બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / nitish kumar attacks lalu yadav family says he has given birth to so many children
Hiralal
Last Updated: 04:50 PM, 20 April 2024
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પારિવારિક વિવાદને લઈને ફરી એકવાર આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ પર નિશાન સાધ્યું છે. નીતિશ કુમારે શનિવારે કટિહારમાં લાલુ અને રાબડી દેવીનું નામ લીધા વગર ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે, આ લોકોએ ઘણા પેદા કર્યાં, શું કોઈએ આ રીતે બાળકો પેદા કરવા જોઈએ? તેમણે લાલુને ટોણો મારતા કહ્યું કે પહેલા તેઓ પોતે સીએમ બન્યા, જો તેઓ જતા રહ્યા તો તેમણે પત્ની બનાવી. તે હવે બાળકોને આગળ કરી રહ્યાં છે. કેટલીક જગ્યાએ તેઓ દીકરીઓને મૂકી રહ્યા છે તો બીજી જગ્યાએ દીકરાઓને મૂકી રહ્યા છે.
#WATCH | Katihar: Bihar CM Nitish Kumar says, "Some people claim everything these days. They appointed their wives when they were removed. Now, it is their children these days. 'Ab paida to bahut kar diya. Itna zyaada paida karna chahiye kisi ko, baal baccha?'... Now they have… pic.twitter.com/x8Q8GdKz0W
— ANI (@ANI) April 20, 2024
આરજેડી પરિવારની પાર્ટી-નીતિશ
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે શનિવારે કટિહારના દાંડખોરાના દુમરિયામાં જેડીયૂ ઉમેદવાર દુલાલચંદ ગોસ્વામીના સમર્થનમાં જનસભાને સંબોધિત કરી. પોતાની વિકાસગાથાની ચર્ચા કરવાની સાથે મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં લોકોમાં લઘુમતીઓ માટેનું કામ રાખ્યું હતું. આ સાથે જ મુખ્યમંત્રીએ ઈશારાઓમાં પરિવારવાદ માટે લાલુ પરિવાર પર અલગ અંદાજમાં પ્રહાર કર્યા હતા. તેમણે આરજેડી વિશે કહ્યું કે આ પરિવાર કોઇનો નથી, પરંતુ તેમના પરિવારની પાર્ટી છે. તેમણે વિકાસના મુદ્દે એનડીએના ઉમેદવારને મત આપવા લોકોને અપીલ કરી હતી. પોતાના ભાષણમાં નીતિશ કુમારે લોકોને આરજેડીના શાસનની સ્થિતિની યાદ અપાવી હતી. તેમણે કહ્યું કે તમે જૂની વાત ભૂલી ગયા હશો, તેથી કહેવા માંગો છો કે પહેલા કોઈ કામ થયું ન હતું. રાત્રે કોઈ બહાર જઈ શકતું ન હતું. આવવા-જવાનો કોઈ રસ્તો નહોતો. અભ્યાસ અને સારવાર માટે કોઈ સુવિધા નહોતી. ક્યાંય પણ વ્યવસ્થા નહોતી.
Bihar Chief Minister Nitish Kumar takes a jibe at RJD leader Lalu Prasad Yadav says, "Does anyone give birth to so many children..." pic.twitter.com/mAKeukqY4y
— IANS (@ians_india) April 20, 2024
લાલુનો આખો પરિવાર રાજનીતિમાં
લાલુ પ્રસાદ યાદવનો આખો પરિવાર રાજનીતિમાં રહી ચૂક્યો છે હાલમાં પણ છે. લાલુ પ્રસાદ યાદવની બે પુત્રીઓ મીસા ભારતી અને રોહિણી આચાર્ય આ વખતે ચૂંટણી લડી રહ્યા છે. સીએમ નીતિશ ઘણીવાર પોતાના ભાષણોમાં આ વાતનો ઉલ્લેખ કરી રહ્યા છે અને લાલુ યાદવ પર પોતાના પરિવારને આગળ વધારવાનો આરોપ લગાવી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા