બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / સ્પોર્ટસ / Cricket / Rohit Sharma can use the old strategy of changing playing eleven in finals to beat Australia
Vaidehi
Last Updated: 08:44 AM, 19 November 2023
ICC ક્રિકેટ વિશ્વકપ 2023ની ફાઈનલમાં આજે ભારત અને ઑસ્ટ્રેલિયાની ટક્કર થશે. બંને ટીમોની વચ્ચે આ મેચ અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થવા જઈ રહી છે. આ બ્લૉકબસ્ટર મેચ દરમિયાન ભારતનાં પ્લેઈંગ-11 પર સમગ્ર દુનિયાની નજર રહેશે. ભારતીય ટીમ ત્રીજી વખત ફાઈનલ્સમાં ઊતરીને ટાઈટલ જીતવાનો પ્રયાસ કરશે જ્યારે ઑસ્ટ્રેલિયાની ટીમ છઠ્ઠી વખત ફાઈનલ્સનાં મેદાનમાં ઊતરશે.
ભારતનાં પ્લેઈંગ-11માં ફેરફાર?
ફાઈનલ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા પોતાનાં મજબૂત પ્લેઈંગ-11ની સાથે મેદાનમાં ઊતરવું પસંદ કરશે. તેવામાં જોવાનું રહ્યું કે ભારત આ ટીમમાં કોઈ ફેરફાર કરે છે કે નહીં. અમદાવાદમાં કાળી માટીથી બનેલી પિચ પર ધીમો ટર્ન મળી શકે છે પણ ભારત તરફથી રવિચંદ્રન અશ્વિનને ત્રીજા સ્પિનર તરીકે રોહિત મેદાનમાં ઊતારે તેના ચાન્સ ઓછા લાગે છે. જો કે જ્યારે ગ્રુપ સ્ટેજમાં ભારત-ઑસ્ટ્રેલિયાની મેચ થઈ હતી ત્યારે રવિચંદ્રન અશ્વિન પ્લેઈંગ-11માં હતાં.
સિરાજનો વિકલ્પ ઉપલબ્ધ
સેમીફાઈનલ મેચમાં ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે 9 ઓવરમાં 74 રન આપ્યાં હતાં. પ્રસિદ્ધ કૃષ્ણાનાં રૂપમાં ભારત પાસે સિરાજનો વિકલ્પ ઉપલબ્ધ છે પણ કેપ્ટન રોહિત કદાચ જ વિન્ંગ કોમ્બિનેશનમાં છેડછાડ કરશે. જો કે ભારતીય ટીમે છેલ્લા 6 મહિનામાં જે પ્લેઈંગ-11ને મેદાનમાં ઊતાર્યું છે તેણે જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. તેવામાં પ્લેઈંગ-11માં જો કોઈ ફેરફાર ન કરવામાં આવે તો કોઈ નવાઈની વાત નથી. ટૂંકમાં રોહિત પોતાનો જૂનો ફોર્મુલાનો ફાઈનલની મેચમાં પણ ઉપયોગ કરી શકે છે.
ટૉસ જીતીને બેટિંગ લેશે રોહિત?
ફાઈનલમાં રોહિત શર્મા ટીમ જો ટૉસ જીતે છે તો તેઓ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે જેથી વિપક્ષી ટીમ પર દબાણ વધે. જો કે સ્ટાર બેટર વિરાટ અને ખુદ કેપ્ટન રોહિત જબરદસ્ત ફોર્મમાં છે. રોહિતે આ ટૂર્નામેંટમાં હજુ સુધી 10 મેચોમાં 55ની એવરેજ સાથે 550 રન બનાવ્યાં છે. તો વિરાટે 10 મેચ રમીને 101ની એવરેજથી સૌથી વધુ 711 રન બનાવ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા