બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
Dinesh
Last Updated: 10:41 PM, 7 April 2023
સમગ્ર દેશમાં એમબીએ ચાયવાલાના સંસ્થાપક પ્રફુલ્લ બિલ્લૌરેએ અનેક આઉટલેટ ખોલ્યા છે પરંતુ હવે એ જ આઉટલેટમાંથી ફ્રેન્ચાઈઝી લેનારાઓ તેમની સાથે છેતરપિંડી કરાઈ હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ફ્રેન્ચાઈઝીના નામે તેમની સાથે કૌભાંડ કરવામાં આવ્યું છે.
MBA ચાયવાલા પર ગંભીર આક્ષેપો
એમબીએ ચાયવાલા આ નામ તો તમે સાંભળ્યું જ હશે, સમગ્ર દેશમાં એમબીએ ચાયવાલાના સંસ્થાપક પ્રફુલ્લ બિલ્લૌરેએ અનેક આઉટલેટ ખોલ્યા છે પરંતુ હવે એ જ આઉટલેટમાંથી ફ્રેન્ચાઈઝી લેનારાઓ તેમની સાથે છેતરપિંડી કરાઈ હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ફ્રેન્ચાઈઝીના નામે તેમની સાથે કૌભાંડ કરવામાં આવ્યું છે. એવા પણ આક્ષેપો કરાઈ રહ્યા છે કે, ત્રીસ ત્રીસ લાખ રૂપિયામાં ખોલવામાં આવેલી ફ્રેન્ચાઈજીમાં કોઈ ખાસ વકરો થતો નથી. થોડા દિવસ પહેલા ઈન્દૌરમાં ફ્રેન્ચાઈજી ખરીદનારા લોકોએ લસૂડિયા પોલીસમથક બહાર એક વીડિયો બનાવ્યો હતો જેમાં તેઓ MBA ચાયવાલા પર ગંભીર આક્ષેપો કરતાં નજરે પડ્યા હતા.
કહેવા મુજબ હજુ કોઈ વકરો થયો નથી
આમ, દેશના અનેક હિસ્સાઓમાંથી MBA ચાયવાલા વિરુદ્ધ છેતરપિંડીની ઉઠેલી ફરિયાદો વચ્ચે ગાંધીનગરમાંથી પણ પ્રફુલ્લ બિલ્લૌરે વિરુદ્ધ છેતરપિંડીના આક્ષેપો થઈ રહ્યા છે. ગાંધીનગરમાં MBA ચાયવાલાની ફ્રેન્ચાઇઝી લેનારા યુવરાજભાઈનો આક્ષેપ છે કે, તેમણે ફ્રેન્ચાઈઝી લીધી હતી જેમાં તેમને કડવો અનુભવ થયો છે. તેમણે જુલાઈ 2021માં ફ્રેન્ચાઈઝી લીધી હતી. પરંતુ પ્રફુલ્લ બિલ્લૌરેના કહેવા મુજબ હજુ કોઈ વકરો થયો નથી ઉલટાનું થોડા સમયમાં જ લોસ વધી ગયો છે.
છેતરપિંડીની અનેક ફરિયાદો ઉઠી
આપને જણાવી દઈએ કે, એમબીએ ચાયવાલા ફાઉન્ડર પ્રફુલ્લ બિલ્લૌરિયા વિરુદ્ધ આ પ્રકારની છેતરપિંડીની અનેક ફરિયાદો ઉઠી છે. ગાંધીનગર પહેલા અમદાવાદ અને સૂરતમાં પણ ફરિયાદ થઈ છે. હવે જ્યારે ફ્રેન્ચાઈઝી ધારકો પોતાના પૈસા પરત માગી રહ્યા છે ત્યારે પ્રફુલ્લ અને તેમના ભાઈ અલગ અલગ જવાબો આપી રહ્યા છે.
ફ્રેન્ચાઈઝી ધારકોને ન્યાય મળશે?
આમ હવે એમબીએ ચાયવાલાની ગેરંટી મુજબ ફ્રેન્ચાઈઝી ધારકોને નફો નથી થઈ રહ્યો અને આઉટલેટ બંધ કરવાની નોબત આવી છે ત્યારે જોવું એ રહેશે કે, આ બધા કેસો કાનૂની ગૂંચમાં ફસાય છે કે, પછી ફ્રેન્ચાઈઝી ધારકોને ન્યાય મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા