બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / ISRO will launch Indias ambitious space mission Chandrayaan 3 today
Kishor
Last Updated: 08:36 AM, 14 July 2023
જે દિવસની દેશવાસીઓ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. તે રડિયામણી ઘડી આવે છે. જેને લઈને દેશ આખામાં ઉત્સાહનું વાતાવરણ છે. આજે ISRO ભારતનો મહત્વકાંક્ષી સ્પેશ મિશન ચંદ્રયાન 3 લોન્ચ કરી સુવર્ણ અક્ષરે ઇતિહાસ રચશે. આંધ્ર પ્રદેશના હરિકોટાના સતીશ ધવન સ્પેસ રેન્ટરથી ભારતનું આ સ્વપ્ન સમાન ચંદ્રયાન 3 લોન્ચ કરવામાં આવશે. આજે 14 જુલાઈના રોજ બપોરે 2: 35 કલાકે લોન્ચ કરવામાં આવશે. લગભગ 45 થી 50 દિવસની મુસાફરી બાદ તે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરશે. સ્પેસક્રાફટને ચંદ્રયાનને લોન્ચ વ્હિકલ LVM3 લઇ જશે. નોંધનીય છે કે LVM3એ ભારતનું સૌથી ભારે રોકેટ છે. જેનું વજન 640 ટન છે. તથા તે 43.5 મીટરની લંબાઈ ધરાવે છે. જેમાં સફળતાં મળ્યા બાદ અમેરિકા, રશિયા, અને ચીન બાદ ભારત સફળતા મેળવનાર ચોથો દેશ બની જશે.
VIDEO | Renowned sand artist Sudarsan Pattnaik creates sand art of Chandrayaan-3, which is scheduled to be launched by ISRO on July 14. pic.twitter.com/jFWpR4Y2cP
— Press Trust of India (@PTI_News) July 13, 2023
ઈસરોના ભૂતપૂર્વ વૈજ્ઞાનિકનો આશાવાદ
આ મામલે ઈસરોના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક નામ્બી નારાયણે આશાવાદ વ્યક્ત કર્યો હતો કે, ચંદ્રયાન 3 ચોક્કસપણે ભારત માટે ગેમ ચેન્જર સાબિત થશે અને સમગ્ર વિશ્વને અનોખી પ્રેરણા પુરી પાડશે.
Chandrayaan-3 mission:
— ISRO (@isro) July 11, 2023
The ‘Launch Rehearsal’ simulating the entire launch preparation and process lasting 24 hours has been concluded.
Mission brochure: https://t.co/cCnH05sPcW pic.twitter.com/oqV1TYux8V
21 મોટા ફેરફાર કરાયા
ચંદ્રયાન 2 નિષ્ફળ નિવડયા બાદ ઇસરો દ્વારા દિવસ રાત એક કરીને ચંદ્રયાન 3 ને સફળ બનાવવા માટે 21 મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જેમા ઓર્બીટરના પ્રોપલ્સન મોડ્યુલરમાં ફેરફાર કરાયો છે. આ ઉપરાંત વજન ઓછો થાય તે માટે પાંચને બદલે ચાર જ એન્જિન રખાયા છે તેમજ લેન્ડરના પગને પણ વધુ શક્તિશાળી બનાવવામાં આવ્યા છે.
ત્યાં અત્યાર સુધીમાં કોઈ પણ દેશનું વાહન લેન્ડ થયું નથી
ચંદ્રયાન 3 નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર 70 ડિગ્રી અક્ષાંશ પર લેન્ડ કરાશે. ISRO ના જણાવ્યા અનુસાર ચંદ્રયાન 3 ને એવી જગ્યાએ લેન્ડ કરાવવામાં આવશે. જ્યાં અત્યાર સુધીમાં કોઈ પણ દેશનું વાહન લેન્ડ થયું નથી. આ અગાઉ ચીને તેના લેન્ડરને 45 ડિગ્રી અક્ષાંશ પર લેન્ડ કરાયું હતું. અત્યાર સુધી ચંદ્રની મધ્ય રેખા પર જ તમામ દેશોએ તેના વાહનોને ઉતાર્યા હતા કારણ કે ત્યાંની સપાટી છે.
1. ચંદ્રયાન-3 મિશન શું છે ?
ચંદ્રયાન-3 મિશન એ ચંદ્રયાન-2 મિશનનું ફોલો-અપ મિશન છે જે વર્ષ 2019માં ચાલ્યું હતું. જેમાં લેન્ડર અને રોવરનું સોફ્ટ લેન્ડિંગ સપાટી પર ચાલતું જોવા મળશે. જેનો હેતુએ એ છે કે ઈસરોના વૈજ્ઞાનિકો વિશ્વને જણાવવા માંગે છે કે, ભારત અન્ય ગ્રહ પર સોફ્ટ લેન્ડિંગ કરી શકે છે. તમે ત્યાં તમારું રોવર ચલાવી શકો છો. ચંદ્રની સપાટી, વાતાવરણ અને જમીનની અંદરની ગતિવિધિઓ શોધવા માટે.લેન્ડરને ચંદ્રની સપાટી પર ઉતારવું એ સૌથી મુશ્કેલ કામ છે. 2019માં ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરના હાર્ડ લેન્ડિંગને કારણે મિશન બગડી ગયું હતું. ચંદ્રયાન-3ના લેન્ડરના થ્રસ્ટરમાં ફેરફાર કરવામાં આવ્યા છે. સેન્સર વધુ સંવેદનશીલ સ્થાપિત કરવામાં આવ્યા છે. ચાર દેશો દ્વારા કરવામાં આવેલા પ્રયાસમાં સોફ્ટ લેન્ડિંગનો સફળતા દર માત્ર 52 ટકા છે. એટલે કે સફળતાની અપેક્ષા માત્ર 50 ટકા હોવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા