બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / સ્પોર્ટસ / Cricket / sarfaraz khan fitness and off field discipline big reason for to not be selected team india
Arohi
Last Updated: 08:53 AM, 26 June 2023
ભારતીય ટીમને આવતા મહિને એટલે કે જુલાઈમાં વેસ્ટઈન્ડિઝ પ્રવાસ પર જવાનું છે. અહીં બન્ને ટીમોની વચ્ચે ટેસ્ટ, વનડે અને ટી20ની સીરિઝ રમાશે. આ વિંડીઝ પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત કરી દીધી છે. જેમાં ઘણા ચોંકાવનારા નામ શામેલ છે.
પરંતુ એક સ્ટાર ખેલાડીને બહાર કરવામાં આવ્યો છે. જેણે બધાને ચોંકાવી દીધા છે. આ પ્લેયર સરફરાઝ ખાન છે. સરફરાઝને જગ્યા ન મળવા પર લેજેન્ડ સુનીલ ગાવસ્કર જેવા પૂર્વ દિગ્ગજે આલોચના કરી હતી. પરંતુ હવે BCCIના એક સૂત્રેએ દાવો કર્યો છે કે આ નિર્ણયના પાછળ મુંબઈના બેટ્સમેનની ખરાબ ફિટનેસ અને અનુશાસનમાં કમી મોટું કારણ છે.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 79.65ની સરેરાશથી બનાવ્યા રન
સરફરાઝે રણજી ટ્રોફીને પાછલા ત્રણ સીઝનમાં 2566 રન બનાવ્યા છે. તેમણે પોતાના કરિયરમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની 37 મેચોમાં 79.65ની સરેરાશથી રન બનાવ્યા છે. એવામાં અંડર-19 વર્લ્ડ કપમાં બે વખત દેશનું પ્રતિનિધિત્વ કરનાર ખેલાડીને ટીમ ઈન્ડિયામાં જગ્યા ન આપવા પર સવાલ ઉઠી રહ્યો છે.
ટીમમાં ઋતુરાજ ગાયકવાડનું સિલેક્શન
જ્યારે ભારતીય ટીમમાં ઋતુરાજ ગાયકવાડનું સિલેક્શન થયું છે. જેમના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કરિયરની સરેરાશ 42ના નજીક છે. ટીમની પસંદગી સાથે જોડાયેલા BCCIના એક અધિકારીએ જણાવ્યું, "આ પ્રકારની નારાજગી વાળી પ્રતિક્રિયા સમજમાં આવે છે પરંતુ હું તમને જણાવી શકૂ છું કે સરફરાઝને વારંવાર નજરઅંદાજ કરવામાં આવવા પાછળનું કારણ ફક્ત ક્રિકેટ નથી. એના ઘણા કારણ છે જેના કારણે તેમનું સિલેક્શન નથી થઈ રહ્યું."
"સરફરાઝે વજન કરવું જોઈએ ઓછુ"
તેમણે કહ્યું, "શું સિલેક્ટર્સમાં સમજણ નથી? જે સતત બે સીઝનમાં 900થી વધારે રન બનાવનાર ખેલાડીને નજરઅંદાજ કરે? ટીમમાં સિલેક્શન ન થવા પાછળ એક મોટુ કારણ તેમની ફિટનેસ છે. જે ઈન્ટરનેશનલ લેવલની નથી. સરફરાઝે તેના મામલામાં ખૂબ મહેનત કરવાની રહેશે અને પોતાનું વજન ઓછુ કરી વધારે ફિટનેસની સાથે વાપસી કરવાની રહેશે. સિલેક્ટર્સ માટે ફક્ત બેટિંગ ફિટનેસ જ એક માત્ર માપદંડ નથી."
બીસીસીઆઈના અધિકારી અનુસાર ફિટનેસની સાથે જ સરફરાઝના મેદાનની અંદર અને બહારના વ્યવહાર પણ અનુશાસનના માપદંડ પર ખરા નથી રહ્યા. તેમણે કહ્યું, "મેદાનની અંદર અને બહાર તેમનું આચરણ મુખ્ય સ્તરનું નથી રહ્યું. અમુક વાતો અને અમુક ભાવ ભંગિમા અનુશાસનની દૃષ્ટિકોણથી સારી નથી રહી. આશા છે કે સરફરાજ અને તેમના પિતા સુધી કોચ નૌશાદ ખાનની સાથે આ પાસા પર કામ કરશે."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા