બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / ધર્મ / ગુજરાત / અમદાવાદ / Hanuman Dada giving visa: Devotees come from far and wide to smoke shisha at this temple in Ahmedabad.
Priyakant
Last Updated: 08:28 AM, 6 April 2023
ચૈત્ર સુદ પૂનમ એટલે હનુમાન જયંતિ. આજના આ દિવસે ચારેકોર હનુમાનજીના મંદિરોમાં હનુમાનજીનો ભવ્યાતિભવ્ય જન્મોત્સવ ઉજવાતો હોય છે. આજકાલ લગભગ દરેક લોકોએ વિદેશ જવાનું સપનું જોયું હશે પણ વિદેશમાં સ્થાયી થવું એટલું સરળ નથી જેટલું કહેવા અને સાંભળવામાં દેખાય છે. વિદેશમાં જવા માટે લોકોને કેટલી વાર વિઝા ઓફિસના ચક્કર લગાવે પડે છે. પણ ઘણી વખત વિઝા નથી મળતા અથવા વિઝા એપ્લિકેશન રિજેક્ટ થઈ જાય છે એવામાં લોકોનું વિદેશ જવાનું સપનું અધૂરું રહી જાય છે પણ આજે અમે તમને એવી જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં જઈને તમારું વિદેશ જવાનું સપનું પૂરું થયા છે અને આવી ચમત્કારી જગ્યા આપણા ગુજરાતમાં જ આવેલ છે.
ક્યાં આવેલ છે વિઝા મેળવવા માટેની આ જગ્યા
શું તમે જાણો છો કે ગુજરાતમાં એક એવી જગ્યા છે જેને તમામ વિઝા ઓફિસની હેડ ઓફિસ તરીકે ઓળખવામાં આવે છે અને જ્યાં દરેક લોકો વિદેશ જવા માટે પોતાની અરજી લઈને આવે છે અને એ પછી ક્યારેય ખાલી હાથે પાછો ફરતો નથી. અમે વાત કરી રહ્યા છીએ આપણા ગુજરાતમાં આવેલા એક અનોખા મંદિર વિશે. આ મંદિરમાં લોકો સુખ શાંતિની પ્રાથના માટે નહીં પણ વિઝા મેળવવાની અરજી લઈને જાય છે. લોકો એ મંદિરમાં પંહોચીને વિઝા મંજૂર થવાની પ્રાર્થના કરે છે અને માન્યતા અનુસાર એ લોકોની ઈચ્છા પૂરી પણ થાય છે. જણાવી દઈએ કે આ ચમત્કારી મંદિર ગુજરાતના અમદાવાદ શહેરમાં આવેલ છે.
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર
અમદાવાદના ખાડિયા વિસ્તારમાં દેસાઈની પોળમાં આવેલા હનુમાનજીના મંદિરને વિઝાનું હેડઓફિસ માનવામાં આવે છે. એવા માનવામાં આવે છે કે આ મંદિરમાં માથું નમાવીને આશીર્વાદ લેવાથી ભલભલા લોકોના વિઝા મળી જાય છે. લોકોની શ્રધ્ધા એટલા હદ સુધી છે કે આ મંદિરના હનુમાનજી ને લોકો વિઝા હનુમાન તરીકે બોલાવવા લાગ્યા છે. કહેવાય છે કે આ મંદીરમાં પાસપોર્ટ લઈને જવાથી અને ત્યાં હનુમાનજીના ચરણમાં પાસપોર્ટ રાખીને આશીર્વાદ લેવાથી હનુમાનજીના ભક્તની વિદેશ જવાની તમામ બાધાઓ દૂર કરે છે અને એ વ્યક્તિને વિઝા મળી રહે છે.
કેવી રીતે લોકોને આ મંદિર વિશે ખબર પડી?
મંદિરના ટ્રસ્ટી સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે, 'વર્ષો પહેલા એક મહિલા એ તેની દીકરીના વિઝા લાગી જાય એ માટે આ મંદિરમાં માનતા રાખી હતી અને એ મહિલાની માનતા પૂરી પણ થઇ હતી. એ બાદ જ લોકો વચ્ચે આ વાત ફેલાવા લાગી હતી અને ત્યારથી લોકો એમના વિઝા માટે આ મંદિરમાં માનતા માને છે અને દરેક લોકોની માનતા પૂરી પણ થાય છે. આ માટે અમે કોઈ સમક્ષ દાવો નથી કરતાં પણ લોકોની શ્રધ્ધા છે અને એમની શ્રધ્ધા સાચી પડે છે અને અમે અઢળક લોકોની માનતા અમારા નજર સમક્ષ પૂરી થતાં જોઈ છે.' ઘણા એવા કિસ્સાઓ પણ બન્યા છે કે વિઝા હનુમાનના મંદીરમાં આવીને માનતા રાખ્યાના ચાર-પાંચ કલાકની અંદર જ લોકોને વિદેશ જવા માટે વિઝા મળી ગયા હોય.
કેટલા વાગ્યા સુધી ખુલ્લુ હોય છે મંદિર?
અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવેલ દેસાઈની પોળમાં આ મંદિર આવેલ છે અને જો મંદિરના ટાઈમિંગ વશે વાત કરીએ તો આ ચમત્કારી મંદિર સવારે 7:30થી કરીને સાંજે 7:30 વાગ્યા સુધી ખુલ્લુ હોય છે અને ખાસ કરીને શનિવારે આ મંદિર સાંજે 9 વાગ્યા સુધી ખુલ્લુ હોય છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા