 
  • 24 નવેમ્બર સુધી રહેશે ઘનિષ્ઠા નક્ષત્રમાં 

શનિદેવ હાલ પોતાની રાશિ કુંભમાં બિરાજમાન છે અને હવે 15 ઓક્ટોબરની સવારે તે શતભિષા નક્ષત્રથી નિકળીને ઘનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે. શનિ 24 નવેમ્બર સુધી આ ઘનિષ્ઠા નક્ષત્રમાં રહશે. ત્યાર બાદ નક્ષત્ર પરિવર્તન કરશે. 

ઘનિષ્ઠા નક્ષત્રનો સ્વામી મંગળ છે. તમને જણાવી દઈએ કે શનિ અને મંગળની વચ્ચે શત્રુતાનો ભાવ હોય છે. એવામાં શનિનું રાશિ પરિવર્તન અમુક રાશિ માટે સારૂ માનવામાં આવે છે તો અમુક રાશિઓને સાવધાન રહેવાની જરૂર હોય છે. 

મેષ 
શનિના ઘનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરવાથી મેષ રાશિના લોકો માટે નવો વ્યવસાય શરૂ કરવાનો સારો સમય છે. વ્યાપારીઓ માટે આ સમય આર્થિક લાભ આપશે. શનિદેવની કૃપાથી ધન લાભ થવાની સંભાવના છે. તમને દરેક કામમાં સફળતા મળશે. ઘરમાં સુખ-શાંતિ રહેશે. 

મિથુન
શનિના ઘનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરવાથી મિથુન રાશિના લોકોના વિદેશમાં અભ્યાસ કરવાનું સપનું પુરૂ થઈ શકે છે. કરિયરના મામલામાં તમને શુભ પરિણામ મળશે. મન પ્રસન્ન અને પ્રફુલ્લિત રહેશે. 

જો કોઈ કામ શરૂ થયું છે તો તેના સાથે જોડાયેલું કોઈ સમાધાન મળી શકે છે. નોકરીયાત લોકોને અધિકારીઓ પાસેથી મદદ મળી શકે છે. કાર્યમાં મન મુકીને સફળતા મળશે. 

કર્ક 
શનિના ઘનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશથી કર્ક રાશિના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ રાશિના લોકોની આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડી શકે છે. પરિવારની સાથે કોઈ વાત પર વિવાદ થઈ શકે છે. કામમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓ આવી શકે છે. 

બીન જરૂરી ખર્ચાથી તમે પરેશાન થઈ શકો છો. તમે પોતાની નોકરીને લઈને થોડા ચિંતિત રહી શકો છો. માટે કાર્યસ્થળ પર બીજાના કામમાં હસ્તક્ષેપ ન કરો. પોતાના વિશે વિચારશીલ બનવાનો પ્રયત્ન કરો. કોઈ પણ નિર્ણય લેતા પહેલા થોડુ સાવધાન રહો. 

સિંહ 
ઘનિષ્ઠા નક્ષત્રમાં શનિના ગોચરથી તમારા કરિયરમાં સફળતા મળશે. તમને નવી નોકરીનો પ્રસ્તાવ મળી શકે છે. નાણા સંબંધી કાર્ય સમય પર પુરા થશે. આર્થિક સમસ્યા દૂર થઈ શકે છે. રોકાણ માટે સમય તમારા પક્ષમાં રહેશે. ઘરમાં વાતાવરણ સારૂ રહેશે. 

કન્યા 
શનિના રાશિ પરિવર્તનથી કન્યા રાશિના લોકોને થોડુ સાવધાન રહેવાની જરૂર છે. કરિયર, નાણાકીય અને સ્વાસ્થ્ય પર પ્રતિકુળ પ્રભાવ પડી શકે છે. બિઝનેસમાં અમુક મુશ્કેલીઓ આવી શકે છે. રોકાણ કરવાથી તમને નુકસાનનો સામનો કરવો પડી શકે છે. 

નવી નોકરીની તલાશ કરી રહેલા લોકોને થોડી રાહ જોવી પડી શકે છે. તમને માનસિક સ્ટ્રેસનો સામનો કરવો પડી શકે છે. કોઈ વાત પર પરિવારમાં ઝગડો થઈ શકે છે. એવામાં પરિવારમાં મુશ્કેલીઓના કારણે માનસિક સ્ટ્રેસનો સામનો કરવો પડી શકે છે. 
 
તુલા 
શનિ મહારાજની કૃપાથી તમને કરિયરમાં શુભ પરિણામ મળશે. આ સમય શુભ રહેવાનો છે. વ્યાપારીઓને આર્થિક લાભ થવાની સંભાવના છે. શારીરિક અને માનસિક ઉર્જા યથાવત રહેશે. કોઈ વરિષ્ઠ વ્યક્તિ પાસે તમને ઉચિત સલાહ મળશે. કોઈ કામ ઓછા સમયમાં પુરૂ થઈ જશે. જીવનને એક નવી અને સારી દિશા મળશે. 

મીન 
મીન રાશિના લોકોને થોડુ સાવધાન રહેવાની જરૂર છે. દરેક લોકો પર વિશ્વાસ ન કરો. કારણ કે તમારી સાથે ફ્રોડ થઈ શકે છે. તમે કરિયરને લઈને થોડી ચિંતામાં રહી શકો છો. વ્યાપારની વાત કરીએ તો તમને આર્થિક નુકાસનનો સામનો કરવો પડી શકે છે. 

બિનજરૂરી ખર્ચોથી તમે પરેશાન થઈ શકો છો. પ્રેમ જીવન પર ખરાબ અસર પડી શકે છે. સ્વાસ્થ્યને લઈને થોડુ સતર્ક રહેવાની જરૂર છે. જુના રોગ એક વખત ફરી ઉથલો મારી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ