બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Dhruv
Last Updated: 10:31 AM, 7 September 2022
અમદાવાદમાં અવારનવાર આત્મહત્યા કર્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. જેમાં કોઇક મોંઘવારીના કારણે તો કોઇક દેવાના કારણે તો કોઇક સામાજિક કારણોસર જેવા અનેક કારણોના લીધે કોઇને કોઇ વ્યક્તિ આપઘાત કરતી હોય છે. ત્યારે આજે વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે.
પોલીસકર્મીએ પરિવાર સાથે 12માં માળેથી પડતું મૂક્યું
શહેરના ગોતા વિસ્તારમાં એક પોલીસકર્મીએ પોતાના પરિવાર સાથે આપઘાત કરી લીધો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. તમને જણાવી દઇએ કે, પોલીસ કોન્સ્ટેબલ કુલદીપ યાદવે પત્ની અને પોતાની 3 વર્ષની દીકરી સાથે આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે. પોલીસકર્મીએ પોતાના પરિવાર સાથે 12માં માળેથી પડતું મૂકીને આપઘાત કરી લીધો છે. જોકે, પોલીસને આ ઘટનાની જાણ થતા જ પોલીસ પણ તુરંત ઘટનાસ્થળે દોડી આવી હતી. હાલ સ્થાનિક પોલીસ આ અંગે તપાસ હાથ ધરી રહી છે. મહત્વનું છે કે, પોલીસ કોન્સ્ટેબલ સિંહ યાદવ વસ્ત્રાપુરમાં ફરજ બજાવતા હતા. જોકે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એકાઉન્ટ શાખામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ ભરતસિંહ યાદવે પોતાના પરિવાર સાથે આત્મહત્યાનું પગલું લેતા પોલીસ બેડામાં ભારે શોકની લાગણી ફરી વળી છે. જોકે, આપઘાત કરવા પાછળનું કારણ હજુ સુધી સામે નથી આવ્યું. પરંતુ આ મામલે સોલા હાઈકોર્ટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પરિવાર આશરે બેથી ત્રણ વર્ષથી દિવા હાઇટ્સમાં રહેતા
આ ઘટના અંગે દિવા હાઇટ્સમાં રહેતા સ્થાનિકનું કહેવું છે કે, 'આ પરિવાર આશરે બેથી ત્રણ વર્ષથી અહીં રહેતા હતા. મંગળવારે રાત્રે 1:13 મિનિટે પહેલા મહિલા નીચે પડી, તેની દસેક સેકન્ડ બાદ બાળકીને સાથે રાખી પોલીસકર્મીએ 12માં માળેથી ઝંપલાવ્યું હતું. બાદમાં રાત્રે બે વાગે ચોકીદાર જગાડવા આવ્યો અને તેણે જણાવ્યું કે, નીચે ત્રણ લાશો પડી છે.
સુરતના પાલ પાલનપુરના બિલ્ડરે પણ આપઘાત કર્યો
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છાશવારે આપઘાતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે અન્ય જગ્યાએ પણ આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં સુરતના પાલ પાલનપુરના બિલ્ડરે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. બિલ્ડર અનિલ પટેલે સુસાઇડ નોટ લખીને આપઘાત કર્યો છે. આ સુસાઇડ નોટમાં બિલ્ડરે ત્રણેય ભાગીદારોનો ઉલ્લેખ કર્યો છે. જેમાં શંકરકાકા, જતીન અને ગણપતકાકાના નામનો ઉલ્લેખ કર્યો છે. તાજેતરમાં જ અનિલ પટેલે કલ્યાણ રેસીડેન્સીના નામે પ્રોજેક્ટ મૂક્યો હતો. હાલમાં આ મામલે અડાજાણ પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા