બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / ગુજરાત / અમદાવાદ / india indigo airlines plane takes off after within seconds touching run way article
Kishor
Last Updated: 05:32 PM, 24 May 2023
અમદાવાદના સરદાર વલ્લભભાઈ એરપોર્ટ પર ગત સોમવારે ચકચારી ઘટના બની હતી. જેમાં ચંદીગઢથી આવેલ વિમાનનું વ્હીલ રનવેને સ્પર્શતાની સાથે જ અચાનક તેજ ગતિએ ટેકઓફ થયું હતું. જેને લઈને શું થયું? એ એક જ સવાલનો ગણગણાટ ઉપડ્યો હતો. આ વેળાએ 100 જેટલા મુસાફરો હોવાથી વિમાનમાં દેકારો બોલી ગયો હતો.આ કિસ્સાને લઈને વિમાનમાં સવાર લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
ઉડ્ડયન મંત્રીને મેઇલ થકી રજૂઆત
જાણવા મળતી વિગત અનુસાર સોમવારે રાત્રે આ ઘટના બની હતી. આ મામલે ફ્લાઇટ નંબર 6E 6056ના પેસેન્જર અને વડોદરા ખાતે રહેતા ડૉ. નીલ ઠક્કરે કહ્યું હતું કે 'વિમાન રાત્રે 8.45 વાગ્યે લેન્ડિંગ થવા જઈ રહ્યું હતું. આ દરમિયાન રનવે પર પહોચતાની સાથે જ ફરી ઉડવા લાગ્યું હતું. બમની સ્પીડે ઉડતા લોકોમાં ચિંતા છવાઈ હતી. પ્લેનના પાયલોટે અચાનક ટેક ઓફ કર્યું અને તેજ સ્પીડ સાથે પાછું આકાશમાં ઉડતા અમે ગભરાઈ ગયા હતા, કોઈ પણ જાતના કારણ વગર એકાએક આમ કરાતા મનમાં અનેક સવાલો ઉભા થયા હતા.અમુક મુસાફર એ આ મામલે DGCA અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીને મેઇલ થકી રજૂઆત કરી હોવાનું પણઅ જાણવા મળી રહ્યું છે.
20 મિનીટ પછી પ્લેન લેન્ડ થયું
આવું કરવા પાછળ સુત્રોમાંથી એવું જાણવા મળી રહ્યું છે કે વિમાનનું લેન્ડિંગ યોગ્ય રીતે કરવામાં આવ્યું ન હોવાથી આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અયોગ્ય લેન્ડિંગને લઈને ટ્રાફિક કંટ્રોલરે પાયલટને તરત જ ટેકઓફ આદેશ જારી કર્યા હતા. બાદમાં 20 મિનીટ પછી પ્લેન લેન્ડ થયું હતું. જો કે આ દરમિયાન કોઈ મુસાફરને ઈજા કે અન્ય કોઈ સમસ્યા થઈ હોવાનું જાણવા મળતું નથી. પેસેન્જર તેજસ જોશીએ આ અંગે ટ્વીટમાં માહિતી આપી હતી ચંદીગઢથી અમદાવાદની ફ્લાઈટ (6E 6056) અમદાવાદ એરપોર્ટ પર ઉતરી પ્રથમ ઉતર્યા બાદ એકાએક ઉડાન ભરતા મુસાફરો ડર્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા