મહારાષ્ટ્રની રાજનીતિમાં ઉપર ઉપરથી બધું શાંત પડેલું દેખાતું હવે ફરી પાછુ ઉપડ્યું છે. 3 જુલાઈએ શિંદે સરકારની અગ્નિપરીક્ષા છે પરંતુ તે પહેલા મહાવિકાસ અઘાડી સરકારે વિધાનસભાના સ્પીકરની ચૂંટણી લડવાની જાહેરાત કરીને ઉમેદવારના નામની જાહેરાત કરી છે. મહાવિકાસ અઘાડીના આ નિર્ણયથી બધા ચોંકી ઉઠ્યાં છે. જોકે શિવસેનાની બાગી છાવણી અને ભાજપ પાસે પૂરતી બહુમતી હોવાથી મહાવિકાસ અઘાડી ગઠબંધનના ઉમેદવાર નહીં પરંતુ તેમના ઉમેદવાર સ્પીકર બનશે.
ભાજપના રાહુલ નાર્વેકર અને શિવસેનાના રાજન સાલ્વી વચ્ચે સ્પીકરનો જંગ
એનડીએ તરફથી ભાજપના ધારાસભ્ય રાહુલ નાર્વેકરને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જેમની સામે શિવસેનાના ધારાસભ્ય રાજન સાલ્વી તેમની વિરુદ્ધમાં છે. બંને ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ચૂંટણી 3 જુલાઈએ છે. આ સાથે જ મહા વિકાસ આઘાડીએ વિધાનસભા અધ્યક્ષની ચૂંટણીને લઈને પણ સવાલો ઉઠાવ્યા છે. ગઠબંધનના નેતાઓનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દો પેન્ડિંગ હોવા છતાં વિધાનસભા અધ્યક્ષની પસંદગી કેવી રીતે થઈ શકે. આ અંગે વિધાનમંડળના અગ્ર સચિવને ફરિયાદ કરવામાં આવી છે.
3 જુલાઈએ થશે વિધાનસભા સ્પીકરની ચૂંટણી
મહારાષ્ટ્રમાં 3 જુલાઈએ વિધાનસભા સ્પીકરની ચૂંટણી થવાની છે સાથે શિેદે સરકારે બહુમતી પણ પુરવાર કરશે.
મહારાષ્ટ્રમાં સ્પીકરનું પદ બે વર્ષથી ખાલી
મહારાષ્ટ્રમાં સ્પીકરનું પદ બે વર્ષથી ખાલી છે. વિધાનસભાના બે દિવસીય વિશેષ સત્રના પ્રથમ દિવસે 3 જુલાઈએ ચૂંટણી થશે. નાના પટોલેએ સ્પીકર પદ છોડ્યા બાદથી સ્પીકરનું પદ ખાલી છે. શિંદે સરકારે ૪ જુલાઈએ બહુમતી સાબિત કરવી પડશે. આ માટે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે.
શિંદે જૂથને સુપ્રીમ કોર્ટમાંથી રાહત
શિંદે કેમ્પના બળવાખોર ધારાસભ્યોને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે કહ્યું કે 11 જુલાઇના રોજ નિર્ધારિત સુનાવણીમાં સુનીલ પ્રભુની અરજી પર પણ વિચાર કરશે. સુનીલ પ્રભુને સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. તેની અગાઉની અરજીની સાથે 11 જુલાઈએ કોર્ટ આ મામલે સુનાવણી કરશે.સુપ્રીમ કોર્ટે પ્રભુની અરજી પર કોઈ આદેશ આપવાનો ઈનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે 11 જુલાઈએ સુનાવણી કરશે. અમે તો કહી જ દીધું છે. કોર્ટે સુનીલ પ્રભુને સોગંદનામું દાખલ કરવા જણાવ્યું છે.