બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Politics / ram is not god jitan ram manjhi controversial statement

વિવાદ / VIDEO: 'હું રામને નથી માનતો, રામ કોઈ ભગવાન નથી' : જીતન'રામ' માંઝીનું વિવાદિત નિવેદન

Hiren

Last Updated: 11:02 PM, 15 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારના પૂર્વ મુખ્યમંત્રી જિતનરામ માંઝી વિવાદિત નિવેદનો માટે જાણીતા છે. ત્યારે ફરી એક વિવાદિત નિવેદન આપ્યું છે.

  • બિહારના પૂર્વ CMની લપસી જીભ
  • રામ ભગવાન નથી માત્ર પાત્ર છેઃમાંઝી
  • પૂજા-પાઠથી કોઈ મોટું નથી થતુંઃ માંઝી

જમુઈ જિલ્લાના સિકંદરામાં ભીમરાવ આંબેડકર જયંતીમાં સામેલ થયેલા માંઝીએ લોકોને સંબોધિત કરતા ભગવાન રામ પર જ સવાલ ઉઠાવી દીધા. તેમણે કહ્યું કે, રામ કોઈ ભગવાન નથી પણ તુલસીદાસ અને વાલ્મિકી રામાયણનુ એક પાત્ર છે.

માંઝી અહીંયા જ નહોતા અટક્યા અને બીજા પણ એવા મુદ્દા ઉઠાવ્યા કે જેનાથી વિવાદ થઈ શકે છે. આંબેડકર જયંતિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે કહ્યુ કે, પૂજા પાઠ કરવાથી કોઈ મોટું થતું નથી. અનુસુચિત જાતિના લોકોએ કર્મ કાંડ કરાવવાનુ બંધ કરી દેવુ જોઈએ. 

બ્રાહ્મણો પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, જે બ્રાહ્મણો માંસ ખાય છે અને દારૂ પીવે છે, ખોટું બોલે છે, તેમનાથી દુર રહેવું જોઈએ. તેમની પાસે પૂજા પાઠ ન કરાવવા જોઈએ. તમે લોકો પૂજા પાઠ કરાવવાનું બંધ કરી દો. 

તેમણે કહ્યું કે, શબરીના એંઠા બોર રામે ખાધા હતા. આજે કોઈ રામની જેમ શબરીના એંઠા બોર ખાઈને બતાવે. સર્વણ લોકો ભારતના મૂળ રહેવાસી નથી, તેઓ બહારથી આવ્યા છે.
આંબેડકર જયંતીને લઇને સિકંદરાના હમ પાર્ટીના ધારાસભ્ય પ્રફુલ્લ માંઝીએ આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ