બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / pm modi visit to ramnath kovind village paraukh up kanpur president breaks protocol
Mayur
Last Updated: 07:25 PM, 4 June 2022
ઉત્તર પ્રદેશના કાનપુરમાં શુક્રવારે ભારતના બે સૌથી ટોચના નેતાઓની એક સાથે હાજરી જોવા મળી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમના વતન ગામ પરૌખ પહોંચ્યા હતા. પછીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કાનપુર ગ્રામ્ય વિસ્તારમાં સ્થિત તેઓના ગામમાં પહોંચ્યા હતા.
PM મોદી ચકિત થઈ ગયા
આ દરમિયાન એક એવી ઘટના બની, જેના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેઓને શરમ લાગી ગઈ હતી. પીએમ મોદીએ પોતે પોતાના ભાષણમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું હતું કે આ ઘટના જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા.
રાષ્ટ્રપતિએ તમામ પ્રોટોકોલ તોડયા
શુક્રવારે એટલે કે 3 જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ કોવિંદના ગામ પરૌખ પહોંચ્યા હતા. આ દરમિયાન રાષ્ટ્રપતિએ તમામ પ્રોટોકોલ તોડીને પોતાના વતન ગામ પહોંચેલા પીએમને રિસીવ કર્યા હતા. તેઓ ખુદ પીએમ મોદીને લેવા હેલિપેડ પર પહોંચ્યા હતા.
આ ઘટનાનો ઉલ્લેખ કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ભાષણમાં કહ્યું હતું કે મહામહિમની આ ઉષ્માથી મને સુખદ આશ્ચર્ય થયું હતું. તેમણે કહ્યું હતું કે આ દરમિયાન હું ખૂબ જ શરમ અનુભવી રહ્યો હતો.
એક તરફ બંધારણ હતું અને બીજી બાજુ સંસ્કારો.
પરૌખ ખાતે સભાને સંબોધતા પીએમએ કહ્યું કે આ ગામની માટીમાંથી રાષ્ટ્રપતિને જે મૂલ્યો મળ્યા છે તે આખી દુનિયાએ જોયા છે. મેં જોયું કે એક તરફ બંધારણ હતું અને બીજી બાજુ સંસ્કારો. રાષ્ટ્રપતિજીએ ઓફિસની મર્યાદામાંથી બહાર આવીને મને આશ્ચર્યચકિત કરી દીધો હતો. મને રિસીવ કરવા તેઓ પોતે હેલિપેડ પર આવ્યા હતા. આનાથી મને ખૂબ જ શરમ અનુભવાઈ કારણ કે તેમના માર્ગદર્શન હેઠળ અમે કામ કરી રહ્યા છીએ અને તેમના પદની એક ગરિમા છે. તેઓ એક વરિષ્ઠ પદે બિરાજે છે.
PM MODI એ કહ્યું હતું કે મેં રાષ્ટ્રપતિને કહ્યું કે તેમણે આજે મારી સાથે મોટો અન્યાય કર્યો છે. તેના પર રાષ્ટ્રપતિએ કહ્યું કે હું બંધારણની મર્યાદાઓનું પાલન કરું છું, પરંતુ સંસ્કારોની પણ પોતાની તાકાત હોય છે. હું અહીં તમારું સ્વાગત રાષ્ટ્રપતિ તરીકે નહીં પરંતુ એક બાળક તરીકે જે અહીં મોટો થયો છે, પરૌખ ગામના નાગરિક તરીકે કરું છું. PM મોદીએ કહ્યું હતું કે આ આપણી સામે એક ઉદાહરણ છે કે ભારતના એક ગામમાં જન્મેલો સૌથી ગરીબ વ્યક્તિ પણ વડાપ્રધાન, રાજ્યપાલ કે મુખ્યમંત્રી બની શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા