બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / Niti Aayog suggests task force amid rising H3N2 outbreak
Kishor
Last Updated: 06:15 PM, 11 March 2023
દેશભરમાં વકરી રહેલા H3N2 વાયરસના પ્રકોપને પગલે આરોગ્યતંત્ર દોડતું થયું છે. તો બીજી તરફ લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે આવી સ્થિતિ વચ્ચે નીતિ આયોગે ઇન્ફલ્યુએન્ઝાનો સામનો કરવા માટે ટાસ્ક ફોર્સની રચના કરવા અંગે એક બેઠક યોજી છે. જે બેઠકમાં વાયરસનો સામનો કરવા માટે રાજ્યોને સજ્જ રહેવા સૂચન કરવામાં આવ્યું છે. વધુમાં હોસ્પિટલોમાં સ્ટાફ, દવા મેડિકલ, ઓક્સિજન સહિતના સંસાધનોની ઉપયોગીતા સજ્જ રાખવા પણ આદેશ કરાયા છે. ઉપરાંત આ વાયરસનો સામનો કરવા પ્રથમ તમામ લોકોને જાગૃત કરવા સહિતની કાર્યવાહી કરવા જણાવ્યું છે.
લોકોમાં જાગૃતિ લાવવા માટે પગલાં લેવામાં
બેઠકમાં જણાવ્યા અનુસાર લોકોમાં જાગૃતિ લાવવા માટે પગલાં લેવામાં આવશે. આ ઉપરાંત ઇન્ફલ્યુએન્ઝાનો સામનો કરવા માટે કોરોના જેવા જ નિયમોનું પાલન કરવા અંગે નિર્દેશ કરાયો છે. જેમાં નાક અને મો ઢાંકવા ઉપરાંત ભીડભાડ વાળી જગ્યાએ જવાનું ટાળવા તથા આ વાયરસના સંભવિત લક્ષણો વાળા લોકોના સંપર્ક ન આવવા જણાવાયુ છે. તેમજ લક્ષણો દેખાતાની સાથે જ ટેસ્ટ કરાવી લેવા સહિતની સૂચના આપવામાં આવી છે. આ મામલે રાજ્યોને સુચના આપી દેવામાં આવશે. ઉપરાંત કમિશન દ્વારા પ્રેસ રિલીઝ જાહેર કરી લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
જાન્યુઆરી માસથી 451 કેસ સામે નોંધાયા
આ ઉપરાંત કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા એ પણ સતત મોનિટરિંગ વધારવા સૂચના આપી છે. મહત્વનું છે કે ઇન્ફલ્યુએન્ઝાને પગલે કર્ણાટકમાં એક અને હરિયાણામાં એક એમ કુલ બે મોત થયાનું પણ સામે આવ્યું છે. આરોગ્ય મંત્રી મનસુખ માંડવીએ શુક્રવારે રાજ્યોના સબંધિત વિભાગને પરિસ્થિતિ પર નજર રાખવા જણાવ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલા ડેટામાં જણાવ્યા મુજબ બે જાન્યુઆરીથી માંડી પાંચ માર્ચ સુધીમાં દેશમાં H3N2ના 451 કેસ સામે આવ્યા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા