બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
Parth
Last Updated: 02:55 PM, 27 April 2021
અમદાવાદની ધનવંતરી હોસ્પિટલ શોભાના ગાઠીયા સમાન
ગુજરાતનો શ્વાસ કોરોના વાયરસના કારણે રૂંધાઈ રહ્યો છે, ખાસ કરીને અમદાવાદ અત્યારે નાજુક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. એવામાં તંત્રનું મનફાવે તેવું વર્તન લોકોના જીવ લઈ રહ્યું છે. અમદાવાદમાં દર્દીઓ સારવાર વગર જ, ઑક્સીજન માટે તરફડીને જીવ ગુમાવી રહ્યા છે. તંત્ર દ્વારા અણઘડ નિયમો અનુસાર માત્ર 108ના દર્દીઓને જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે અને હવે તો આધાર કાર્ડ પણ માંગવામાં આવી રહ્યા છે ત્યારે દેશના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે જે કોવિડ હોસ્પિટલ અમદાવાદમાં શરૂ કરવામાં આવી જેમાં 900 બેડની સુવિધાનો દાવો કરવામાં આવી રહ્યો છે તે હોસ્પિટલ હજુ પણ જાણે શોભાના ગાંઠિયા સમાન હોય તેવું દેખાઈ રહ્યું છે.
900 બેડની હોસ્પિટલ છતાં માત્ર 125 દર્દી દાખલ
900 બેડની હોસ્પિટલમાં નેતાઑના હાથે ઉદ્ઘાટન થઈ ગયાના પાંચ દિવસ બાદ પણ માત્ર 125 દર્દીઓને દાખલ કરવામાંઆ આવ્યા છે. એક તરફ આખા અમદાવાદમાં બેડની અછત છે અને બીજી બાજુ આ આખી આટલી મોટી હોસ્પિટલમાં મોટા ભાગના બેડ ખાલી પડ્યા છે.
શું રાજ્ય સરકારે ઉદ્ધાટન કરવા માટે જ હોસ્પિટલ ખોલી છે ?
નોંધનીય છે કે અમદાવાદમાં 900 બેડની હોસ્પિટલ ઊભી તો કરી દેવામાં આવી પરંતુ અહિયાં ખાનગી વાહનોમાં આવતા દર્દીઓને કોઈ જ સારવાર આપવામાં આવતી નથી. દર્દીને દાખલ ન કરવાં માટે 108નું બહાનું કાઢવામાં આવે છે ત્યારે સવાલ એ ઊભા થાય છે કે શું આ હોસ્પિટલ સરકારે માત્ર ઉદ્ઘાટન કરવા જ ખોલી હતી?
દર્દીઓ ઘરે દમ તોડી રહ્યા છે ત્યારે હોસ્પિટલમાં 108નો જડ નિયમ
અમદાવાદમાં દર્દીઓ સારવાર વિના જ ખાનગી વાહનો અને ઘરમાં જ દમ તોડી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા બનાવવામાં આવેલા 108ના જડ નિયમ સામે પ્રજામાં ભયંકર રોષ જોવા મળી રહ્યો છે.
गुजरात यूनिवर्सिटी कन्वेंशन सेंटर, अहमदाबाद में कल से शुरू हो रहे राज्य सरकार, रक्षा मंत्रालय व गृह मंत्रालय की सहायता से तैयार किए गए 900 ऑक्सीजन बेड व उच्च स्तरीय सुविधाओं से युक्त धन्वंतरी कोविड अस्पताल का निरीक्षण किया। इससे अहमदाबाद के कोरोना मरीजों को बहुत लाभ मिलेगा। pic.twitter.com/pJOPNlzU6G
— Amit Shah (@AmitShah) April 23, 2021
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા