બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / lockdown 5 modi government new guidelines

કોરોના / લૉકડાઉન 5માં જાણો શું બંધ રહેશે અને શું ચાલુ, સૌથી મોટી રાહત રાજ્યોમાં અવર-જવરમાં મળી

Kavan

Last Updated: 11:00 PM, 30 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના મહામારીને પહોંચી વળવા માટે દેશમાં ફરી એકવાર લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે. લૉકડાઉન 5.0ની ગાઇડલાઇન સરકારે જાહેર કરતા કહ્યું છે કે, કન્ટેનમેન્ટ ઝોનની બહાર સરકાર દ્વારા તબક્કાવાર છૂટછાટ આપવામાં આવશે. જો કે, રાજ્ય સરકાર તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને પોતાની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઇને નિર્ણય લેવાની છૂટ આપી છે.

  • અનલોક 1ને લઇને ગૃહમંત્રાલયની ગાઇડલાઇન જાહેર
  • કન્ટેનમેન્ટ ઝોન સિવાય તબક્કવાર છૂટ અપાશે 
  • રાજ્ય સરકારને નિર્ણય લેવાની આપી છૂટ

ઉલ્લેખનીય છે કે,આ સાથે જ કન્ટેનમેન્ટ ઝોનની બહાર તમામ છૂટ આપવામાં આવશે. આ ગાઇડલાઇન્સ 1 જૂનથી 30 જૂન સુધી યથાવત રહેશે. જેમાં આ શું ખુલ્લુ રહેશે અને શું બંધ રહેશે તેની વિગત નીચે પ્રમાણે છે. 

શું ચાલુ

કર્ફ્યુથી રાહત

નવી દિશાનિર્દેશો પ્રમાણે, રાત્રિ કર્ફ્યુ ચાલુ રહેશે. આવશ્યક વસ્તુઓ માટે કોઈ કર્ફ્યુ રહેશે નહીં. રાત્રિ કર્ફ્યુ રાત્રે 9થી સવારના 5 સુધી રહેશે. અત્યાર સુધી તે રાત્રીના 7 વાગ્યાથી સવારના 7 વાગ્યા હતા. સરકાર શાળા-કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ પછીથી ખોલવા અંગે નિર્ણય લેવાશે.

ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી 

મંદિર-મસ્જિદ-ગુરૂદ્વારા-ચર્ચ ખોલવા માટેની મંજૂરી આપવામાં આવી છે. કોઇ રાજ્ય મોલ ખોલવા ઇચ્છે તો તબક્કા મુજબ ખોલી શકે છે. સ્કૂલ-કોલેજ જુલાઇથી ખોલવામાં આવી શકે છે. આ સાથે જ ધાર્મિક સ્થળો અને જાહેરમાં પ્રાર્થના કરવાના સ્થળો, હોટલો, રેસ્ટોરન્ટ અને અન્ય હોસ્પિટાલીટી સર્વિસીસ, શોપિંગ મોલ્સને ૮ જુન 2020થી ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. 

અન્ય રાજ્યોમાં પ્રવાસ પરનો પ્રતિબંધ થશે સમાપ્ત

ગૃહ મંત્રાલયની નવી માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે એક રાજ્યથી બીજા રાજ્યમાં જવા પરનો પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે. આ સાથે, રાજ્યને એક જિલ્લાથી બીજા જિલ્લામાં જવા માટે પણ મંજૂરી આપવામાં આવી છે. જો કે, લોકોએ આ સમયગાળા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું ફરજીયાત બનશે. નવા નિયમ મુજબ, ક્યાંય જતાં પહેલાં કોઈની પરવાનગી લેવાની જરૂર રહેશે નહીં.

રાજ્ય સરકારે લેવો પડશે નિર્ણય

લૉકડાઉન 5.0માં રાજ્ય સરકારોને મોટા ભાગના નિર્ણય લેવાની છૂટ આપી છે. હવે રાજ્યોની સરકાર નક્કી કરશે કે કેવી રીતે રાજ્યમાં બસ અને મેટ્રો સેવાઓ શરૂ કરવાની છે. નવા ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યું કે, કેન્દ્ર સરકારે પ્રતિબંધ હટાવી લીધો છે. પરંતુ રાજ્ય સરકાર પોતાની રીતે પાબંધીઓ લગાવી શકે છે. 

શું બંધ?

અનલૉકના ત્રીજા તબક્કામાં દેશમાં આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રા, સ્વિમિંગ પુલ, મનોરંજન પાર્ક, થીએટર, બાર, ઓડીટોરિયમ, હોલ્સ અને સામાજિક, રાજકીય, રમતગમત, શૈક્ષણિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને મનોરંજનને લગતા જાહેર સ્થળના મેળાવડાઓ. પરિસ્થિતિ પ્રમાણે ફેઝ 3માં આ પ્રવૃત્તિઓ ક્યારે ખોલવી તે નક્કી કરવામાં આવશે.

કન્ટેનમેન્ટ ઝોનમાં લોકડાઉન

દેશના કન્ટેનમેન્ટ ઝોનમાં 30 જુન સુધી લોકડાઉન રહેશે. જીલ્લાનું તંત્ર આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના માર્ગદર્શન વડે કન્ટેનમેન્ટ ઝોન નક્કી કરશે. આ ઝોનમાં જીવન જરૂરિયાત સિવાય કોઈ બહાર નહીં નીકળે અને કોન્ટેક્ટ ટ્રેસિંગ અને હાઉસ સર્વેલન્સ કરવામાં આવશે. આ ઉપરાંત જ્યાં નવા કેસ વધવાની શક્યતા હોય એ વિસ્તારોને બફર ઝોન જાહેર કરી શકાશે. આ ઝોનમાં નિયંત્રણો જીલ્લાનું તંત્ર નક્કી કરી શકશે. 

અનલૉક-1માં 10 મહત્વની વાતનું ચુસ્ત પાલન કરવું જરૂરી

માનવ સંસાધન મંત્રાલયની ગાઈડલાઈન અનુસાર અનલૉક-1માં 10 મહત્વની વાતનું ચુસ્ત પાલન કરવું પડશે. જેમાં ફેસ માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું, મોટા કાર્યક્રમો ન કરવા, જાહેરમાં થુંકવું નહીં, જાહેર સ્થળોએ દારૂ પીવો, પાન ખાવું અને તમાકુંની વસ્તુઓ ન ખાવી, શક્ય હોય ત્યાં સુધી વર્ક ફ્રોમ હોમ કરવું, જે દુકાનો અને ઓફિસ ખુલે તે નિયમ મુજબ ચાલે, સ્ક્રીંનિગ અને હાઈઝિન જાળવવું, સેનેટાઈઝરનો ઉપયોગ કરવો.

અનલૉક 1ની ગાઇડલાઇન

  • આખા દેશમાં કોરોનાના નિયંત્રણ માટે સરકારે લાગુ કરેલી નેશનલ ડિરેકટિવ ગાઈડલાઈન્સનું પાલન કરવાનું રહેશે
     
  • રાત્રી કર્ફ્યું: રાત્રે ૯ થી સવારે 5 કડક કર્ફ્યું રહેશે. સ્થાનિક પોલીસ અને તંત્ર ધારા ૧૪૪ જેવી કલમો વડે કાયદો અને વ્યવસ્થા લાગુ કરશે 
     
  • કન્ટેનમેન્ટ ઝોનમાં લોકડાઉન: દેશના કન્ટેનમેન્ટ ઝોનમાં 30 જુન સુધી લોકડાઉન રહેશે. જીલ્લાનું તંત્ર આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના માર્ગદર્શન વડે કન્ટેનમેન્ટ ઝોન નક્કી કરશે. આ ઝોનમાં જીવન જરૂરિયાત સિવાય કોઈ બહાર નહીં નીકળે અને કોન્ટેક્ટ ટ્રેસિંગ અને હાઉસ સર્વેલન્સ કરવામાં આવશે. આ ઉપરાંત જ્યાં નવા કેસ વધવાની શક્યતા હોય એ વિસ્તારોને બફર ઝોન જાહેર કરી શકાશે. આ ઝોનમાં નિયંત્રણો જીલ્લાનું તંત્ર નક્કી કરી શકશે. 
     
  • રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો પોતાની સ્થિતિ પ્રમાણે પરવાનગી અપાયેલી પ્રવૃત્તિઓ પણ ઘટાડી શકે છે. 
     
  • આંતરરાજ્યો અને રાજ્યોઈ અંદર અંદર માલસામાનના વહન અને વ્યક્તિઓની અવરજવરને સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. આ માટે કોઈ વિશેષ પરવાનગી કે પાસ નહીં જોઈએ. પરંતુ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશોએ જો આ પરિવહનમાં કોઈ નિયંત્રણ મુકવું હશે તો તેમણે પહેલેથી જ જાહેરાત અને વ્યવસ્થા કરી દેવી પડશે. પેસેન્જર ટ્રેનો, શ્રમિક ટ્રેનો, ડોમેસ્ટિક ફ્લાઈટ, વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકો, વિદેશોને તેમના દેશ પાછા પહોંચાડવા વગેરે શરુ કરવામાં આવશે. 
     
  • 65 વર્ષથી ઉપરના, જે લોકો પહેલેથી જ રોગોથી પીડાય છે, ગર્ભવતી મહિલાઓ, 10 વર્ષથી નાની ઉંમરના બાળકોને ઘરે જ રહેવાની સલાહ અપાઈ છે. 
     
  • આરોગ્ય સેતુ એપનો ડાઉનલોડ અને ઉપયોગ સૌથી વધુ કરાવવામાં આવશે. જીલ્લાના તંત્રોને આ એપમાં માહિતી સમય સમયે અપડેટ કરવાની જવાબદારી આપવામાં આવી છે. 

ગાઈડલાઈન્સનું કડક પાલન: 

  • રાજ્ય અને કેન્દ્ર સરકારો આ ગાઈડલાઈન્સનું કડક પાલન કરાવશે. આ માટે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી જીલ્લાના કલેકટરની રહેશે. 

કાયદાકીય દંડ 

  • આ ગાઈડલાઇન્સનું પાલન ન કરતા લોકોને સેક્શન 51 થી 60 ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ અને IPC 188 હેઠળ દંડ કરવામાં આવશે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ