બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
Arohi
Last Updated: 12:59 PM, 20 June 2023
ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા આજે એટલે કે 20 જૂને ખૂબ જ ધૂમધામની સાથે નિકળી છે. તેનું સમાપન 1 જુલાઈએ થશે. આ વર્ષે અષાઢના શુક્લ પક્ષની દ્રિતીયા તિથીએ જગન્નાથ રથ યાત્રા જોર-શોરથી નિકળે છે.
આ સમયે ભગવાન જગન્નાથ પોતાના મોટા ભાઈ બલરામ અને નાની બહેન સુભદ્રાની સાથે ત્રણ રથોમાં સવાર થઈને નગર ભ્રમણ માટે નિકળે છે. આજે પણ આ ભવ્ય આયોજનના સાક્ષી આજના લાખો લોકો બનશે. માન્યતા છે કે જે પણ મનુષ્ય એક વખત ભગવાન જગન્નાથના રથની દોરીને હાથ લગાવે છે તે ભવ સાગર તરી જાય છે.
ચોંકાવનારી વાત એ છે કે જ્યારે પણ ભગવાનનો રથ નગર ભ્રમણ માટે નિકળે છે તો તેના પૈડા એક નજારની સામે આવીને ઉભા રહી જાય છે. આ વાત બધાને ચોંકાવી દે છે કે આખરે જગના પાલનહારનો રથ એક મજારની સામે કેમ રોકાઈ જાય છે. શું છે તેના પાછળની સ્ટોરી જાણો...
મજાર પર કેમ રોકાઈ જાય છે ભગવાન જગન્નાથનો રથ
બધાના મનમાં એક સવાલ જરૂર આવે છે કે આખરે આ કેવી મજાર છે જેના સામે ભગવાન જગન્નાથનો રથ પણ ઉભો રહી જાય છે. તેની સાથે જોડાયેલો એક કિસ્સો તમને જણાવીએ. માન્યતા છે કે સાલબેગ નામનો એક મુસ્લિમ ભગવાન જગન્નાથનો ખૂબ જ મોટો ભક્ત હતો. ભગવાનના પ્રતિ તેની શ્રદ્ધા અપાર હતી.
એક દિવસ ભગવાન જગન્નાથે પોતાના અન્ય ભક્તના સપનામાં આવીને દર્શન આપ્યા, પોતાના પ્રભુના દર્શન મેળવતા જ સાલબેગે પ્રાણ ત્યાગ્યા. આ ઘટના બાદ જ્યારે જગન્નાથ ભગવાનની રથ યાત્રા નિકળવામાં આવી રહી હતી ત્યારે નગર ભ્રમણના સમયે રથનું પૈડુ અચાનક મજારના સામે આવીને રોકાઈ ગયું.
લાખો લોકોની ભીડ કરે છે સાલબેગની આત્માની શાંતિ માટે પ્રાર્થના
આ સમયે રથયાત્રામાં હાજર હજારો-લાખો લોકોની ભીડે ભગવાન જગન્નાથ પાસે તેમના ભક્ત સાલબેગની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી. તેના બાદ જ રથ નગર ભ્રમણ માટે આગળ વધ્યા. ત્યારથી તે પરંપરા આજ સુધી ચાલી રહી છે.
દર વર્ષે જ્યારે પણ પુરીમાં ભગવાન જગન્નાથ પોતાના મોટાભાઈ બલરામ અને નાની બહેન શુભદ્રાની સાથે નગર ભ્રમણ પર નિકળે છે તો સાલબેગની મજારની સામે તેમનો રથ થોડી વાર માટે રોકાઈ જાય છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા