ભાજપનાં ઉપપ્રમુખ આઇ.કે જાડેજાએ સ્માર્ટ સીટી કહેવાતા અમદાવાદનાં રસ્તાઓની બિસ્માર હાલત જોઇ પોતાનાં ઓફિશીયલ ટ્વિટર એકાઉન્ટ પર ઉભરો ઠાલવ્યો છે. જેમાં તેઓએ ઔડાનાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પર જનતાની જેમ રોષ ઠાલવ્યો છે. ભાજપનાં તેઓ ઉપપ્રમુખ હોવાં છતાં તેમને રોડની નબળી કામગીરી મુદ્દે ઉલ્ટાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને સવાલ કર્યા છે.
સ્માર્ટ સીટીની હાલત જોતાં હવે જાગ્યાં ભાજપનાં જ નેતાઓ
હવે જનતા સાથે ભાજપ નેતાઓ પણ આક્રોશમાં
શું ઔડાનાં અધિકારીઓ ચાલશે આવાં ખરાબ રોડ પર?
જો કે મહત્વનું એ છે કે હવે નવા મોટર વ્હીકલ એક્ટ દ્વારા વાહન ચાલકો પાસેથી મોટા-મોટા દંડ વસૂલવામાં આવી રહ્યાં છે ત્યારે તેની સામે પ્રજામાં પણ ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. પરંતુ હવે પ્રજાની સાથે સાથે ભાજપનાં નેતાઓમાં પણ આક્રોશ શરૂ થઈ ગયો છે. ભાજપનાં જ નેતાઓ ભાજપ સરકારની રસ્તાની નબળી કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે.
અમદાવાદ ના બોપલ બ્રીઝ થી શાંતિપુરા ચોકડી સુધીનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે, ઔડા ના અધિકારીઓ આ રોડ પર ચાલશે?
શું ઓવરબ્રીઝ નું કામ કરી રહેલા કોન્ટ્રાક્ટરો ની કોઈ જ જવાબદારી ઉપસ્થિત નથી થતી ?
જો કે અહીં પ્રશ્ન એ ઉભો થાય છે કે આખરે કેમ ભાજપ ઉપપ્રમુખ આઇ.કે જાડેજા (i.k.jadeja) એ અહીં પોતે સત્તામાં હોવા છતાં પણ તેઓ ઔડાનાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને સવાલ કરી રહ્યાં છે. ઉલ્ટાનાં તેમણે અહીં સવાલ કરવાનાં બદલે ઇચ્છે તો કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની નબળી કામગીરીને લઇ તેમની પર એક્શન પણ લઇ શકતા હતાં. કેમ કે આખરે તો રાજ્ય અને કેન્દ્રમાં પણ સરકાર તો તેમની (ભાજપ) જ છે. જેથી તેઓ ઇચ્છે તો રાજ્ય સરકારમાં રહેલા સત્તાધીશ કોઇ પણ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી શકે છે. પરંતુ તેમને માત્ર ટ્વિટર પર સવાલો કરીને પોતાનો રોષ ઠાલવ્યો.
YMCAથી બોપલ તરફ જતો આખો રોડ બિસ્માર
શહેરમાં લગભગ અઢી-ત્રણ મહીના પહેલાં જ બોપલને સમાંતર રિંગ રોડથી YMCA ક્લબ સામેના રોડ સુધી મેગા લાઈન નાંખવામાં આવી હતી. રોડની બંને બાજુએ આ કામગીરી કર્યા બાદ અહીં કપચીનું પુરાણ કરવામાં આવ્યું હતું. પણ વરસાદની ઋતુ શરૂ થતાં જ ધોધમાર વરસાદ થતાં જ આખો રોડ બિસ્માર થઈ ગયો છે. જેથી મ્યુનિસિપલ કોર્પોરેશન આ અંગે જાણતી હોવા છતાં પણ તેનું યોગ્ય રીતે ધ્યાન રાખવામાં ના આવતા ફરી વાર માત્ર કપચી-પુરાણ કરીને રોડને અવર-જવર માટે શરૂ કરી દેવાયો હતો.