બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / Sad News: Businessman Cyrus Mistry passed away in a road accident in Mumbai
Hiralal
Last Updated: 05:01 PM, 4 September 2022
દેશના જાણીતા ઉદ્યોગપતિ અને ટાટા પૂર્વના ગ્રુપ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું નિધન થયું છે. મુંબઈના પાલઘરમાં તેમની કારને અકસ્માત નડ્યો હતો જેમાં તેમનું મોત થયું હતું. સાયરસ મિસ્ત્રી અને બીજા ચાર લોકો કારમાં મુંબઈથી પાલઘર જઈ રહ્યાં હતા ત્યારે તેમની કાર ડિવાઈડર સાથે અથડાતાં ઉથલી પડી હતી. પાલઘરના એસપીએ તેમના મોતની પુષ્ટિ કરી દીધી છે.
Former chairman of Tata Sons Cyrus Mistry killed in road accident near Mumbai
— Press Trust of India (@PTI_News) September 4, 2022
રતન ટાટા અને સાયરસ મિસ્ત્રી વચ્ચે થયો હતો મોટો વિવાદ
રતન ટાટા અને સાયરસ મિસ્ત્રી વચ્ચે ઘણા લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. ડિસેમ્બર 2012માં રતન ટાટાએ તેમને ટાટા ગ્રુપના ચેરમેન બનાવ્યા હતા. જોકે ચાર વર્ષ બાદ 2016માં તેમને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. તેમને અચાનક પદ પરથી હટાવવાના કારણે તેઓ કોર્ટમાં પણ ગયા હતા અને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ ગયા હતા જ્યાં ચુકાદો તેમના પક્ષમાં આવ્યો હતો. જો કે આ નિર્ણય બાદ રતન ટાટાએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.
Maharashtra | Former Chairman of Tata Sons, Cyrus Mistry died in a car crash at around 3pm in the Palghar area today
— ANI (@ANI) September 4, 2022
A total of four people were travelling in the vehicle; two, including Cyrus Mistry, died, said police. pic.twitter.com/n48hZirTeQ
અમદાવાદથી મુંબઈ આવતી વખતે થયો અકસ્માત
પાલઘર પોલીસ અધિકારીએ જણાવ્યું કે સાયરસ મિસ્ત્રી કારમાં અમદાવાદથી મુંબઈ આવી રહ્યાં હતા ત્યારે પાલઘરમાં તેમની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. કારમાં કુલ 4 લોકો બેઠા હતા જેમાં 2 લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા ત્યારે બીજા બે લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
Former Chairman of Tata Sons Cyrus Mistry died in a car crash at around 3pm in Maharashtra's Palghar area. A total of 4 people were there in the vehicle; two, including Cyrus Mistry, died: Palghar Police pic.twitter.com/7sE8PgPUno
— ANI (@ANI) September 4, 2022
કારમાં ચાર લોકો હતા, બેના મોત, બે હોસ્પટલમાં દાખલ
સાયરસ મિસ્ત્રી જે કારમાં અમદાવાદથી મુંબઈ આવી રહ્યાં હતા તે કારમાં અકસ્માત વખતે 4 લોકો હાજર હતા જેમાંથી સાયરસ મિસ્ત્રી અને ડ્રાઈવરનું ઘટનાસ્થળે મોત થયું હતું જ્યારે બાકીના બે લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા.
Devastating News My Brother Cyrus Mistry passed away. Can’t believe it.
— Supriya Sule (@supriya_sule) September 4, 2022
Rest in Peace Cyrus. pic.twitter.com/YEz7VDkWCY
એનસીપી સાંસદ સુપ્રિયા સુલેએ કર્યું ટ્વિટ
શરદ પવારના પુત્રી અને એનસીપી સાંસદ સુપ્રિયા સુલેએ ટ્વિટ કરીને જણાવ્યું કે મારા ભાઈ સાયરસ મિસ્ત્રીનું માર્ગ અકસ્માતમાં મોત થયું તે વાત હું માની શકતી નથી.
Cyrus Mistry, former Chairman of Tata Sons, while travelling from Ahmedabad to Mumbai, died in a road accident after his car hit a divider. 4 people were present in the car; 2 died on spot & 2 were moved to hospital: Palghar police officials pic.twitter.com/nOlhZcKUZA
— ANI (@ANI) September 4, 2022
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શિંદેએ શોક વ્યક્ત કર્યો
સાયરસ મિસ્ત્રીના નિધન પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે તેમના મોતના સમાચાર સાંભળીને ભારે આઘાત લાગ્યો.
Maharashtra CM Eknath Shinde says "shocked to hear about the passing away of former Tata Sons chief Cyrus Mistry. He was not only a successful entrepreneur but also was seen in the industry as a young, bright & visionary personality. It's a great loss... My heartfelt tribute." https://t.co/mWOib54hKa pic.twitter.com/lULIMBxbnS
— ANI (@ANI) September 4, 2022
કોણ હતા સાયરસ મિસ્ત્રી
સાયરસ મિસ્ત્રીનો જન્મ મુંબઈમાં એક પારસી પરિવારમાં થયો હતો. તેઓ પાલોનજી મિસ્ત્રીનાં પુત્ર હતા. તેઓનાં પિતા આઈરિશ નાગરિકત્વ ધરાવે છે. તેઓ પરિવારમાં નાના દીકરા છે અને તેઓનાં મોટાં ભાઇનું નામ શાપુર મિસ્ત્રી છે. તેઓનો એકાદ સદીથી બિઝનેસ ચાલી રહ્યો છે. તેમણે યુનિવર્સિટી ઓફ લંડનથી સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. બાદમાં લંડન બિઝનેસ સ્કૂલમાંથી તેમણે મેનેજમેન્ટમાં માસ્ટર્સ કર્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા