બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / Gujarat HC Says Wife Can File Cruelty Case After Divorce Only For Incidents During Marriage
Hiralal
Last Updated: 10:59 PM, 21 August 2023
છુટાછેડા બાદ કોઈ પત્ની પતિ સામે દહેજ અને ક્રૂરતાનો કેસ દાખલ કરી શકે? અમદાવાદ સ્થિત ગુજરાત હાઈકોર્ટે આ મામલે એક નવો ચુકાદો જાહેર કર્યો છે.
ગુજરાત હાઈકોર્ટેનો એક ચુકાદો છે કે છૂટાછેડા બાદ પણ પત્ની ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 498A હેઠળ ક્રૂરતાની ફરિયાદ નોંધાવી શકે છે. જો કે આ માટે કેટલાક સંજોગો હોવા જોઇએ. પતિ કે સાસરિયાની ક્રૂરતા લગ્ન દરમિયાન બની હોય તો છૂટાછેડા બાદ પણ પત્ની કેસ કરી શકે છે. કોર્ટનો આદેશ શુક્રવારે ઘરેલું હિંસા અને બહુપત્નીત્વનો આરોપ લગાવતી ફોજદારી ફરિયાદને ફગાવી દેતો આવ્યો હતો.
શું બોલ્યાં જસ્ટીસ
છૂટાછેડા લીધેલી મહિલાએ તેના પૂર્વ પતિ, તેની નવી પત્ની અને પૂર્વ સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી હતી. ડિવોર્સ બાદ મહિલાએ પોતાના પૂર્વ પતિ પર વ્યભિચારનો આરોપ પણ લગાવ્યો હતો. જસ્ટીસ જે સી દોશીએ તેમના આદેશમાં જણાવ્યું હતું કે, ફરિયાદીએ લગ્ન અકબંધ હતા ત્યારે પતિ દ્વારા કરવામાં આવેલી ક્રૂરતા અથવા ત્રાસની ફરિયાદ કરી ન હતી. કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, "એવું લાગે છે કે બદલાની ભાવના માટે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે." પત્ની વતી દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં લગ્ન અકબંધ હતા તે સમયગાળા માટે ક્રૂરતા અથવા પજવણીના આરોપોનો ખુલાસો કરવામાં આવ્યો નથી. એફઆઈઆરથી સ્પષ્ટ છે કે છૂટાછેડા લીધેલી પત્ની દ્વારા પૂર્વ પતિ અને તેના સંબંધીઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે. એફઆઇઆર જોઇને લાગે છે કે કોઇ ખાસ હેતુ સિદ્ધ કરવા માટે આ કેસ દાખલ કરાયો છે. કોર્ટે કહ્યું કે, "આવી સ્થિતિમાં, એફઆઈઆર વિના તપાસનો આદેશ આપવો અને ફોજદારી કેસને ચાલુ રાખવાની મંજૂરી આપવી એ કોર્ટની પ્રક્રિયાનો દુરુપયોગ હશે." તે અરજદારો માટે પણ પીડાદાયક રહેશે. સક્ષમ કોર્ટ દ્વારા છૂટાછેડાનું ફરમાન બહાર પાડવામાં આવ્યા બાદ આઇપીસીની કલમ 498એ હેઠળ ફરિયાદ દાખલ કરવાની મંજૂરી આપી શકાય નહીં.
છુટાછેડા બાદ પત્નીએ દાખલ કરી હતી ક્રૂરતાનો કેસ
જસ્ટીસ જે સી દોશીએ તેમના ચુકાદામાં જણાવ્યું હતું કે, "એક વખત સક્ષમ અદાલતે છૂટાછેડાનો ચુકાદો પસાર કર્યા પછી, પતિ-પત્નીની વૈવાહિક સ્થિતિનો અંત આવે છે." આ કેસમાં કલમ 498એ હેઠળ ગુનાનો આક્ષેપ કરતી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં એવું જોવા મળ્યું હતું કે, ફરિયાદી અને આરોપી કે જેઓ અગાઉ પતિ-પત્ની હતા તેમની વચ્ચેના વૈવાહિક સંબંધો છૂટાછેડાથી સમાપ્ત થઈ ચૂક્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા