બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
Dinesh
Last Updated: 06:40 PM, 6 June 2023
ગુજરાતમાં બેરોજગારી મુદ્દે વિપક્ષ કોંગ્રેસે ફરી એક વખત સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે કે, ગુજરાતમાં યુવાનોનું શોષણ થઈ રહ્યું છે યુવાનોએ મંચ પર આવી આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. સરકારની સહાય પ્રાપ્ત કરનાર ઉદ્યોગોમાં 85% સ્થાનિકોને રોજગારીનો નિયમ હોવા છતાં ગુજરાત સરકાર રોજગારી આપતી નથી. જે સમગ્ર મામલે ભાજપે પણ પ્રતિક્રિયા આપી છે.
અમિત ચાવડાના ભાજપ પ્રહાર
કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે, ગુજરાતના યુવાનોને અન્યાય થઈ રહ્યો છે કામદાર અને કર્મચારીઓનું શોષણ થાય છે. સચિવાલયમાં કામ કરતા લીફ્ટમેનને 7 હજાર જ પગાર ચૂકવાય છે ગુજરાત ભાજપ સરકારમાં સરકારના માનીતા લોકો કર્મચારીઓનું શોષણ કરી રહ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ગુજરાતના યુવાનોને કાયમી નોકરી મળતી નથી અને યુવાનોનું શોષણ થાય છે. યુવાનોએ મંચ પર આવી આક્રોશ વ્યક્ત કર્યો છે તેમજ સરકારની સહાય પ્રાપ્ત કરનાર ઉદ્યોગોમાં 85% સ્થાનિકોને રોજગારીનો નિયમ છે. પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપની સરકાર છે. સરકારના માનીતા લોકો કર્મચારીઓનું શોષણ કરી રહ્યા છે તેમજ કાયદા પ્રમાણે સપ્તાહના 48 કલાકથી વધુ કામ ન લઈ શકાય.
ભાજપની પ્રતિક્રિયા
બીજી તરફ ગુજરાત ભાજપના નેતા યમલ વ્યાસ બેરોજગારી અંગે જવાબ આપ્યો છે. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસે યુવાનો સાથે અને ગુજરાતના નાગરિકો સાથે તમામ પ્રકારનો સંપર્ક ગુમાવી ચુકી છે. કોંગેસને ખબર નથી કે ગુજરાતમાં બેકારીનો દર ઓછામાં ઓછામાં છે, જે કોગ્રેસ માનવા તૈયાર નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે, ગુજરાત ડેરી ઉધોગમાં દેશમાં સૌથી આગળ છે અને કોંગ્રેસને ભાજપ સરકાર સારુ કામ કરે છે તેમને ક્યારેય પચતુ નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા