બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
Shyam
Last Updated: 06:12 PM, 1 August 2021
વડોદરા સોખડા સ્વામિનારાયણ મંદિરના હરિપ્રસાદ સ્વામી અક્ષરવાસ થયા બાદ યોગી ડિવાઇન સોસાયટીને લઇને મહત્વની જાહેરાત કરાઈ છે. આગામી સમયમાં 5 સંતો યોગી ડિવાઇન સોસાયટીનું સુકાન સંભાળશે. પ્રેમ સ્વામી, પ્રમોદ સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી સુકાન સંભાળશે. આ સંતોમાં પ્રેમ સ્વરૂપ, પ્રબોધજીવન સ્વામી સંસ્થાનું સુકાન સંભાળશે. આ સમગ્ર વિષયની જાહેરાત સંત ભગવંત સાહેબજી દ્વારા કરાઈ હતી. અને તમામ સંતોની સંમતિથી જાહેરાત કરાઈ હોવાનો પણ ઉલ્લેખ કરાયો હતો.
સોખડા મંદિરને લઇને મહત્વની જાહેરાત
સોખડા હરિધામ મંદિરના લીમડા વનમાં સંતોએ મુખાગ્નિ આપીને હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ સંસ્કાર કર્યાં હતા. હરિપ્રસાદ સ્વામીજીનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થઇ ગયો છે. આ સમયે સંતો અને ભક્તો રડી પડ્યા હતા. આ પહેલા પાલખી યાત્રા હાલ લીમડા વન ખાતે પહોંચી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ દર્શન કર્યાં હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પાલખીયાત્રામાં મોટી સંખ્યામાં સંતો જોડાયા હતા.
વડોદરાના સોખડા હરિધામના સંત હરિપ્રસાદ સ્વામીની અંતિમવિધિની લીમડા વન ખાતે કરાઈ. અંતિમવિધિના દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણી, ના.મુ. નીતિન પટેલ, શિક્ષણમંત્રી સહિતના નેતાઓ પહોંચ્યા હતા. સ્વામીજીની અંતિમવિધિમાં લાખો ભક્તો પણ આંખમાં ભીનાશ સાથે દર્શન કરતા દેખાયા હતા. સમગ્ર અંતિમવિધિ વેદિક મંત્રોત્ચાર સાથે કરાશે. યજુર્વેદ સંહિતાના પુરુષસૂક્તની વિધિ પ્રમાણે નિયમોનું પાલન કરાશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, હરિપ્રસાદ સ્વામીએ હંમેશા ગુજરાતની ચિંતા કરી છે. હું ગુજરાતની સાડા છ કરોડ લોકો તરફથી શ્રદ્ધાંજલિ આપું છું. ગુજરાતનું યુવાધન નોધારું બન્યું છે. યુવાનોના આદર્શ એવા હરિપ્રસાદ સ્વામી આપણી વચ્ચે નથી. પણ તેમની શીખ યુવાનો માટે પ્રેરણા બનશે.
27 જુલાઈએ અક્ષરવાસી થયાં હરિપ્રસાદ સ્વામી
વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામી 27 જુલાઈને સોમવારે મોડી રાતે અક્ષર નિવાસી થયાં હતા. તેઓ છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત હતા અને તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે સતત ચેકઅપણ કરવામાં આવતું હતું. જો કે, સોમવારે તેમની તબિયત એકાએક લથડતા સાંજના સમયે તેમને વડોદરા સ્થિત ભાઈલાલ અમીન હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
લાખો લોકોએ સ્વામીજીના નશ્વર દેહના કર્યા અંતિમ દર્શન
હરિપ્રસાદ સ્વામીના નશ્વર દેહને મંગળવાર 27 જુલાઈ થી શનિવાર 31 જુલાઈ સુધી ભક્તોના દર્શનાર્થે મુકવામાં આવ્યો હતો. આ ત્રણ દિવસ દરમિયાન દેશ-વિદેશના અનેક ભક્તો અને રાજકીય-સામાજીક આગેવાનોએ સ્વામીજીના પાર્થિવ દેહના અંતિમ દર્શન કર્યા હતા.
છેલ્લા કેટલાક સમયથી હતા નાદુરસ્ત
હરિપ્રસાદ સ્વામીજીની છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત હતા અને તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે સતત ચેકઅપણ કરવામાં આવતું હતું. જો કે, સોમવારે તેમની તબિયત એકાએક લથડતા સાંજના સમયે તેમને વડોદરા સ્થિત ભાઈલાલ અમીન હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા.
1934માં સ્વામીજીનો થયો હતો જન્મ
આપને જણાવી દઇએ કે, સ્વામી હરિપ્રસાદજી BAPS સંસ્થાના સંત પ્રમુખ સ્વામી મહારાજના ગુરુભાઈ હતા અને તેઓનો જન્મ 1934માં થયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા