બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
Dinesh
Last Updated: 07:44 PM, 10 February 2023
પેટ સાફ હોય તો જ શરીર તંદુરસ્ત રહે છે. પેટ તમામ રોગોનું મૂળ છે એવું આયુર્વેદમાં કહેવાયું છે. કોઇ પણ બીમારીની શરૂઆત મોટાભાગે પેટથી જ થતી હોય છે. હેલ્ધી લાઇફ સ્ટાઇલ માટે રોજ દિવસમાં બે વાર તમારું પેટ સાફ થવું જરૂરી છે. એટલિસ્ટ રોજ સવારે એક વાર તો તમારું પેટ સરખી રીતે સાફ થવું જ જોઇએ. આ માટે તમારે ઘરે બનેલું સાદું અને હેલ્ધી ભોજન કરવું જોઇએ. ખાસ કરીને ફાઇબર યુક્ત ભોજન તમારા માટે ખૂબ જ જરૂરી હોય છે.
આપણાં અંતરડાંનું મુખ્ય કામ આપણાં પાચનતંત્રમાંથી નીકળતી વખતે ખાધેલા ભોજનમાંથી પાણીને શોષવાનું છે. તેમાંથી મળ બને છે, તેના દ્વારા શરીરના ઝેરી પદાર્થો બહાર નીકળે છે. જો મળ વધુ સમય સુધી બહાર ન નીકળી શકે તો કબજિયાતની સમસ્યાનો સામનો કરવો પડે છે. તેની પાછળનું કારણ પેટ યોગ્ય રીતે સાફ ન થાય તે છે. ઘણી વાર ખોટી ખાણીપીણીને કારણે પણ વ્યક્તિ કબજિયાતનો શિકાર બને છે. જે વ્યક્તિનું પેટ રોજ સાફ ન થતું હોય તે ધીમે ધીમે બીમારીઓની ઝપટમાં આવી જાય છે. તો એવી કેટલીક વસ્તુઓથી દૂર રહેવું જોઇએ, જેનાથી કબજિયાત થાય છે.
આટા બ્રેડ
આટા બ્રેડમાં ફાઇબરની માત્રા ખૂબ ઓછી હોય છે. તેમાં સ્ટાર્ચ વધુ માત્રામાં હોવાના કારણે તેનું સેવન કરવાથી પાચનતંત્ર નબળું પડે છે. આવા સંજોગોમાં વ્યક્તિને કબજિયાતની સમસ્યા સતાવે છે. જો તમે બ્રેડ ખાવા ઇચ્છતા હો તો સાબૂત અનાજમાંથી તૈયાર થયેલી બ્રેડ ખાવી જોઇએ. તે ટેસ્ટી હોવાની સાથે પૌષ્ટિક ગુણોથી ભરેલી હોય છે.
ચોખા
ચોખા સફેદ અને બ્રાઉન એમ બે પ્રકારના હોય છે. સફેદ ચોખાને વધુ પોલિશ કરવામાં આવે છે, તેથી તેમાંથી પોષક તત્ત્વ ખતમ થઇ જાય છે. આ કારણે વધુ પ્રમાણમાં ભાત ખાવાથી કબજિયાતની પરેશાનીનો સામનો કરવો પડે છે. સફેદના બદલે બ્રાઉન રાઇઝ ખાઇએ તો ફાઇબરનું પ્રમાણ જળવાઇ રહે છે.
ડેરી પ્રોડક્ટ્સ
જે લોકો વધુ માત્રામાં ડેરી પ્રોડક્ટ્સનું સેવન કરે છે, તેને કબજિયાતની પરેશાનીનો સામનો કરવો પડે છે. ડેરી પ્રોડક્ટ્સમાં લેક્ટોઝની માત્રા વધુ હોવાના કારણે પેટમાં દુખાવો, બળતરા અને સોજાની સમસ્યા થાય છે. જે લોકોને પેટમાં ગરબડ રહેતી હોય તેણે ડેરી પ્રોડક્ટ્સની માત્રા ઘટાડવી જોઇએ.
ફ્રોઝન ફૂડ
ફ્રોઝન ફૂડમાં સોડિયમની માત્રા વધુ હોવાથી પાચનતંત્રમાં ગરબડ થાય છે અને કબજિયાતની સમસ્યા થાય છે. સાથે તે ખાવાથી શરીરને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. દરેકે ઘરમાં બનેલું શુદ્ધ-પૌષ્ટિક ભોજન કરવું જોઇએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા