બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat Technological University took an important decision regarding the examination
Malay
Last Updated: 08:27 AM, 22 June 2023
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા પરીક્ષાને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ હવે પરીક્ષા શરૂ થયાના એક કલાક બાદ વિદ્યાર્થી ઈચ્છે તો ક્લાસરૂમ અને સેન્ટરની બહાર નીકળી શકશે. કોલેજોની અનેકવાર રજૂઆત બાદ નિયમોમાં ફેરફાર કરાયો છે. મહત્વનું છે કે અગાઉ પેપર પૂર્ણ થાય ત્યાં સુધી એટલે કે અઢી કલાક સુધી બેસવું પડતું હતું.
કોલેજોએ કરી હતી રજૂઆત
ગુજરાતની ટેકનિકલ કોલેજોના આધ્યાપકોના મંડળે GTU (ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી)ને રજૂઆત કરી હતી કે એમસીક્યુ અને થીયરી પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી વારંવાર વહેલા જવા દેવા માટે તકરાર કરતા હોય છે. જેથી પરીક્ષા શરૂ થયાના એક કલાક બાદ વિદ્યાર્થીઓને જવું હોય તો પ્રશ્નપત્ર વગર જવા દેવામાં આવે.
GTUએ બહાર પાડ્યો પરિપત્ર
કોલેજોના આધ્યાપકોના મંડળની રજૂઆતને GTU દ્વારા સ્વીકારી લેવામાં આવી છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા પરીક્ષાને લઈને નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જીટીયુ દ્વારા આ મામલે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.
હવેથી વિદ્યાર્થીને પરીક્ષામાં અઢી કલાક બેસી રહેવું નહી પડે
GTUના પરિપત્ર મુજબ વિદ્યાર્થીઓએ પરીક્ષા શરૂ થયાના 30 મિનિટ પહેલા આવવાનું રહશે અને પરીક્ષા શરૂ થયાના એક કલાક બાદ વિદ્યાર્થીઓ ઈચ્છે તો ક્લાસરૂમ અને સેન્ટરની બહાર નીકળી શકશે. પરીક્ષાના એક કલાક બાદ જતા વિદ્યાર્થીએ પ્રશ્નપત્ર સુપરવાઈઝરને આપીને જવાનું રહેશે.
આ વર્ષથી જ લાગુ થશે આ નિયમ
આ નિયમો યુનિવર્સિટી દ્વારા દર વર્ષે લેવાતી થીયરીકલ પરીક્ષા અને એમસીક્યુ પરીક્ષાઓમાં લાગુ પડશે. સાથે જ આ નિયમ વર્તમાન વર્ષની હાલની સેમેસ્ટર પરીક્ષાઓથી જ લાગુ પડી જશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા