બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Kangra will give a shout to the fort
Mehul
Last Updated: 09:35 PM, 29 December 2021
'આ ઈમારતનો હું'ય પાયો છું, પૂર્ણ ક્યાં કળાયો છું,અડધો-પડધો જ ઓળખાયો છું' ની વેદના વ્યક્ત કરતા સુરેન્દ્રનગર જીલ્લાના લખતર ગામની વિરાસત એવા કિલ્લાના કાંગરાની દીવાલ ધરાશાયી થઇ છે. વારંવારની રજૂઆત છતાં પુરાતત્વ વિભાગ આંખ આડા કાન કરી,આ પ્રાગૈતિહાસિક કિલ્લાની સાર-સંભાળ લેવામાંથી હાથ ઊંચા કરી રહ્યું છે.લખતર રાજ્યના રાજવી કરણસિંહજી બાપુરાજ દ્વારા ગામની રક્ષા કાજે આ કિલ્લાનું નિર્માણ થયું હતું. લગભગ 140 વર્ષ જૂના કિલ્લાના અત્યાર સુધી કાંગરા, રખોપા કરતાં હતા. પણ હવે તો કાંગરા અને તેની દીવાલો પણ ધરાશાયી થઇ છે. એ સમયે માત્ર એક લાખ રૂપિયામાં નિર્માણ પામેલા કિલ્લાની આજની દુર્દશા જોઈ ગામના વયોવૃદ્ધ વડીલો,કિલ્લાની જાહોજલાલી, ગામના રખોપિયા જેવી મજબૂત દીવાલોની વાત કરતા અતીતમાં સારી જઈ, દુર્દશાનાં આંસુ સારે છે.
ઐતિહાસિક વારસાના જતન પ્રત્યે ઉદાસીનતા
સુરેન્દ્રનગરના લખતરનો આ કિલ્લો લગભગ 140 વર્ષથી અડીખમ ઉભેલો છે. પરંતુ સરકાર દ્વારા 100 વર્ષ કરતા વધુની અડીખમ જૂની મિલકતોને હેરિટેજમાં સમાવવાની જાહેરાતો કરવામાં આવે છે. પંરતુ સરકાર, એતિહાસિક વિરાસતની જાળવણી કે હેરીટેજમાં સમાવવા પ્રત્યે વધુ ઉદાસીન જણાય છે. સુરેન્દ્રનગર,ઝાલાવાડ પંથક આમ પણ પાણી વિહોણો પ્રદેશ વરસોથી કહેવાતો આવ્યો છે. અને આ પંથકની નેતાગીરી પણ આવી જ ન-પાણી સાબિત થતી આવી છે. વિસ્તારના ઐતિહાસિક વારસાના જતન માટે કે સંવર્ધન માટે હજુ સુધી કોઈ નેતા આગળ આવ્યો હોવાના રજવાડા બાદ એક પણ દાખલા નથી.
હવે તો લખતરનો આ કિલ્લો પણ કહે છે કે, ' બસ,દુર્દશાનો એટલો આભાર હોય છે, જેને મળું છું, મુજથી સમજદાર હોય છે'.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા