બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / ગુજરાત / અમદાવાદ / gujarat Congress working president Ambarish Der quits party; set to join BJP
Hiralal
Last Updated: 07:30 PM, 4 March 2024
2024નું વર્ષ કોંગ્રેસ માટે ભારે પડ્યું છે. ઓછામાં ઓછા 10 નેતાઓએ કોંગ્રેસનો હાથ છોડી દીધો છે અને કેસરિયો ધારણ કર્યો છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને પડેલો આ મરણતોલ ફટકો છે. આગામી સમયમાં હજુ કોંગ્રેસને બીજા ફટકા પડે તો નવાઈ નહીં.
પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપ્યું, જુઓ તસવીરો#LokSabhaElection2024 #Election2024 #gujarat #gujaratinews #congress #gandhinagar #ShankarChaudhary #arjunmodhwadia #vtvgujarati pic.twitter.com/b9yNV5j4wU
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 4, 2024
આજે બે નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ
ગુજરાતમાં સિનિયર નેતા અને કાર્યકારી અધ્યક્ષ અંબરીશ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયાં છે. તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનું કારણ પણ જણાવ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસને ઝટકા પર ઝટકા લાગ્યાં છે. બે મોટા નેતાઓ પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને કોંગ્રેસના સિનિયર નેતા અને કાર્યકારી અધ્યક્ષ અંબરીશ ડેર રાજીનામા આપીને ભાજપમાં જોડાયાં છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં જવા પાછળ બન્નેનું એક જ કારણ છે અને તે છે રામ મંદિર ઉદ્ધાટનમાં કોંગ્રેસના નેતાઓનું ન જવું.
શું બોલ્યાં અંબરીશ ડેર
રામ મંદિરનો ઉલ્લેખ કરતા કહ્યું કે 46 વર્ષીય અંબરીશ ડેરે કહ્યું કે 500 વર્ષ સુધી રાહ જોયા પછી, જ્યારે તે દિવસ આખરે આવ્યો અને આટલું ભવ્ય રામ મંદિર બનાવવામાં આવ્યું, ત્યારે કોંગ્રેસના નેતાઓનો મંદિરમાં ન જવાનો નિર્ણય યોગ્ય ન હતો. મેં તે સમયે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. હું કોઈની ટીકા નથી કરતો. ભગવાન રામનું દરેક વ્યક્તિ દ્વારા સન્માન કરવામાં આવે છે અને એક રાજકીય પક્ષે બધાના આદરનું સન્માન કરવું જોઈએ. જ્યારે આવું ન થયું ત્યારે મેં કોંગ્રેસ છોડવાનો નિર્ણય કર્યો.
મોઢવાડીયાએ પણ કહ્યું હતું કે કોંગ્રેસે રામ મંદિર ઉદ્ધાટનનો બહિષ્કાર નહોતો કરવો જોઈતો
આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા બીજા મોટા નેતા અર્જૂન મોઢવાડીયાએ રામ મંદિર ઉદ્ધાટન બાદ કહ્યું હતું કે કોંગ્રેસે રામ મંદિર ઉદ્ધાટનનો બહિષ્કાર નહોતો કરવો જોઈતો. આને કારણે કોંગ્રેસની છાપ ખરાબ પડી છે.
કોંગ્રેસને બીજા ફટકા પડી શકે છે
રામ મંદિર ઉદ્ધાટન બહિષ્કાર કોંગ્રેસને ભારે પડી શકે છે. આગામી દિવસોમાં બીજા નેતાઓ પણ કોંગ્રસને રામ રામ કરી શકે છે.
ગુજરાતમાં 10 નેતાઓએ છોડી કોંગ્રેસ
2024ના વર્ષમાં 10 મોટા નેતાઓ કોંગ્રેસને રામ રામ કરીને ભાજપમાં જોડાયાં હતા જેમાં છેલ્લે આજે અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેર પણ સામેલ છે.
સી જે ચાવડા
ચિરાગ પટેલ
ચિરાગ કાલરિયા
નારણ રાઠવા
સંગ્રામ રાઠવા
ઘનશ્યામ ગઢવી
બળવંત ગઢવી
જોઈતા પટેલ
અંબરીષ ડેર
અર્જુન મોઢવાડિયા
'અંબરીષ ડેરના જૂના ભાષણ સાંભળી લો' કોંગ્રેસ નેતાઓના ભાજપ ગમન પર બોલ્યા અમિત ચાવડા
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 4, 2024
#AmitChavda #amrisder #BJPGujarat #BJP4IND #Congress #Politics #india #gujarat #vtvgujarat pic.twitter.com/MEmoJySE1C
રાજીનામું આપવા પાછળ મોઢવાડિયાના કારણો
- કે સી વેણુગોપાલે ગુજરાત બાબતે લીધેલા નિર્ણયો અંગે નારાજગી
- વિપક્ષના નેતાની પસંદગી વખતે તેમને વિશ્વાસમાં લેવામાં આવ્યા નહોતા
- વિધાનસભા ચૂંટણી પછી મોઢવાડીયા પક્ષમાં નિષ્ક્રિય હતા
-જગદીશ ઠાકોર બાદ પ્રદેશ પ્રમુખ નક્કી થયા ત્યારે વિશ્વાસમાં ના લેવાયા
-રામ મંદિરના મુદ્દે પક્ષના નેતાએ લીધેલા નિર્ણય સામે નારાજગી
- શક્તિસિંહ ગોહિલ જૂના મિત્ર હોવા છતાં અસહમતી
- ભરતસિંહ સોલંકી બાદ અમિત ચાવડાને પ્રદેશ પ્રમુખ બનાવવા સામે નારાજગી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા